SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨’ અપ્રતિસવી જાણવા. સૂત્ર-૯૦૬, 907 906. ભગવનું ! પુલાક કેટલા જ્ઞાનમાં હોય? ગૌતમ! બે કે ત્રણમાં હોય. બેમાં હોય તો આભિનિબોધિક અને શ્રુતજ્ઞાનમાં હોય. ત્રણમાં હોય તો આભિનિબોધિક, શ્રત અને અવધિજ્ઞાનમાં હોય. એ રીતે બકુશ પણ છે. પ્રતિસેવના કુશીલ પણ છે. કષાયકુશીલની પૃચ્છા. ગૌતમ ! બે-ત્રણ કે ચારમાં હોય. બેમાં હોય તો આભિનિબોધિક -શ્રુતમાં હોય. ત્રણમાં હોય તો આભિનિબોધિક-શ્રુત-અવધિમાં હોય, અથવા આભિનિબોધિક-શ્રુત-મન:પર્યવમાં હોય. ચારમાં હોય તો આભિનિબોધિક-શ્રુત-અવધિ-મન:પર્યવમાં હોય, આ પ્રમાણે નિર્ગસ્થ પણ કહેવા. ભગવદ્ ! સ્નાતક કેટલા જ્ઞાનમાં હોય? ગૌતમ ! તે માત્ર કેવલજ્ઞાનમાં હોય. 907. ભગવદ્ ! પુલાક, કેટલા શ્રુત ભણે ? ગૌતમ! જઘન્યથી નવમાં પૂર્વની ત્રીજી આચાર વસ્તુ, ઉત્કૃષ્ટથી નવ પૂર્વ. બકુશની પૃચ્છા-ગૌતમ! જઘન્યથી આઠ પ્રવચન માતા, ઉત્કૃષ્ટથી દશ પૂર્વો. એ રીતે પ્રતિસેવનાકુશીલ પણ જાણવા. કષાયકુશીલની પૃચ્છા - ગૌતમ! જઘન્યથી અષ્ટપ્રવચન માતા અને ઉત્કૃષ્ટથી ચૌદ પૂર્વો. એ પ્રમાણે નિર્ચન્થને પણ જાણવા, સ્નાતકની પ્રચ્છા. ગૌતમ ! તે શ્રુત વ્યતિરિક્ત હોય છે (કેમ કે તે કેવલજ્ઞાની છે સૂત્ર-૯૦૮ થી 911 908. ભગવન્! પુલાક, તીર્થમાં હોય કે અતીર્થમાં ? ગૌતમ! તીર્થમાં હોય, અતીર્થમાં નહીં. એ પ્રમાણે બકુશ અને પ્રતિસેવનાકુશીલ પણ કહેવા. કષાયકુશીલની પૃચ્છા. ગૌતમ! તીર્થમાં હોય, અતીર્થમાં પણ હોય. જો અતીર્થમાં હોય તો તે તીર્થંકર હોય કે પ્રત્યેક બુદ્ધ? ગૌતમ! તે બંને પણ હોય. એ રીતે નિર્ચન્થ અને સ્નાતક જાણવા. 909. ભગવન્! મુલાક, સ્વલિંગ હોય કે અન્યલિંગ કે ગૃહીલિંગ હોય? ગૌતમ! દ્રવ્યલિંગને આશ્રીને સ્વલિંગ -અન્યલિંગ કે ગૃહીલિંગે પણ હોય. ભાવલિંગને આશ્રીને નિયમા સ્વલિંગ હોય. એ પ્રમાણે સ્નાતક સુધી જાણવુ. 910. ભગવનું ! પુલાક, કેટલા શરીરોમાં હોય ? ગૌતમ! તે ઔદારિક, તૈજસ, કાર્મણ ત્રણ શરીરમાં હોય. બકુશની પૃચ્છા. ગૌતમ! ત્રણ કે ચાર શરીરમાં હોય. જો ત્રણ શરીરમાં હોય તો ઔદારિક-તૈજસ-કાશ્મણ એ ત્રણમાં હોય. જો ચારમાં હોય તો દારિક-વૈક્રિય-તૈજસ-કાર્પણ એ ચારમાં હોય. એ રીતે પ્રતિસેવનાકુશીલ પણ કહેવા. કષાયકુશીલની પૃચ્છા - ગૌતમ! ત્રણ-ચાર કે પાંચ શરીરમાં હોય. જો ત્રણમાં હોય તો ઔદારિક, તૈજસ, કાર્મણમાં હોય, ચારમાં હોય તો ઔદારિક, વૈક્રિય, તૈજસ, કામણમાં હોય, જો પાંચમાં હોય તો ઔદારિક, વૈક્રિય, આહારક, તૈજસ, કામણમાં હોય. નિર્ગસ્થ અને સ્નાતકને પુલાકવત્ જાણવા. - 911. ભગવન્! પુલાક, કર્મભૂમિમાં હોય કે અકર્મભૂમિમાં ? ગૌતમ! જન્મ અને સદ્ભાવને આશ્રીને કર્મભૂમિમાં હોય, અકર્મભૂમિમાં ન હોય. બકુશની પૃચ્છા. ગૌતમ ! જન્મ અને સદ્ભાવને આશ્રીને કર્મભૂમિમાં હોય, અકર્મભૂમિમાં નહીં. સંહરણ અપેક્ષાએ કર્મભૂમિ કે અકર્મભૂમિ બંનેમાં હોય. એ પ્રમાણે સ્નાતક સુધી જાણવુ. સૂત્ર-૯૧૨ ભગવન્મુલાક, શું અવસર્પિણી કાળે હોય, ઉત્સર્પિણી કાળે હોય કે નોઅવસર્પિણી-ઉત્સર્પિણીકાળે હોય? ગૌતમ! અવસર્પિણી-ઉત્સર્પિણી અને નોઅવસર્પિણી ઉત્સર્પિણી ત્રણે કાળે હોય. જો અવસર્પિણી કાળે હોય તો શું તે 1. સુષમ સુષમા કાળે હોય, 2. સુષમ કાળે હોય, 3. સુષમ દૂષમા કાળે હોય, 4. દુષમ સુષમાકાળે હોય, 5. દૂષમા કાળે હોય કે 6. દૂષમ દૂષમાકાળે હોય ? ગૌતમ ! જન્મને આશ્રીને માત્ર સુષમદૂષમાં અને દૂષમસુષમા કાળે હોય, બાકીના ચાર કાળે ન હોય. સદ્ભાવને આશ્રીને સુષમદૂષમાં કાળે હોય, દૂષમ સુષમા કાળે હોય, દૂષમાકાળે હોય પણ બાકીના ત્રણ કાળમાં ન હોય. જો ઉત્સર્પિણીકાળમાં હોય તો શું દૂષમદુષમા કાળે હોય, કે દૂષમકાળે, દૂષમસુષમ કાળે, સુષમદુઃષમા કાળે, સુષમાં કાળે, સુષમસુષમા કાળે હોય ? ગૌતમ! જન્મને આશ્રીને દૂષમા કાળે હોય, દૂષમસુષમા કાળે હોય, સુષમદૂષમાં મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 184
SR No.035606
Book TitleAgam 05 Bhagwati 02 Gujarati Translation
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2020
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_bhagwati
File Size5 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy