SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ 252 श्री पञ्चाशक प्रकरण - 12 गुजराती भावानुवाद હવે ‘કરણ' વગેરે દ્વારોની વ્યાખ્યા કહે છેઃ कारणदीवणयाइ वि, पडिवत्तीइऽवि य एस कायव्वो। राइणियं वज्जेत्ता, तगोचिए तम्मि वि तहेव // 550 // 12/6 છાયા - હાર્Uવીપનાયીપ પ્રતિપત્તાપ : વર્તવ્ય: . रात्निकं वर्जयित्वा तकोचिते तस्मिन्नपि तथैव // 6 // ગાથાર્થ :- પોતાનું કાર્ય કરવા માટે બીજા સાધુને પ્રાર્થના કરતી વખતે “મારું આ કાર્ય કરવા હું સમર્થ નથી અથવા મારે બીજું વિશિષ્ટતર કાર્ય કરવાનું હોવાથી મને સમયનો અભાવ છે, માટે આપની ઇચ્છા હોય તો મારું આ કાર્ય કરી આપો’ એમ કારણ જણાવવાપૂર્વક ઇચ્છાકાર કરવો જોઇએ. તેમ પ્રાર્થના કરાયેલ સાધુથી જો તે કાર્ય થઇ શકે એમ ન હોય તો તેણે પણ કારણ બતાવવાપૂર્વક ઇચ્છાકાર કરવો જોઇએ કે “હું તમારું કાર્ય કરવા ઇચ્છું છું, પણ તે કરવા માટે હું સમર્થ નથી અથવા મારે બીજું વિશિષ્ટતર કાર્ય કરવાનું હોવાથી મને સમય નથી.” તેમ જ “હું તમારું કાર્ય કરી આપું” એમ કાર્યનો સ્વીકાર કરવામાં પણ ઈચ્છાકાર કરવો જોઇએ. સામાન્ય રીતે રત્નાધિક સિવાય ઇચ્છાકાર કરવો જોઇએ અર્થાતુ રત્નાધિકની પાસે કામ ન કરાવાય, પણ રત્નાધિકને ઉચિત જે કાર્ય હોય એમાં રત્નાધિકને પણ ઈચ્છાકાર કહી શકાય. ટીકાર્થ :- ‘વIRUવીવીયાડ઼ વિ' ‘મને ગુરુ ભગવંતે બીજું વધારે વિશિષ્ટ કાર્ય સોંપેલું છે' એમ કારણ જણાવવામાં, અવસર અનુસારે “પવિત્તડવિ '= બીજા સાધુનું કાર્ય કરવાનું સ્વયં સ્વીકારવામાં પણ “સ'= ઇચ્છાકાર ‘વાયો'= કરવો. " રાર્થ'= જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ રત્નો વડે આરાધના વિશેષ કરી છે તે રાત્નિક કહેવાય. રત્નાધિક = પૂજ્ય પુરુષ તેને ‘વજો'= છોડીને અર્થાત્ તે પૂજ્ય હોવાથી તેમની પાસે પોતાનું કાર્ય સામાન્ય રીતે ન કરાવાય. ‘તમાર'= જ્ઞાનદર્શન પ્રભાવક એવા શાસ્ત્રોને ભણાવવા જેવા રત્નાધિકને ઉચિત કાર્ય કરવા માટે “તમિક વિ'= તે રત્નાધિકને વિશે પણ ‘તદેવ'= ઇચ્છાકાર કરાય. અર્થાત્ શાસ્ત્ર ભણાવવા વગેરે રત્નાધિકને ઉચિત કાર્ય માટે તેમને પ્રાર્થના કરી શકાય કે ‘આપની ઇચ્છા હોય તો અમને આ શાસ્ત્ર ભણાવો’ વગેરે. // 550 / 12/6. एवं आणाऽऽराहणजोगाओ आभिओगियखओत्ति। उच्चागोयनिबंधो, सासणवण्णो य लोगम्मि // 551 // 12/7 છાયાઃ- ઈશ્વમાશાઇડરાધના મામયક્ષય તિ . उच्चैौत्रनिबन्धः शासनवर्णश्च लोके // 7 // ગાથાર્થ :- આ પ્રમાણે ઈચ્છાકાર સામાચારીના પાલન સ્વરૂપ સર્વજ્ઞની આજ્ઞાનું આરાધન કરવાથી આભિયોગિક કર્મ (જેનાથી બીજાને પરાધીન રહેવું પડે, તેની નોકરી-સેવા કરવી પડે એવા નીચગોત્ર કર્મ)નો ક્ષય થાય છે, ઉચ્ચ ગોત્રનો બંધ થાય છે. અને લોકોમાં જૈનશાસનની પ્રશંસા થાય છે. ટીકાર્થ :- ‘વં'આ પ્રમાણે સામાચારીનું પાલન કરવાથી‘મા ઇડરનો ઉો'= ગુરુ ભગવંતની અથવા સર્વજ્ઞ પરમાત્માની આજ્ઞાનું પાલન કરવાથી ' માલય ધ્વમ ત્તિ'બીજા જીવ ઉપર બળાત્કાર કરવાથી બંધાતું જે આભિયોગિક કર્મ તેનો ક્ષય થાય છે. ‘૩ષ્યોનવંથ '= બીજા જીવની પાસે બળાત્કાર
SR No.035330
Book TitlePanchashak Prakaran Gujarati Bhavanuvad
Original Sutra AuthorN/A
AuthorDharmratnavijay
PublisherManav Kalyan Samsthan
Publication Year2019
Total Pages441
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy