SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ 024 श्री पञ्चाशक प्रकरण - 1 गुजराती भावानुवाद તે પ્રયત્નનું પ્રતિપાદન કરવા માટે અપ્રમાદ સેવવો જોઈએ એમ ગ્રંથકાર કહે છે : तम्हा णिच्चसतीए, बहुमाणेणंच अहिगयगुणम्मि / पडिवक्खदुगंछाए, परिणइआलोयणेणं च // 36 // 1/36 છાયા :- તક્ષાત્ નિત્યકૃત્ય વમનેન ઉધઋત[m | प्रतिपक्षजुगुप्सया परिणति-आलोचनेन च // 36 // तित्थंकरभत्तीए, सुसाहुजणपज्जुवासणाए य। उत्तरगुणसद्धाए य, एत्थ सया होइ जइयव्वं // 37 // 1/37 છાયા :- તીર્થમવત્યા સુથુગનાર્થપાસનયા | उत्तरगुणश्रद्धया च अत्र सदा भवति यतितव्यम् // 37 // ગાથાર્થ :- તે કારણથી (1) લીધેલા વ્રતનું સદા સ્મરણ કરવું જોઇએ. (2) તેના ઉપર અંતરનું બહુમાન રાખવું જોઇએ. (3) તેનાથી વિરોધી દોષો ઉપર જુગુપ્સાભાવ રાખવો જોઇએ. (4) તેની પરિણતિ અર્થાત્ અનિત્યપણાની વિચારણા કરવી જોઇએ. (5) તીર્થંકરની ભક્તિ કરવી જોઇએ. (6) સુસાધુ ભગવંતોની સેવા કરવી જોઇએ. (7) તેનાથી અધિક ગુણની ઇચ્છા રાખવી જોઇએ. આ રીતે વ્રતના પાલનમાં સદા પ્રયત્ન કરવો જોઇએ. ટીકાર્થ :- ‘તહીં'= તે કારણથી ‘નિશ્વસતિ'= ગ્રહણ કરેલા અણુવ્રતને નિત્ય સ્મરણ કરવા દ્વારા, ‘વામા = અન્તઃકરણના શુભ ભાવ વડે. ‘મણિયTUામિ'= સ્વીકારેલા વ્રતસ્વરૂપ ગુણને વિશે ‘વિવā'= સ્વીકારેલા અહિંસા ગુણોની અપેક્ષાએ વિરોધી એવા હિંસા વગેરે દોષો પ્રતિપક્ષી કહેવાય. તેમની ‘ડુાંછા'= જુગુપ્સા એટલે તેમનો ત્યાગ કરવો અર્થાત્ દ્રવ્યથી અને ભાવથી સ્વયં તેમને નહિ આચરવા વડે અહીં પ્રતિપક્ષી હિંસા આદિનો ત્યાગ કરવો એવો અર્થ પ્રતિપક્ષજુગુપ્સા કરવાનો છે પણ હિંસા આદિની પ્રવૃત્તિ કરનાર માણસોની નિંદા કરવી એવો તેનો અર્થ કરવાનો નથી. કારણ કે પારકી નિંદા કરવી એ પરપરિવાદસ્વરૂપ સોળમું પાપસ્થાનક છે. કષાયનું શુદ્ધિકરણ કરનાર માટે પરનિંદા એ ત્યાજ્ય છે. કહ્યું છે કે જો અન્ય લોકોની નિંદા કરવાથી સાધકના કાર્યો સિદ્ધ થતા હોય તો આલોકમાં સત્ય, શૌચ, બ્રહ્મચર્યાદિ, ગુણોને પામવા કોને આદર થાય ? ‘રિgિમાનોને '= જીવને (તથાભાવ=) દેવ, મનુષ્ય પશુ આદિ તે તે જુદા જુદા સ્વરૂપે બનતા જોઈને તથા અજીવને (તથાભાવ=) સ્તંભ, ઘડો, વસ્ત્ર આદિ તે તે જુદા સ્વરૂપે બનતા જોઇને “પરિપતેઃ '= પર્યાયથી તેમના અનિત્ય પરિણામની વિચારણા કરવી તે. શ્રી અભયદેવસૂરીશ્વરજી મ. ની. ટીકામાં પરિણતિનો અર્થ ‘વિપાક' એવો કર્યો છે. વ્રતપાલનના શુભવિપાકો અને વ્રતભંગના અશુભ વિપાકનો વિચાર કરવો તેને પરિણતિઆલોચન કહ્યું છે. તેના વડે, ‘તિર્થંભી '= જિનેશ્વરદેવની પૂજા કરવાના અતિશય અભિલાષરૂપ તીર્થકરની ભક્તિ વડે, ‘મુસદુગપાપનુવાસMITય'=સદ્દગુરુ આદિની સેવા વડે, ‘ઉત્તરગુહ્નાય'= પોતે પ્રાપ્ત કરેલા ગુણસ્થાનકથી પછીના ઉપરના વધારે ચઢીયાતા, ગુણસ્થાનકને પ્રાપ્ત કરવાની ઇચ્છા વડે ‘પત્થ'= અણુવ્રતપાલનમાં “સા'= હંમેશા ‘રોફ '= પ્રયત્ન કરવો જોઇએ. જે રૂદ્દ / 2/36 રૂ૭ | 2/37
SR No.035330
Book TitlePanchashak Prakaran Gujarati Bhavanuvad
Original Sutra AuthorN/A
AuthorDharmratnavijay
PublisherManav Kalyan Samsthan
Publication Year2019
Total Pages441
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy