________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' છે, વેદ ત્રણે છે. બાકી પૂર્વવત્ યાવત્ ભગવદ્ ! તે પર્યાપ્ત સંખ્યાત વર્ષાયુષ્ક યાવત્ તિર્યંચયોનિક રત્નપ્રભાવ યાવત્ કરે? ગૌતમ! ભવાદેશથી જઘન્ય બે ભવ, ઉત્કૃષ્ટથી આઠ ભવ ગ્રહણ વડે. કાલાદેશથી જઘન્યથી અંતર્મુહૂર્ત અધિક 10,000 વર્ષ, ઉત્કૃષ્ટથી ચાર પૂર્વકોડી અધિક ચાર સાગરોપમ, આટલો કાળ રહે યાવત્ કરે. 2. પર્યાપ્તા સંખ્યાત યાવત્ જઘન્ય કાળ ભવિક યાવતુ તે હે ભગવન્! કેટલી કાળ સ્થિતિમાં ઉપજે? ગૌતમ! જઘન્ય અને ઉત્કૃષ્ટ બંને 10,000 વર્ષ સ્થિતિમાં યાવતુ ઉપજે. ભગવન્! તે જીવો એ પ્રમાણે પહેલા ગમ મુજબ નિરવશેષ કહેવું યાવત્ કાલાદેશથી - 1. યાવત્ કરે. 3. તે જ ઉત્કૃષ્ટ કાળ સ્થિતિમાં ઉત્પન્ન થાય તો જઘન્ય સાગરોપમ સ્થિતિમાં, ઉત્કૃષ્ટ પણ તેમજ ઉપજે. બાકી પરિમાણાદિથી ભવાદેશ પર્યન્ત બધુ પહેલા ગામ પ્રમાણે જાણવુ - - - 4. ભગવદ્ ! જઘન્યકાલ સ્થિતિક પર્યાપ્ત સંખ્યાત વર્ષ આયુષ્ક સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિક જે રત્નપ્રભા પૃથ્વીમાં યાવત્ ઉત્પન્ન થવાયોગ્ય છે, તે કેટલા કાળ સ્થિતિમાં ઉપજ ? ગૌતમ ! જઘન્ય 10,000 વર્ષ, ઉત્કૃષ્ટ સાગરોપમ. ભગવન્! તે જીવો. બાકી પહેલા ગમ મુજબ. વિશેષ આ - આ આઠમાં વિશેષતા છે. શરીરાવગાહના જઘન્યથી અંગુલનો અસંખ્યાત ભાગ, ઉત્કૃષ્ટ ધનુષ પૃથક્વ. લેશ્યા - પહેલી ત્રણ, મિથ્યાષ્ટિ, નિયમા બે અજ્ઞાનજ્ઞાની નહીં, પહેલા ત્રણ સમુદ્ઘાત, આયુ, અધ્યવસાય, અનુબંધ ત્રણે અસંજ્ઞી મુજબ, બાકી પહેલા ગમ મુજબ. 5. જો તે ઉત્કૃષ્ટ કાળ સ્થિતિમાં ઉપજે, તો જઘન્યથી અને ઉત્કૃષ્ટથી સાગરોપમ સ્થિતિમાં ઉપજે. એ. પ્રમાણે ચોથો ગમ સંપૂર્ણ કહેવો. 6. ભગવદ્ ! ઉત્કૃષ્ટ કાળસ્થિતિક પર્યાપ્ત સંખ્યાત વર્ષાયુવાળા યાવત્. તિર્યંચયોનિક, જે રત્નપ્રભા પૃથ્વી નૈરયિકમાં ઉત્પન્ન થવા યોગ્ય હોય, ભગવન્! તે કેટલા કાળની સ્થિતિમાં ઉપજે ? ગૌતમ ! જઘન્ય 10,000 વર્ષ, ઉત્કૃષ્ટ સાગરોપમ સ્થિતિમાં ઉપજે. ભગવન્! તે જીવોના પરિમાણાદિથી ભવાદેશ પર્યન્ત પહેલા ગમ મુજબ જાણવું. માત્ર સ્થિતિ જઘન્યથી પૂર્વકોડી, ઉત્કૃષ્ટથી પણ પૂર્વકોડી. એ પ્રમાણે અનુબંધ પણ. બાકી પૂર્વવત્ કાલાદેશથી જઘન્યથી 10,000 વર્ષ અધિક પૂર્વકોડી આદિ - 8. 7. જો તે જઘન્ય કાળ સ્થિતિમાં ઉત્પન્ન થઈ જઘન્ય કે ઉત્કૃષ્ટ બંને 10,000 વર્ષ સ્થિતિમાં ઉત્પન્ન થાય તો હે ભગવન્ ! તે જીવો સાતમા ગમ મુજબ સંપૂર્ણ કહેવા યાવત્ ભવાદેશ પણ યાવત્ કાલાદેશથી - x 8. ઉત્કૃષ્ટ કાળ સ્થિતિક પર્યાપ્ત યાવત્ તિર્યંચયોનિકમાં હે ભગવન્! જે ઉત્કૃષ્ટ કાળ સ્થિતિક યાવતુ ઉત્પન્ન થવા યોગ્ય છે, તે ભગવન્! કેટલા કાળ સ્થિતિમાં ઉત્પન્ન થાય? ગૌતમ! જઘન્યથી અને ઉત્કૃષ્ટથી પણ સાગરોપમ સ્થિતિમાં ઉપજે. ભગવન્! તે જીવો સાતમા ગમ મુજબ સંપૂર્ણ કહેવા યાવત્ ભવાદેશથી યાવત્ કાલાદેશથી - 4. આ પ્રમાણે આ નવ ગમ છે. તેના ઉલ્લેપ-નિક્ષેપ નવેમાં અસંજ્ઞી માફક કહેવા. સૂત્ર-૮૪૦ 1. ભગવદ્ ! પર્યાપ્તા સંખ્યાત વર્ષાયુષ્ક સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિક, જે શર્કરામભા પૃથ્વી નૈરયિકમાં ઉત્પન્ન થવા યોગ્ય હોય તે કેટલા કાળની સ્થિતિમાં ઉત્પન્ન થાય ? ગૌતમ! જઘન્યથી સાગરોપમ અને ઉત્કૃષ્ટથી ત્રણ સાગરોપમ સ્થિતિમાં ઉપજે. ભગવન તે જીવો એક સમયમાં એ પ્રમાણે રત્નપ્રભામાં ઉત્પન્ન થવાના ગમની માફક સમગ્ર વક્તવ્યતા કહેવી. યાવત્ ભવાદેશ તથા કાલાદેશથી જઘન્યથી અંતર્મુહર્ત અધિક સાગરોપમ, ઉત્કૃષ્ટથી ચાર પૂર્વકોડી અધિક બાર સાગરોપમ, આટલો કાળ યાવતું ગમનાગમન કરે. 2. એ પ્રમાણે રત્નપ્રભા પૃથ્વી ગમ સમાન નવે ગમો કહેવા. વિશેષ એ કે - બધા ગમોમા નૈરયિક સ્થિતિ અને સંવેધમાં સાગરોપમ કહેવું. આ પ્રમાણે છઠ્ઠી પૃથ્વી સુધી કહેવું. વિશેષ એ કે - નૈરયિક સ્થિતિ જે જે પૃથ્વીમાં જઘન્ય-ઉત્કૃષ્ટ હોય તેને ચાર ગણી કરવી. જેમ કે. વાલુકાપ્રભામાં 28 સાગરોપમ, એ ચારગણી થાય. પંકપ્રભામાં જ, ધૂમપ્રભામાં-૬૮, તમામાં-૮૮, સંઘયણોમાં વાલુકાપ્રભામાં પાંચ સંઘયણી, વજઋભનારાચ યાવત્ કીલિકા. પંકપ્રભામાં ચાર સંઘયણી, ધૂમપ્રભામાં ત્રણ સંઘયણી, તમામા બે સંઘયણી - વજઋષભનારાજ અને ઋષભ મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 144