SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ તેને “પ્રક્ષેપિત’ ગણાવવાની સૂતકવાદીઓ તરફથી ઝુંબેશ ચાલી છે. આ પદો ટીકામાં દાખલ કરવાનો તદ્દન જૂઠો આરોપ તેઓ પૂ. આ. શ્રી વિજય રામચન્દ્ર સૂ. મહારાજા પર લગાવી રહ્યા છે ત્યારે એ સરાસર જૂઠાણું જ છે એ વાત સિદ્ધ કરતો આધાર અહીં રજુ કરવો વધુ ઉચિત જણાય છે. વિ. સં. 1956 સને ૧૯૮૦ની સાલમાં મુંબઈના શ્રાવક ભીમસિંહ માણેકે શ્રી કલ્પસૂત્રની સુખબોધિકા - સુબોધિકા ટીકાનું ગુજરાતી ભાષાંતર છપાવીને પ્રકાશિત કર્યું હતું. શ્રી કલ્પસૂત્રની સુબોધિકાટીકાને સંસ્કૃત પરથી જામનગર નિવાસી પંડિત હીરાલાલ વિ. હંસરાજ પાસે ગુજરાતીમાં ભાષાંતર કરાવી છપાવેલું હતું. તેમાં આજથી લગભગ 115 વર્ષ પહેલા ભાષાંતરરૂપે લખાયું છે કે પછી તે સિદ્ધાર્થ રાજા, તેવી રીતે દશ દિવસો સુધી કુલમર્યાદા પાલતે છત, સેંકડો, હજારો અને લાખો પ્રમાણે અરિહંતપ્રભુની પૂજા કરતા હતા.” વિ. સં. ૧૯૫૬ની સાલમાં છપાયેલી - વંચાતી શ્રી કલ્પસૂત્ર સુબોધિકા ટીકામાં સુર્વન વાળું પદ હતું માટે જ તો પંડિત હીરાલાલ હંસરાજે ઉપર મુજબ ભાષાંતર કરીને મૂક્યું છે. આ પુસ્તક આજે પણ જ્ઞાનભંડારોમાં સચવાઈને પડેલું છે. શ્રાવક ભીમસિંહ માણેકે ગુજરાતી છાપખાનામાં સને ૧૯OOમાં આ પુસ્તક છપાવીને બહાર પાડ્યું હતું. વિ. સં. ૧૯૫૨ની સાલમાં જન્મેલા પૂ. આ. શ્રી વિજય રામચંદ્ર સૂ. મ. વિ. સં. ૧૯૫૬માં ચાર વર્ષના બાળક હતા. તેઓ ભાષાંતર કરનાર પંડિત હીરાલાલ હંસરાજની પ્રતમાં સુર્વન વાળું પદ પ્રક્ષેપિત કરાવવા ગયા હતા તેવું કોઈ જ સુજ્ઞજન વિચારી પણ ન શકે. શ્રાવકને સૂતકના નામે જિનપૂજા ન કરવા દેવાની જીદે ચઢેલા સૂતકવાદીઓ સુર્વન વાળા પદને પ્રક્ષેપિત માનીને આગમની ટીકાકારની આશાતના કરી રહ્યા છે તેમ સૌ સુજ્ઞો સ્વીકારી શકે તેવું સ્પષ્ટ છે. આનાથી એટલી વાત સિદ્ધ થાય છે કે શ્રી કલ્પસૂત્ર આગમની ટીકા પણ
SR No.035328
Book TitleSutak Sambandhi Shastriya Saral Samaj
Original Sutra AuthorN/A
AuthorVijayjaidarshansuri
PublisherJinagna Prakashan
Publication Year
Total Pages131
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy