SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ 80 શ્રેયસ : આ. રામચંદ્રસૂરિ મ.ના પ્રગુરુ આ. દાનસૂરિ મ. મ. શ્રી: હા, પ્રસ્તાવના તો શ્રી રામચંદ્રસૂરિ મ.ની જ અર્થાત્ ત્યારે તો તેઓ સૂતક માનતા હતા જ એટલે કે વિ.સં. 1968 સુધી તો માનતા હતા જ.” આ આખાય લખાણમાં તેમની દૃષ્ટિએ “પ્રતિમા પાસે માતા અને પુત્રને સૂતકના ભયથી ન લઈ જવા' - આ પંક્તિ વધુ મહત્ત્વની છે. પૂ. આ. શ્રી. વિ. રામચંદ્રસૂ.મ. એ ક્યારેય એવું કહ્યું નથી કે ‘સૂતકના દિવસોમાં માતાએ પુત્રને તેડીને દેરાસરે જવું. એ જ રીતે ચરિત્રવર્ણન તરીકે કરેલું બાર દિવસનું વર્ણન પણ તેઓશ્રીને ચરિત્રવર્ણન તરીકે માન્ય જ છે. ચરિત્રવર્ણનને જ વિધિવાક્ય માનીને લોકવ્યવહારને “ધર્મ બનાવી દેવાનું અકાર્ય કોઈ ગીતાર્થ ન કરી શકે. માટે આવું કાર્ય મહાગીતાર્થ એવા પૂજયશ્રી તો ન જ કરે. આ રીતે કલ્પરિણાવલી’ ટીકાની ઉપર રજૂ કરાયેલી વાતમાં તેઓશ્રીને અમાન્ય કરવા જેવું કશું નથી. છતાં લેખકે “શ્રી રામચન્દ્રસૂ.મ. વિ. સં.૧૯૬૮ સુધી સૂતક માનતા જ હતા. અર્થાત્ હવે નથી માનતા !" એવી રજૂઆત કરીને પ્રત્યક્ષ મૃષાવાદનું સેવન કર્યું છે. ખરેખર તો કલ્પકિરણાવલી'ને અમાન્ય કરવાનું કામ તો લેખકના મતવાળાઓએ કર્યું છે. કારણ કે ટીકામાં તો માતાપુત્રને જ સૂતકના ભયથી શ્રી જિનપ્રતિમા પાસે લાવવાનો નિષેધ કર્યો છે. જે બધા જ માને છે. જ્યારે આ લોકો તો માતા-પુત્ર સિવાયના માણસોને પણ સ્નાનથી શુદ્ધ થયા હોય તોય સૂતકનો ભય બતાવીને તેઓની પૂજા બંધ કરાવે છે. આવા સ્થાનકવાસીઓના ભાઈબંધોથી મૂર્તિપૂજકો ચેતીને ચાલે. શ્રી કલ્પસૂત્રની જેટલી ટીકાઓ, તે પછી છપાયેલી હોય કે હસ્તલિખિત કોઈપણ ટીકાઓથી એવું સિદ્ધ થતું નથી કે “સૂતકમાં પૂજા ન થાય.” માટે શ્રી કલ્પસૂત્રના નામે લોકોની પૂજા બંધ કરાવનારાઓ શ્રી કલ્પસૂત્રની આશાતના કરી રહ્યા છે. આ રીતે શ્રીજિનપૂજા સંબંધી શાસ્ત્રપાઠોનો વિચાર કરતા, કોઈ
SR No.035328
Book TitleSutak Sambandhi Shastriya Saral Samaj
Original Sutra AuthorN/A
AuthorVijayjaidarshansuri
PublisherJinagna Prakashan
Publication Year
Total Pages131
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy