________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' તે જ પોતાની જઘન્ય કાલ સ્થિતિક, જઘન્યથી અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટથી પૂર્વકોડી આયુવાળામાં ઉપજે. ભગવદ્ તે જીવો. બાકી બધું જેમ આ પૃથ્વીકાયિકમાં ઉત્પન્ન થનારને મધ્યના ત્રણ ગમતમાં છે, તેમ અહીં પણ મધ્યમ ત્રણ ગમકોમાં કહેવું યાવતુ અનુબંધ. ભવાદેશથી જઘન્યથી બે ભવ, ઉત્કૃષ્ટથી આઠ ભવગ્રહણ. કાલાદેશથી જઘન્યા બે અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટથી ચાર અંતર્મુહૂર્ત અધિક ચાર પૂર્વકોડી. તે જ જઘન્યકાલ સ્થિતિમાં ઉત્પન્ન હોય, આ જ વક્તવ્યતા. વિશેષ એ કે - કાલાદેશથી જઘન્ય બે અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ આઠ અંતર્મુહૂર્ત. તે જ ઉત્કૃષ્ટ કાળ સ્થિતિકમાં ઉત્પન્ન જઘન્ય પૂર્વ કોડી આયુષ્કમાં, ઉત્કૃષ્ટથી પણ તેમજ ઉપજે. આ જ વક્તવ્યતા છે. વિશેષ એ કે -કાલાદેશથી જાણી લેવુ. તે જ પોતાની ઉત્કૃષ્ટ કાળસ્થિતિમાં જન્મે, તો સંપૂર્ણ પ્રથમ ગમક વક્તવ્યતા કહેવી. વિશેષ એ કે - સ્થિતિ, જઘન્ય પૂર્વકોડી ઉત્કૃષ્ટ પણ પૂર્વકોડી. બાકી પૂર્વવત્. કાલાદેશથી જઘન્યા અંતર્મુહૂર્ત અધિક પૂર્વકોડી, ઉત્કૃષ્ટથી પૂર્વકોડી પૃથત્વ અધિક પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ. તે જ જઘન્યકાળ સ્થિતિકમાં ઉપજે તો આ જ વક્તવ્યતા, જેમ સાતમાં ગમકમાં છે. માત્ર કાલાદેશથી જઘન્યા અંતર્મુહૂર્ત અધિક પૂર્વકોડી, ઉત્કૃષ્ટથી ચાર અંતર્મુહૂર્ત અધિક ચાર પૂર્વકોડી. તે જ ઉત્કૃષ્ટ સ્થિતિકમાં ઉત્પન્ન હોય તો જઘન્યથી અને ઉત્કૃષ્ટથી પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ. એ પ્રમાણે જેમ રત્નપ્રભામાં ઉત્પન્ન થનાર અસંજ્ઞીના નવ ગમક છે, તેમ સંપૂર્ણ કહેવા યાવત્ કાલાદેશ. વિશેષ એ- પરિણામ જેમ આના જ ત્રીજા ગમમાં છે તેમ. જો સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિકમાં ઉપજે તો શું સંખ્યાત વર્ષાયુ કે અસંખ્યાત ? ગૌતમ ! સંખ્યાત અસંખ્યાત નહીં. જો સંખ્યાત યાવત્ શું પર્યાપ્ત સંખ્યાત કે અસંખ્યાતમાં ? બંનેમાં ઉપજે. સંખ્યાત વર્ષાયુ સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિક જે પંચેન્દ્રિય તિર્યંચયોનિમાં ઉત્પન્ન થવા યોગ્ય હોય, તે કેટલી સ્થિતિમાં ઉપજ ? ગૌતમ ! જઘન્યથી અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટી ત્રણ પલ્યોપમ સ્થિતિમાં ઉપજે. ભગવદ્ ! તે બાકીનું જેમ આના સંજ્ઞીના રત્નપ્રભામાં ઉત્પન્ન થનાર પહેલા ગમક માફક કહેવું. માત્ર અવગાહના જઘન્યથી અંગુલનો અસંખ્યાત ભાગ, ઉત્કૃષ્ટી 1000 યોજન, બાકી પૂર્વવત્ યાવત્ ભવાદેશ. કાલાદેશથી જઘન્યથી બે અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટી ત્રણ પલ્યોપમ અને પૂર્વકોડી પૃથત્વ અધિક કાળ રહે. તે જ જઘન્યકાળ સ્થિતિમાં ઉત્પન્ન થાય, આ જ વક્તવ્યતા, વિશેષ એ કે - કાલાદેશથી જઘન્યથી બે અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટથી ચાર પૂર્વકોડી અને ચાર અંતર્મુહુર્ત અધિક છે. તે જ ઉત્કૃષ્ટ કાળસ્થિતિમાં - જઘન્ય ત્રણ પલ્યોપમ સ્થિતિમાં ઉત્પન્ન થાય. ઉત્કૃષ્ટ પણ તે જ છે. આ જ વક્તવ્યતા છે. વિશેષ એ કે પરિમાણ જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટ સંખ્યાતા ઉત્પન્ન થાય. અવગાહના જઘન્યથી અંગુલનો અસંખ્યાત ભાગ, ઉત્કૃષ્ટથી 1000 યોજન. બાકી પૂર્વવત્ યાવતુ અનુબંધ. ભવાદેશથી બે ભવ, કાલાદેશથી જઘન્યા અંતર્મહત્ત્વ અધિક ત્રણ પલ્યોપમ ઉત્કૃષ્ટથી ત્રણ પલ્યોપમ અને પૂર્વકોડી અધિક. તે જ સ્વયં જઘન્યકાળ સ્થિતિક જન્મે તો જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ પૂર્વકોડી આયુવાળામાં જન્મ, લબ્ધિ - આના સંજ્ઞી પંચેન્દ્રિયના પૃથ્વીકાયિકના ઉત્પન્ન થનારના મધ્યમ ત્રણ ગમકમાં છે તેમ અહીં પણ મધ્યના ત્રણ ગમકોમાં કહેવી. સંવેધ - અસંજ્ઞી મધ્યમ ત્રણ ગમકમાં છે. તે જ સ્વયં ઉત્કૃષ્ટ કાલ સ્થિતિમાં જન્મે તો પ્રથમ ગમક મુજબ કહેવું. વિશેષ આ - સ્થિતિ, અનુબંધ જઘન્ય અને ઉત્કૃષ્ટ પૂર્વકોડી. કાલાદેશથી જઘન્યા અંતર્મુહૂર્ત અધિક પૂર્વકોડી. ઉત્કૃષ્ટી ત્રણ પલ્યોપમ અને પૂર્વકોડી પૃથત્વ અધિક. તે જ જઘન્યકાળ સ્થિતિમાં ઉત્પન્ન હોય તો આ જ વક્તવ્યતા. માત્ર કાલાદેશથી જઘન્યા પૂર્વકોડી અંતર્મુહૂર્ત અધિક ઉત્કૃષ્ટથી ચાર અંતર્મહર્ત અધિક ચાર પૂર્વકોડી. તે જ ઉત્કૃષ્ટકાળ સ્થિતિમાં ઉત્પન્ન હોય તો જઘન્ય અને ઉત્કૃષ્ટ બંને પલ્યોપમ સ્થિતિ, બાકી પૂર્વવતું. માત્ર પરિમાણ, અવગાહના આના ત્રીજા ગમત મુજબ છે. ભવાદેશથી બે ભવગ્રહણ. કાલાદેશથી જઘન્યા પૂર્વકોડી અધિક ત્રણ પલ્યોપમ, ઉત્કૃષ્ટથી પણ તેમજ રહે. મુનિ દીપરત્નસાગર કૃત્ “(ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 157