________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' વિવેક ઔત્પાતિકી યાવત્ પારિણામિકી બુદ્ધિ, અવગ્રહ યાવત્ ધારણા, ઉત્થાન-કર્મ-બળ-વીર્ય-પુરુષાકાર પરાક્રમ, નૈરયિકત્વ, અસુરકુમારત્વ યાવત્ વૈમાનિકત્વ, જ્ઞાનાવરણીય યાવત્ અંતરાય, કૃષ્ણલેશ્યા યાવત્ શુક્લલેશ્યા, સમ્યદૃષ્ટિ આદિ ત્રણ, ચક્ષુદર્શનાદિ ચાર, આભિનિબોધિક જ્ઞાન યાવત્ વિભૃગજ્ઞાન, આહારસંજ્ઞા આદિ ચાર, ઔદારિકાદિ પાંચ શરીર, મન આદિ ત્રણ યોગ, સાકારોપયોગ - અનાકારોપયોગ, જે આ કે આવા, તે બધા આત્મા સિવાય બીજ પરિણમન કરતા નથી. હા, ગૌતમ! યાવત્ - x-તે પરિણમતા નથી. સૂત્ર-૭૮૪ ભગવન્! જીવ, ગર્ભમાં ઉત્પન્ન થતા કેટલા વર્ણ, ગંધ, રસ, સ્પર્શના પરિણામો હોય ? ગૌતમ ! એ પ્રમાણે શતક-૧૨-ના ઉદ્દેશક-૫-મુજબ જાણવું યાવતુ કર્મથી જગત છે, અકર્મથી વિવિધ ભાવમાં પરિણમતા નથી. ભગવન્! આપ કહો છો, તે એમ જ છે. યાવત્ વિચરે છે. શતક-૨૦, ઉદ્દેશા-૩નો ગુજરાતી અનુવાદ પૂર્ણ શતક-૨૦, ઉદ્દેશો-૪ ઉપચય સૂત્ર-૭૮૫ ભગવદ્ ! ઇન્દ્રિયોપચય કેટલા ભેદે છે ? ગૌતમ ! પાંચ ભેદે. તે આ - શ્રોત્રેન્દ્રિયોપચય એમ બીજો ઇન્દ્રિયોદ્દેશક સંપૂર્ણ કહેવો જેમ પન્નવણાસ્ત્રના પદ-૧૫ માં છે. ભગવન્! આપ કહો છો, તે એમ જ છે એમ કહી ગૌતમ યાવત્ વિચરે છે. શતક-૨૦, ઉદ્દેશા-૪નો ગુજરાતી અનુવાદ પૂર્ણ શતક-૨૦, ઉદ્દેશો-૫ 'પરમાણુ સૂત્ર-૭૮૬ ભગવનું ! પરમાણુ પુદ્ગલ કેટલા વર્ણ-ગંધ-રસ-સ્પર્શવાળો છે ? ગૌતમ ! એક વર્ણ, એક ગંધ, એક રસ. બે સ્પર્શ છે. તે આ પ્રમાણે - જો એક વર્ણવાળો હોય તો - કદાચિત - કાળો, લીલો, લાલ, પીળો કે સફેદ હોય. જો એક ગંધવાળો હોય તો કદાચ સુગંધી, કદાચ દુર્ગન્ધી હોય, જો એક રસવાળો હોય તો કદાચ તિક્ત, કર્ક, કષાય, અમ્લ કે મધુર હોય, જો બે સ્પર્શવાળો હોય તો કદાચ શીત અને સ્નિગ્ધ કે શીત અને રૂક્ષ કે ઉષ્ણ અને સ્નિગ્ધ કે કદાચ ઉષ્ણ અને રૂક્ષ હોય. ભગવન્દ્વિપ્રદેશિક સ્કંધ કેટલા વર્ણાદિનો છે? એ પ્રમાણે જેમ શતક-૧૮, ઉદ્દેશો-૬માં છે, તેમ યાવત્. કદાચ ચાર સ્પર્શવાળો છે. જો એકવર્તી હોય તો કદાચ કાળો યાવત્ કદાચ સફેદ હોય, જો બે વર્મી હોય તો કદાચ કાળો અને લીલો, કદાચ કાળો અને લાલ, કદાચ કાળો અને પીળો, કદાચ કાળો અને સફેદ, કદાચ લીલો અને લાલ, કદાચ લીલો-પીળો, કદાચ લીલો અને સફેદ, કદાચ લાલ અને પીળો, કદાચ લાલ અને સફેદ, કદાચ પીળો અને સફેદ. એ રીતે અહીં ક્રિકસંયોગમાં દશ ભંગો છે. જો એકગંધી હોય તો કદાચ સુરભિગંધ, કદાચ દુરભિગંધ હોય. જો બે ગંધવાળો હોય તો કદાચ સુરભિ અને દુરભિગંધ વાળો હોય. વર્ણની માફક રસના ભંગો કહેવા. જો સ્પર્શ બે હોય તો કદાચ શીત અને સ્નિગ્ધ, એમ જે રીતે પરમાણુ પુદ્ગલમાં કહ્યું તેમ કહેવું. જો ત્રણ સ્પર્શવાળો હોય તો - 1. સર્વ શીત, દેશથી સ્નિગ્ધ, દેશથી રૂક્ષ. 2. સર્વે ઉષ્ણ, દેશથી સ્નિગ્ધ, દેશથી રૂક્ષ. 3. સર્વે સ્નિગ્ધ, દેશથી શીત, દેશથી ઉષ્ણ. 4. સર્વે રૂક્ષ, દેશથી શીત, દેશથી ઉષ્ણ હોય. જો ચાર સ્પર્શવાળો હોય તો દેશથી શીત, દેશથી ઉષ્ણ, દેશથી સ્નિગ્ધ, દેશથી રૂક્ષ, આ રીતે 4 + 4 + 1. મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 122