SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ 69 સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ સૂતકને અને લોકોના આવા સ્નાનને કોઈ સંબંધ નથી. શ્રી કલ્પસૂત્ર સૂતકમાં શ્રી જિનપૂજા કરવાની સ્પષ્ટ છૂટ આપે છે : આપણે ત્યાં શ્રી પર્યાપણા મહાપર્વના દિવસોમાં શ્રી કલ્પસૂત્ર સાંભળવાનો મહિમા છે. લગભગ બધી જગ્યાએ સાધુ ભગવંતો સુબોધિકા નામની ટીકાના આધારે શ્રી કલ્પસૂત્રનું વાચન કરે છે. આ ટીકામાં સિદ્ધાર્થ રાજાએ સૂતક સમયે શ્રી જિનપૂજા કરી-કરાવી એવું સ્પષ્ટ ફરમાન છે. આ રહ્યો તે શાસ્ત્રપાઠ શ્રી કલ્પસૂત્રઃ तए णं सिद्धत्थे राया दसाहियाए ठिइवडियाए वट्टमाणीए सइए असाहस्सिए अ सयसाहस्सिए य जाए अदाए अ भाए ए दलमाणे अ दवावेमाणे अ सइए य साहस्सिए य सयसाहस्सिए य लंभे पडिच्छमाणे अ पडिच्छावेमाणे य एवं વિફર II સૂત્ર-૨૦૩ // સુબોધિકાટીકા: ततः स सिद्धार्थो राजा दशाहिकायां - दशदिवसप्रमाणायां स्थितिपतितायां वर्तमानायां शतपरिमाणान् सहस्त्रपरिमाणान् लक्षप्रमाणान् यागान्-अर्हत्प्रतिमापूजाः कुर्वन् कारयश्चेति शेषः, भगवन्मातापित्रोः श्री पार्श्वनाथसंतानीय श्रावकत्वात् यजधातोश्च देवपूजार्थत्वात् यागशब्देन प्रतिमापूजा एव ग्राह्या, अन्यस्य यज्ञस्य असम्भवात् श्री पार्श्वनाथसंतानीयश्रावकत्वं चानयोराचाराङ्गे प्रतिपादितं, दायान् पर्वदिवसादौ दानानि लब्धद्रव्यविभागान् मानितद्रव्यांशान् वा ददत् स्वयं, दापयन् सेवकैः शतप्रमाणान् सहस्त्रप्रमाणान् लक्षप्रमाणान् एवंविधान् लाभान् ‘वधामणां इति लोके' प्रतीच्छन्-स्वयं गृहणन् प्रतिग्राहयन् सेवकादिभिः अनेन प्रकारेण च વિહરતિ રાતે // 20 રૂ // ત્યાર પછી તે સિદ્ધાર્થ રાજાએ દશ દિવસના ઉત્સવ સ્વરૂપ કુલમર્યાદાસ્થિતિપતિતાના સમયમાં સેંકડો, હજારો અને લાખો પ્રમાણવાળી શ્રી અરિહંત ભગવંતની પ્રતિમાની પૂજા પોતે કરી અને બીજા પાસે કરાવી. ભગવાનના માતા-પિતા શ્રી પાર્શ્વનાથ ભગવાનના સંતાનીય શ્રાવકો હતા અને યજુ ધાતુનો અર્થ ‘દેવપૂજાએવો થતો હોવાથી “યાગ' શબ્દથી “પ્રતિમાપૂજા' એવો જ
SR No.035328
Book TitleSutak Sambandhi Shastriya Saral Samaj
Original Sutra AuthorN/A
AuthorVijayjaidarshansuri
PublisherJinagna Prakashan
Publication Year
Total Pages131
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy