________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' જ્ઞાન પર્યવોથી ? પ્રશ્ન. ગૌતમ! ઓઘાદેશથી કદાચ કૃતયુગ્મ યાવત્ કદાચ કલ્યોજ. વિધાનાદેશથી કૃતયુગ્મ પણ યાવત્ કલ્યોજ પણ છે. એ રીતે એકેન્દ્રિયને વર્જીને વૈમાનિક સુધી કહેવું. એ પ્રમાણે શ્રુતજ્ઞાનના પર્યાયોમાં પણ કહેવું. અવધિજ્ઞાનના પર્યાયોમાં પણ એમ જ છે. માત્ર વિકલેન્દ્રિયને અવધિજ્ઞાન નથી. મન:પર્યવ જ્ઞાનમાં પણ એમ જ છે, માત્ર જીવો અને મનુષ્યો જ કહેવા, બાકીનાને મન:પર્યવજ્ઞાન નથી. ભગવન્કેવળજ્ઞાન પર્યાયથી એક જીવ શું કૃતયુગ્મ છે ? પ્રશ્ન. ગૌતમ ! કૃતયુગ્મ છે, સ્ત્રોજ, દ્વાપરયુગ્મ કે કલ્યોજ નથી. એ પ્રમાણે મનુષ્યમાં અને સિદ્ધમાં પણ જાણવુ. ભગવદ્ ! અનેક જીવોના કેવલજ્ઞાનની પૃચ્છા, ગૌતમ! ઓઘાદેશથી અને વિધાનાદેશથી કૃતયુગ્મ છે, સ્ત્રોજ- દ્વાપરયુગ્મ કે કલ્યોજ નથી. એ પ્રમાણે મનુષ્યોને અને સિદ્ધોને પણ જાણવા. ભગવન્! જીવ, મતિઅજ્ઞાન પર્યવથી શું કૃતયુગ્મ છે ? પ્રશ્ન. જેમ આભિનિબોધિક જ્ઞાનપર્યવમાં કહ્યું, તેમ બે દંડકો કહેવા. એ રીતે શ્રુતઅજ્ઞાન પર્યવોમાં, વિર્ભાગજ્ઞાન પર્યવોમાં પણ કહેવુ. ચક્ષુર્દર્શન, અચક્ષુર્દર્શન, અવધિદર્શના પર્યાયોમાં પણ એમ જ છે. માત્ર છે જેને હોય, તે તેને કહેવું. કેવલદર્શન પર્યાયોમાં કેવલજ્ઞાન પર્યાયવત્ કહેવું. સૂત્ર-૮૮૫, 886 885. ભગવન્! શરીરો કેટલા છે ? ગૌતમ! પાંચ. તે આ - ઔદારિક યાવત્ કામણ. અહીં પન્નવણાનુ પદ૧૨ ‘શરીર પદ’ સંપૂર્ણ કહેવું. 886. ભગવન્! જીવો, સકંપ છે કે નિષ્કપ ? ગૌતમ! બંને. ભગવન્! એમ કેમ કહ્યું - 4.? ગૌતમ! જીવો બે પ્રકારે - સંસારી, અસંસારી. તેમાં જે અસંસારી છે, તેઓ સિદ્ધ છે. આ સિદ્ધો બે ભેદે છે - અનંતરસિદ્ધ અને પરંપર સિદ્ધ. તેમાં જે પરંપરસિદ્ધ છે, તે નિષ્કપ છે, તેમાં જે અનંતરસિદ્ધ છે, તે સકંપ છે. ભગવદ્ ! તે દેશકંપક છે કે સર્વકંપક? ગૌતમ! દેશકંપક નથી, પણ સર્વકંપક છે. તે જીવોમાં સંસારી કહ્યા તે બે ભેદે - શૈલેશી પ્રતિપન્નક અને અશૈલેશી પ્રતિપન્નક. તેમાં જે શૈલેશી પ્રતિપન્નક છે તે નિષ્કપ છે, જે અશૈલેષી પ્રતિપન્નક છે તે સકંપ છે. ભગવદ્ ! તેઓ શું દેશકંપક છે કે સર્વકંપક? ગૌતમ! બંને. તેથી કહ્યું કે યાવત્ નિષ્કપ છે. દેશકંપક છે કે સર્વકંપક ? ગૌતમ! બંને. એમ કેમ કહ્યું - 5-7 ગૌતમ! નૈરયિકો બે ભેદે - વિગ્રહગતિ સમાપન્નક અને અવિગ્રહગતિ સમાપન્નક. તેમાં જે વિગ્રહગતિ સમાપન્નક છે તે સર્વકંપક છે અને જે અવિગ્રહગતિ સમાપન્નક છે, તે દેશકંપક છે. તેથી એમ કહ્યું કે યાવત્ સર્વકંપક છે. આ પ્રમાણે વૈમાનિક સુધી કહેવું. સૂત્ર-૮૮૭ ભગવદ્ ! પરમાણુ પુદ્ગલ શું સંખ્યાતા, અસંખ્યાતા કે અનંતા છે? ગૌતમ! સંખ્યાતા, અસંખ્યાતા નથી, પણ અનંતા છે. એ પ્રમાણે યાવતુ અનંતપ્રદેશી ઢંધ કહેવા. ભગવદ્ ! એક પ્રદેશાવગાઢ પુદ્ગલો શું સંખ્યાતા. અસંખ્યાતા કે અનંતા છે ? પૂર્વવત્. એ રીતે યાવત્ અસંખ્યાત પ્રદેશાવગાઢ પુદ્ગલો સુધી કહેવું.. ભગવન્! એક સમય સ્થિતિક પુદ્ગલો શું સંખ્યાતા છે ? પૂર્વવતુ. આ પ્રમાણે અસંખ્યય સમયસ્થિતિક સુધી જાણવુ. ભગવદ્ ! એક ગુણ કાળા પુદ્ગલો શું સંખ્યાત છે? પૂર્વવત્ એ પ્રમાણે યાવત્ અનંતગુણકાળા જાણવા. એ રીતે બાકીના પણ વર્ણ-ગંધ-રસ-સ્પર્શ જાણવા યાવત્ અનંતગુણ રૂક્ષ પુદ્ગલો.. ભગવન્! આ પરમાણુ પુદ્ગલ અને દ્વિપ્રદેશી સ્કંધ દ્રવ્યાર્થતાથી કોણ કોનાથી અલ્પ, વધુ, તુલ્ય કે વિશેષાધિક છે? ગૌતમ! દ્વિપ્રદેશી ઢંધ કરતા પરમાણુ પુદ્ગલ દ્રવ્યાર્થતાથી ઘણા છે. ભગવદ્ ! આ દ્વિપ્રદેશી અને ત્રિપ્રદેશી સ્કંધમાં દ્રવ્યાર્થતાથી કોણ કોનાથી વધુ છે? ગૌતમ! ત્રિપ્રદેશીસ્કંધથી દ્વિપ્રદેશીસ્કંધ દ્રવ્યાર્થપણે વધુ છે. એ રીતે આ આલાવા વડે યાવતુ દશપ્રદેશી ઢંધથી નવપ્રદેશી સ્કંધ દ્રવ્યાર્થતાથી વધુ છે. ભગવન્! દશપ્રદેશીની પૃચ્છા - ગૌતમ! દશપ્રદેશીથી સંખ્યાતપ્રદેશી ઢંધ દ્રવ્યાર્થતાથી. મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 174