________________ 37 સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ જગદ્ગુરુ પૂ. આ. શ્રી હીરવિજય સૂરીશ્વરજી મહારાજા સમક્ષ આ પ્રશ્ન આવ્યો હતો. તે સમયે જેસલમેરમાં ખરતરગચ્છનું જોર ઘણું હતું. ઘરો પણ ઘણાં હતાં. સૂતકમાં ‘પૂજા છોડી દેવાની અને વહોરવાનું નહિ.” આવી ખરતરગચ્છની પ્રવૃત્તિ જોઈને ત્યાં રહેલા તપાગચ્છના શ્રાવકોમાં પ્રશ્નો ઉઠ્યા હતા. જેસલમેર શ્રી સંઘે આ સંબંધી પ્રશ્ન તત્કાલીન તપાગચ્છાધિપતિને પૂછાવેલો અને તેનું સમાધાન પૂ. તપાગચ્છાધિપતિશ્રીએ ફરમાવેલું તેનો આખો પ્રશ્નોત્તર શ્રીહરિપ્રશ્નમાં છે તેનો પાઠ અને ગુજરાતી અર્થ અહીં રજુ કરું છું. પ્રશ્ન : ચેષાં ગૃહે પુત્રપુત્રીનાd મવતિ ત મનુના: ર૩રતરપક્ષે સ્વગૃહપાનીયે देवपूजां न कुर्वन्ति, तद्यतिनोऽपि तद्गृहे दशदिनानि यावन्न पूरवन्ति, तदक्षराणि कुत्र सन्ति ? आत्मपक्षे चैतदाश्रित्य को विधिः? // 18 // उत्तरम् - अत्र यद्गृहे पुत्रपुत्री प्रसवो जातो भवति तद्गृहपानीयेन देवपूजा न शुद्धयतीत्यक्षराणि शास्त्रे ज्ञातानि न सन्तीति / तथा तद्गृहविहरणमाश्रित्य यस्मिन् देशे यो लोकव्यवहार स्तथानुसारेण यतिभिः कर्तव्यं, दशदिननिर्बन्धस्तु શાત્રે જ્ઞાતો નાસ્તીતિ Iઉટા'' પ્રશ્ન : જેનાં ઘરે પુત્ર-પુત્રીનો જન્મ થાય છે. તે ઘરના મનુષ્યો ખરતરપક્ષમાં પોતાનાં ઘરના પાણીથી દેવપૂજા કરતા નથી. ખરતરગચ્છના સાધુઓ પણ તેનાં ઘરે દશ દિવસ સુધી વહોરતા નથી. તેના અક્ષર ક્યાં છે? અને આપણા તપાગચ્છમાં આ વિષયમાં કયો વિધિ છે? ઉત્તર H જેના ઘરે પુત્ર-પુત્રીનો જન્મ થાય છે તેના ઘરનાં પાણીથી દેવપૂજા શુદ્ધ ન થાય. તેવા અક્ષરો શાસ્ત્રમાં જાણ્યા નથી અને તેના ઘરે વહોરવાની વિધિમાં તો જે દેશમાં જે લોકવ્યવહાર હોય તે અનુસાર સાધુઓએ કરવું જોઈએ. દશ દિવસનો આગ્રહ શાસ્ત્રમાં જાણ્યો નથી. (શ્રી હીરપ્રશ્નોત્તરાણિ - પ્રકાશ-૪, પૃ. 38)" શ્રીહરિપ્રશ્નના ‘હીરયુગ'ની માન્યતાને પ્રગટ કરતા આ પ્રશ્નોત્તરથી આપણને પૂ. તપાગચ્છાધિપતિશ્રી તરફથી સદીઓ જૂની આટલી માહિતી પ્રામાણિકપણે પ્રાપ્ત થાય છે :