________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' તે જ સ્વયં જઘન્યકાલ સ્થિતિક ઉત્પન્ન થયો હોય તો જઘન્ય 10,000 વર્ષ સ્થિતિમાં, ઉત્કૃષ્ટી સાતિરેક પૂર્વકોડી આયુ ઉપજે. ભગવદ્ ! તેo? બાકી પૂર્વવત્ યાવત્ ભવાદેશ, વિશેષ-અવાગહના જઘન્યથી ધનુષ પૃથત્વ-ઉત્કૃષ્ટથી સાતિરેક 1000 ધનુષ. સ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટથી પણ સાતિરેક પૂર્વકોડી આ પ્રમાણે અનુબંધ પણ છે. કાલાદેશ વડે જઘન્ય થી સાતિરેક પૂર્વકોડી-૧૦,૦૦૦ વર્ષ અધિક, ઉત્કૃષ્ટથી સાતિરેક બે પૂર્વકોડી એટલો કાળ રહે. તે સ્વયં જઘન્યકાળ સ્થિતિમાં ઉપજે તો આ જ વક્તવ્યતા. માત્ર અસુરકુમારની સ્થિતિ અને સંવેધ જાણી. લેવો. તે જ ઉત્કૃષ્ટ કાળસ્થિતિમાં ઉત્પન્ન થાય તો જઘન્ય અને ઉત્કૃષ્ટથી સાતિરેક પૂર્વકોડી આયુમાં ઉત્પન્ન થાય તો પૂર્વવત્, વિશેષ -કાલાદેશથી જઘન્ય અને ઉત્કૃષ્ટ પણ સાતિરેક બે પૂર્વકોડી, આટલો કાળ રહે. તે જ સ્વયં ઉત્કૃષ્ટ કાલસ્થિતિક જન્મે તો પહેલા નમક મુજબ કહેવું. માત્ર સ્થિતિ જઘન્યથી-ઉત્કૃષ્ટથી ત્રણ પલ્યોપમ, એ પ્રમાણે અનુબંધ પણ છે, કાલાદેશથી જઘન્ય ત્રણ પલ્યોપમ-૧૦,૦૦૦ વર્ષ અધિક અને ઉત્કૃષ્ટથી છ પલ્યોપમ છે. તે જ જઘન્યકાલ સ્થિતિક ઉત્પન્ન. આ જ વક્તવ્યતા. વિશેષ એ કે - અસુરકુમારની સ્થિતિ અને સંવેધ જાણવો જોઈએ. તે જ ઉત્કૃષ્ટ કાળ સ્થિતિક ઉત્પન્ન જઘન્યથી અને ઉત્કૃષ્ટથી ત્રણ પલ્યોપમ એ જ વક્તવ્યતા કહેવી. વિશેષ - કાલાદેશથી જઘન્યથી છ પલ્યોપમ એટલો કાળ જ રહે. જો સંખ્યાત વર્ષાયુષ્ક સંજ્ઞી પંચેન્દ્રિય યાવત્ ઉપજે, તો શું જલચર એ પ્રમાણે યાવત્ પર્યાપ્તા સંખ્યાતા વર્ષાયુ સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિક, જે અસુરકુમારપણે ઉત્પન્ન થવા યોગ્ય હોય, તે ભગવન્! કેટલા કાળની સ્થિતિમાં ઉપજ ? ગૌતમ! જઘન્ય 10,000 વર્ષની સ્થિતિમાં, ઉત્કૃષ્ટ સાતિરેક સાગરોપમ સ્થિતિમાં ઉપજે. ભગવદ્ ! તે જીવો એકસમયમાં એ રીતે એમના રત્નપ્રભા પૃથ્વીના ગમક સમાન જાણવુ. વિશેષ - જે સ્વયં જઘન્યકાળ સ્થિતિક હોય છે, તેમને ત્રણે ગમમાં આટલું વિશેષ છે - ચાર વેશ્યા, અધ્યવસાય પ્રશસ્ત અને અપ્રશસ્ત, બાકી પૂર્વવત્ સંવેધ સાતિરેક સાગરોપમ કહેવો. જો મનુષ્યથી આવીને ઉપજે તો શું સંજ્ઞી મનુષ્યથી આવે કે અસંજ્ઞી મનુષ્યથી? ગૌતમ! સંજ્ઞી મનુષ્યથી, અસંજ્ઞી મનુષ્યથી નહીં. જો મનુષ્યથી આવીને ઉપજે તો શું સંખ્યાત વર્ષાયુષ્ક સંજ્ઞી મનુષ્યથી આવીને ઉપજે કે અસંખ્યાત વર્ષાયુષ્કoથી? ગૌતમ! સંખ્યાત વર્ષાયુષ્કથી યાવત્ ઉપજે. અસંખ્યાત વર્ષાયુષ્કથી આવીને પણ ઉપજે. ભગવદ્ ! અસંખ્યાત વર્ષાયુષ્ક સંજ્ઞી મનુષ્ય, જે અસુરકુમારમાં ઉત્પન્ન થવા યોગ્ય હોય, ભગવન્! તે કેટલી. કાળ સ્થિતિમાં ઉપજ ? ગૌતમ! જઘન્ય 10,000 વર્ષ, ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમ સ્થિતિમાં ઉપજે. આ પ્રમાણે અસંખ્ય વર્ષાયુષ્ક તિર્યંચયોનિક સમાન પહેલા ત્રણ ગમો જાણવા. માત્ર શરીરવગાહના પહેલા-બીજા ગમામાં જઘન્ય સાતિરેક 500 ધનુષ અને ઉત્કૃષ્ટ ત્રણ ગાઉ. બાકી પૂર્વવત્. ત્રીજા ગમમાં જઘન્ય અને ઉત્કૃષ્ટથી પણ ત્રણ ગાઉં. બાકી તિર્યંચયોનિક મુજબ જાણવુ. તે જ સ્વયં જઘન્ય કાલ સ્થિતિક ઉત્પન્ન થાય, તેને પણ જઘન્ય કાળ સ્થિતિક તિર્યંચયોનિક સમાન ત્રણ ગમો કહેવો. વિશેષ શરીર અવગાહના ત્રણે ગમમાં જઘન્ય અને ઉત્કૃષ્ટ પણ સાતિરેક 500 ધનુષ છે. બાકી પૂર્વવત્. તે જ સ્વયં ઉત્કૃષ્ટકાળ સ્થિતિક જન્મ, તેને તે જ પાછલા ત્રણ ગમકો કહેવા. માત્ર શરીરાવગાહના ત્રણે ગમોમાં જઘન્ય અને ઉત્કૃષ્ટ પણ ત્રણ ગાઉ, બાકી પૂર્વવતુ. જો સંખ્યાત વર્ષાયુવાળા સંજ્ઞી મનુષ્યથી આવીને ઉપજે તો શું પર્યાપ્ત સંખ્યાત વર્ષાયુષ્ક કે અપર્યાપ્ત સંખ્યાતા વર્ષાયુષ્ક? ગૌતમ! પર્યાપ્ત સંખ્યાતoથી, અપર્યાપ્ત સંખ્યાતથી નહીં. ભગવન્! પર્યાપ્ત સંખ્યાત વર્ષાયુષ્ક સંજ્ઞી મનુષ્ય જે અસુરકુમારપણે ઉત્પન્ન થવા યોગ્ય હોય, તે ભગવદ્ ! કેટલા કાળની સ્થિતિથી ઉપજે? ગૌતમ! જઘન્ય 10,000 વર્ષની સ્થિતિમાં, ઉત્કૃષ્ટ સાતિરેક સાગરોપમ સ્થિતિકમાં ઉપજે, ભગવન ! જે જીવો જેમ રત્નપ્રભામાં ઉત્પન્ન થનારના નવ ગમો કહ્યા, તેમ અહીં પણ નવ ગમો કહેવા. માત્ર સંવેધ સાતિરેક સાગરોપમથી કરવો. બાકી પૂર્વવતુ. ભગવન્! તેમ જ છે. મુનિ દીપરત્નસાગર કૃત્ “(ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 148