SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ 022 श्री पञ्चाशक प्रकरण - 1 गुजराती भावानुवाद પ્રમાણે જણાવવું એ અતિચાર છે. “મરિયર્થ ગ્રેવ'= બીજા દાતાર સંબંધી માત્સર્યથી અર્થાત્ મારા કરતાં નિર્ધન હોવા છતાં પણ તે દાન આપે છે તો હું કેમ ન આપું ? એમ બીજાની ઇર્ષાથી દાન આપવું. આ અતિચારોને ‘વM'= ત્યજે છે. તે રૂ૨ / 2/32 અતિચાર સહિત ચોથું શિક્ષાવ્રત કહેવાયું. હવે પરિશુદ્ધ એવા સર્વ વ્રતોમાં અતિચારનો સંભવ નથી એમ કહે છે : एत्थं पुण अइयारा, णो परिसुद्धेसु होति सव्वेसु / / अक्खंडविरतिभावा वज्जइ सव्वत्थऽओ भणियं // 33 // 1/33 છાયા :- સત્ર પુનતિવારી: 1 પરિશુદ્ધ૬ મવત્તિ સર્વવું | अखण्डविरतिभावाद् वर्जयति सर्वत्र अतो भणितम् // 33 // ગાથાર્થ :- દેશવિરતિના અખંડ પરિણામથી વ્રતો નિર્મળ હોવાથી વ્રતોમાં અતિચારો થતા નથી. આથી અતિચારના વર્ણનમાં સર્વ સ્થાને ‘ત્યાગ કરે છે' એમ કહ્યું છે. ટીકાર્થ:- ‘ઉત્થ'= આ વ્રતોના વિષયમાં ‘પુ મારી'= આગળ કહેવાયેલા અતિચારો ‘પરિફુદ્ધનુ'= ભાવશુદ્ધિથી યુક્ત વ્રતોમાં ‘હરિ'= હોતા ''= નથી. “સબૈ'= બધા જ વ્રતોમાં ‘āવિરતિભાવ'= સંપૂર્ણ દેશવિરતિનો પરિણામ હોવાથી ‘સવ્વસ્થ'= બધા જ વ્રતોમાં ‘વજ્ઞકું'= ત્યજે છે એમ ‘મતો'= આથી ‘મા’= પહેલા કહેવાયું છે. ‘વન્નડ્ડ'ની પછી ‘ત્તિ' શબ્દ અધ્યાહાર સમજવો. તેથી ત્યજે છે એ પ્રમાણે તેનો અર્થ સંગત થાય છે. 37ll1/33 આ પ્રમાણે સંપૂર્ણ વ્રતના સ્વરૂપને કહીને હવે તે વ્રત સંબંધી જાણવા યોગ્ય ઉપાયાદિને વર્ણવતાં કહે છે : सुत्तादुपायरक्खणगहणपयत्तविसया मुणेयव्वा / कुंभारचक्कभामगडंडाहरणेण धीरेहिं // 34 // 1/34 છાયા :- સૂત્રાહુપાય-રક્ષ-પ્રWI-પ્રયત્નવિષયી જ્ઞાતિવ્યા: I कुम्भारचक्र-भ्रामक-दण्डोदाहरणेन धीरैः // 34 // ગાથાર્થ :- બુદ્ધિમાન શ્રાવકોએ વ્રતસંબંધી ઉપાય, રક્ષણ, ગ્રહણ, પ્રયત્ન અને વિષય એ પાંચ બાબતો કુંભારના ચક્રને ભમાવનાર દંડના ઉદાહરણથી આગમમાંથી જાણવી. ટીકાર્થ :- ‘સત્તા'= શેય પદાર્થો અને અનુષ્ઠાન (ક્રિયા)ના વિષયયુક્ત એવા આગમથી, કારણકે આગમથી જણાયેલા પદાર્થો જ્યારે આચરણમાં મૂકવામાં આવે છે ત્યારે પુરુષની ક્રિયાનો વિષય બને છે આમ આગમ વડે જ પુરુષો જ્ઞાન અને ક્રિયામાં પ્રવર્તે છે. આથી તે ઉપાયાદિનું પ્રવર્તક આગમ છે. ‘૩વાયરલ+gUTUાપથવિસ'= તે ઉપાય, રક્ષણ, ગ્રહણ, પ્રયત્ન અને વિષય “મુળયત્રી'= જાણવા. અહીં પ્રધાનતાને અનુલક્ષીને ગાથામાં ઉપાય-રક્ષણ વગેરેનો આ પ્રમાણે ક્રમ જણાવાયો છે બાકી તેમની પ્રાપ્તિ પશ્ચાનુપૂર્વી ક્રમથી થાય છે. પ્રથમ તો તે તે અણુવ્રત સંબંધી જે જે વિષય હોય તે જાણવો જોઇએ કે કયું વ્રત કયા વિષયમાં રહેલું છે. (દા. ત. પ્રથમ અણુવ્રતનો વિષય સંકલ્પિત
SR No.035330
Book TitlePanchashak Prakaran Gujarati Bhavanuvad
Original Sutra AuthorN/A
AuthorDharmratnavijay
PublisherManav Kalyan Samsthan
Publication Year2019
Total Pages441
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy