________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' પ્રાશ્મારા પૃથ્વીના અંતરમાં મરણ સમુદ્યાત કરીને યાવત્ અધઃસપ્તમીના ઘનોદધિ વલયમાં ઉત્પાદ કહેવો. 791. ભગવદ્ ! વાયુકાયિક, આ રત્નપ્રભા પૃથ્વી અને શર્કરામભા પૃથ્વીના અંતરમાં મરણ સમુદ્ઘાતથી મરીને જે સૌધર્મકલ્પમાં વાયુકાયિકપણે ઉત્પન્ન થવાને યોગ્ય હોય. એ પ્રમાણે જેમ શતક-૧૭માં વાયુકાયિક ઉદ્દેશકમાં કહ્યું, તેમ અહીં પણ કહેવું. વિશેષ એ કે - અંતરમાં સમુદ્યાત જાણવો. બાકી પૂર્વવત્ યાવત્ અનુત્તર વિમાન અને ઈષત્ પ્રામ્ભારા પૃથ્વીના અંતરમાં મરણ સમુદ્ઘાતથી સમવહત થઈને જે ઘનવાત-તનુવાત, ઘનવાત તનુવાત વલયોમાં વાયુકાયિકપણે ઉત્પન્ન થવા યોગ્ય હોય. બાકી પૂર્વવત્ જાણવુ. યાવત્ તેથી એમ કહેવું યાવત્ ઉત્પન્ન થાય છે. ભગવદ્ ! આપ કહો છો, તે એમ જ છે, તે એમ જ છે. શતક-૨૦, ઉદ્દેશા-૬નો ગુજરાતી અનુવાદ પૂર્ણ શતક-૨૦, ઉદ્દેશો-૭ બંધ’ સૂત્ર-૭૯૨ ભગવન્! બંધ કેટલા ભેદે છે? ગૌતમ ! ત્રણ ભેદે. તે આ જીવ પ્રયોગબંધ, અનંતર પ્રયોગબંધ, પરંપરબંધ. ભગવન્! નૈરયિકને કેટલા ભેદે બંધ છે? પૂર્વવત્ ત્રણ પ્રકારે. એ પ્રમાણે વૈમાનિક સુધી કહેવું. ભગવન્જ્ઞાનાવરણીય કર્મનો બંધ કેટલા પ્રકારે છે? ગૌતમ ! બંધ ત્રણ ભેદે છે. તે આ - જીવપ્રયોગબંધ, અનંતરબંધ, પરંપરબંધ. ભગવન ! નૈરયિકોને જ્ઞાનાવરણીય કર્મનો બંધ કેટલા ભેદે છે ? પૂર્વવતુ ત્રણ પ્રકારે કહેવું. એ પ્રમાણે યાવત્ વૈમાનિક જાણવું, એ રીતે અંતરાયકર્મ સુધી જાણવું. ભગવદ્ ! જ્ઞાનાવરણીય કર્મના ઉદયમાં કેટલા ભેદે બંધ થાય છે ? ગૌતમ ! ત્રણ ભેદે છે. પૂર્વવતું. આ પ્રમાણે નૈરયિકોને પણ કહેવુ. એ રીતે વૈમાનિક સુધી કહેવુ. એ રીતે યાવત્ અંતરાય ઉદયમાં કહેવુ. ભગવન્! સ્ત્રીવેદનો બંધ કેટલા ભેદે છે? ગૌતમ ! ત્રણ પ્રકારે, બંધ પૂર્વવત્ છે. ભગવદ્ ! અસુરકુમારોને સ્ત્રીવેદનો બંધ કેટલા ભેદે છે ? ગૌતમ ! ત્રણ પ્રકારે પૂર્વવત્ છે. એ પ્રમાણે વૈમાનિક સુધી કહેવું. વિશેષ એ કે - જેને સ્ત્રીવેદ હોય તેને તે કહેવો. એ પ્રમાણે પુરુષવેદમાં પણ કહેવું નપુંસકવેદમાં પણ કહેવું. યાવત્ વૈમાનિકોમાં. વિશેષ એ કે - જેને જે વેદ હોય, તેને તે કહેવો. ભગવન્દર્શન મોહનીય કર્મનો બંધ કેટલા ભેદે છે ? પૂર્વવતુ. નિરંતર યાવત્ વૈમાનિક. એ રીતે ચારિત્ર મોહનીયનો પણ વૈમાનિક પર્યન્ત કહેવો. એ રીતે આ ક્રમે ઔદારિક શરીર યાવત્ કાર્પણ શરીરનો, આહારસંજ્ઞા યાવત્ પરિગ્રહ સંજ્ઞા, કૃષ્ણલેશ્યા યાવત્ શુક્લલેશ્યા, સમ્યગદષ્ટિ, મિથ્યાદષ્ટિ, સમ્યમિથ્યાદષ્ટિમાં, આભિનિબોધિક જ્ઞાનનો યાવત્ કેવળજ્ઞાનનો, મતિએજ્ઞાન, શ્રુતઅજ્ઞાન, વિર્ભાગજ્ઞાનના બંધ પૂર્વવત્ કહેવા. ભગવન્! આ પ્રમાણે આભિનિબોધિકના વિષયનો બંધ કેટલા પ્રકારે છે? યાવત્ કેવળજ્ઞાન વિષયનો, મતિ અજ્ઞાન વિષયનો, શ્રુત અજ્ઞાન વિષયનો, વિર્ભાગજ્ઞાન વિષયનો, આ બધા પદાર્થોનો બંધ ત્રણ ભેદે કહ્યો છે. આ બધાને ચોવીશ દંડકમાં કહેવા. વિશેષ એ કે - જેને જે હોય તે કહેવું યાવત્ વૈમાનિક. ભગવન્! વૈમાનિકને વિર્ભાગજ્ઞાન વિષયનો બંધ કેટલા ભેદે છે? ગૌતમ ! બંધ ત્રણ ભેદે છે- જીવપ્રયોગબંધ, અનંતર બંધ, પરંપર બંધ. ભગવન્! આપ કહો છો, તે એમ જ છે. તે એમ જ છે. યાવત્ વિચરે છે. શતક-૨૦, ઉદ્દેશા-૭નો ગુજરાતી અનુવાદ પૂર્ણ શતક-૨૦, ઉદ્દેશો-૮ ભૂમિ સૂત્ર-૭૯૩ થી 800 793. ભગવદ્ ! કર્મભૂમિ કેટલી છે? ગૌતમ ! પંદર છે. તે આ પાંચ ભરત, પાંચ ઐરાવત, પાંચ મહાવિદેહ. મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 130