________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' આયુકર્મના અબંધક જીવો વિશેષાધિક છે. ભગવદ્ ! તે એમ જ છે, એમ જ છે. શતક-૨૫, ઉદ્દેશો-૪ “યુગ્મ” સૂત્ર-૮૮૧ ભગવદ્ ! યુગ્મ કેટલા છે? ગૌતમ! ચાર. તે આ - કૃતયુગ્મ યાવત્ કલ્યોજ. એવું કેમ કહ્યું કે ચાર યુગ્મો છે? જેમ શતક-૧૮ના ઉદ્દેશા-૪માં કહ્યું તેમ કહેવું. યાવત્ તેથી ગૌતમ ! એમ કહ્યું છે. ભગવન્! નૈરયિકોને કેટલા યુગ્મો કહ્યા છે ? ગૌતમ ! ચાર. તે આ -કૃતયુગ્મ યાવત્ કલ્યો. એમ કેમ કહ્યું? પૂર્વવત્ જાણવુ. એ પ્રમાણે યાવત્ વાયુકાયિક કહેવું. ભગવન્! વનસ્પતિકાયિકની પૃચ્છા. ગૌતમ! વનસ્પતિકાયિક કદાચ કૃતયુગ્મ યાવત્ કદાચ કલ્યોજ છે. ભગવન્એમ કેમ કહ્યું? ગૌતમ! ઉપપાતને આશ્રીને, આ પ્રમાણે કહ્યું કે વનસ્પતિકાય યાવતુ કદાચ કલ્યોજ છે. બેઇન્દ્રિયો નૈરયિકવત્ છે. એ રીતે યાવત્ વૈમાનિક કહેવું. સિદ્ધોનું કથન વનસ્પતિકાયિક માફક કરવું. ભગવન ! સર્વ દ્રવ્યો કેટલા ભેદે છે? ગૌતમ! છ પ્રકારે. તે આ - ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય યાવતુ અદ્ધાસમય. ભગવદ્ ! ધર્માસ્તિકાય દ્રવ્યાર્થતાથી શું કૃતયુગ્મ યાવત્ કલ્યોજ છે? ગૌતમ! તે કૃતયુગ્મ - વ્યોજ - દ્વાપરયુગ્મ નથી, પણ કલ્યોજ છે, આ પ્રમાણે અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય પણ કહેવા. ભગવન્જીવાસ્તિકાયની પૃચ્છા. ગૌતમ! કૃતયુગ્મ છે, પણ તે ચોજ, દ્વાપરયુગ્મ કે કલ્યોજ નથી. પુદ્ગલાસ્તિકાયની પૃચ્છા. ગૌતમ! કદાચ કૃતયુગ્મ યાવત્ કદાચ કલ્યોજ. અદ્ધાસમય જીવ માફક છે. ભગવન્! ધર્માસ્તિકાય પ્રદેશાર્થતાથી કૃતયુગ્મ છે ? પૃચ્છા. ગૌતમ! કૃતયુગ્મ છે. વ્યાજ, દ્વાપરયુગ્મ, કલ્યોજ નથી. એ રીતે અદ્ધાસમય સુધી. ભગવન્! આ ધર્માસ્તિકાય યાવત્ અદ્ધાસમયમાં દ્રવ્યાર્થતાથી યાવત કોણ કોનાથી વિશેષાધિક છે ? આનું અલ્પબદુત્વ ‘બહુવક્તવ્યતા' પદ મુજબ સંપૂર્ણ કહેવું. ભગવન્! ધર્માસ્તિકાય શું અવગાઢ છે કે અનાવગાઢ? ગૌતમ! અવગાઢ છે, અનાવગાઢ નથી. જો અવગાઢ છે, તો શું સંખ્યાત પ્રદેશાવગાઢ, અસંખ્ય પ્રદેશાવગાઢ છે કે અનંતપ્રદેશાવગાઢ ? ગૌતમ ! સંખ્યાત કે અનંતા પ્રદેશાવગાઢ નથી પણ અસંખ્ય પ્રદેશાવગાઢ છે. જો અસંખ્ય પ્રદેશાવગાઢ છે, તો શું કૃતયુગ્મ પ્રદેશાવગાઢ૦ પ્રશ્ન ? ગૌતમ ! કૃતયુગ્મ પ્રદેશાવગાઢ છે, ચોજ, દ્વાપરયુગ્મ કે કલ્યોજ પ્રદેશાવગાઢ નથી. આ પ્રમાણે અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય, અદ્ધાસમય છે. ભગવન્! આ રત્નપ્રભા પૃથ્વી શું અવગાઢ છે, અનાવગાઢ છે ? ધર્માસ્તિકાય મુજબ કહેવું. અધઃસપ્તમી સુધી આમ કહેવું. સૌધર્મમાં આ પ્રમાણે કહેવું. એ પ્રમાણે ઇષત્ પ્રાભારા પૃથ્વી સુધી કહેવું. સૂત્ર-૮૮૨ દ્રવ્યાર્થતાથી જીવ શું કૃતયુમ છે ? પૃચ્છા. ગૌતમ! કૃતયુમ-ભ્યોજ- દ્વાપરયુગ્મ નથી, પણ કલ્યોજ છે. એ રીતે નૈરયિકથી સિદ્ધ સુધી કહેવું. ભગવદ્ ! જીવો દ્રવ્યાર્થરૂપે શું કૃતયુગ્મ છે ? પૃચ્છા. ગૌતમ! ઓઘાદેશથી કૃતયુગ્મ છે, પણ ચોક, દ્વાપરયુગ્મ કે કલ્યોજ નથી. વિધાનાદેશથી કૃતયુગ્મ, સ્ત્રોજ, દ્વાપરયુગ્મ નથી, કલ્યોજ છે. ભગવન્! નૈરયિકો દ્વવ્યાર્થપણે પૃચ્છા.ગૌતમ! ઓઘાદેશથી કદાચ કૃતયુગ્મ યાવત્ કલ્યોજ, વિધાનાદેશથી કૃતયુમ - ચોજ - દ્વાપરયુગ્મ નથી, પણ કલ્યોજ છે. આ પ્રમાણે સિદ્ધ સુધી કહેવું. મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 172