SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ 34 સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ અગ્યાર દિવસ સુધી અપવિત્ર હોય છે એટલે સાધુઓને આહાર નિમિત્તે તે સૂતકવાળા ઘરમાં જવાનો નિષેધ છે), તો તેના ઘરના પાણી આદિથી જિનપ્રતિમા કેમ પૂજાય? સિદ્ધાર્થ રાજાના અધિકારમાં (તેણે) પુષ્પગંધ, ધૂપ, નૈવેદ્યાદિ અગ્રપૂજા (કરાવી હોય એમ) સંભવિત છે, જયારે તેના ઘરે લોકો જમતા નથી. સાધુઓ વહોરતા નથી. તે ઘર (આખું એ) અપવિત્ર છે. ત્યારે તે ઘરના પાણીથી જિનપ્રતિમાની અંગપૂજા કહો કેમ થઈ શકે ? હા નૈવેદ્યાદિ અગ્રપૂજા થઈ શકે, વળી જન્મસૂતકે તેના ઘરના ગોળ સોપારી, નાળીયેર આદિ લ્હાણા (જેમ) લોકો લિયા કરે છે, તેમ નૈવેદ્યાદિ પૂજા ઘટે છે. હમણાં પણ જન્મ (સૂતકવાળા)ના ઘર થકી દેરાસરે ઘી, નાનેર, સોપારી, અક્ષતથાળ આદિ કે જેમાં તે (સૂતકવાળા)ના ઘરનું પાણી પડ્યું ન હોય. તે વસ્તુ લાવી ચડાવે છે. સાધુઓ પણ કારણ વિશેષે જન્મસૂતકના ઘરના ઘી, ગોળ પ્રમુખ લીએ છે માટે પૂર્વાચાર્યોએ શાસ્ત્રાનુસાર જન્મસૂતકવાળાના ઘરના પાણીથી જિનપ્રતિમાની પૂજા નિષેધી છે તે (શાસ્ત્રજ્ઞા) પ્રમાણ કરવી, વાસ કપૂર નૈવેદ્યાદિ પૂજા નિષિદ્ધ નથી. આ રીતે સ્પષ્ટતાથી) ગીતાર્થોને પૂછવું. આ રીતે ઉપા. જયસોમ ગણીએ “પ્રશ્નોત્તર ચારિંશત્ શતક' માં તપાગચ્છની સૂતક વિષયક માન્યતાનું બહું કડવાશથી ખંડન કર્યું છે. જે પ્રશ્નોમાં જૂનાં પાનાંઓમાં ખરતર ગચ્છ પર કરવામાં આવેલ આક્ષેપ ખોટા હતા ત્યાં ઉપા. જયસોમગણીએ સ્પષ્ટતા કરી છે કે આવી અમારી માન્યતા નથી. જ્યાં જ્યાં તપાગચ્છ સાથે ખતરગચ્છની માન્યતા અલગ પડે છે ત્યાં તેમણે જવાબ આપ્યો છે. અહીં રજુ કરવામાં આવેલ ૫૦-૫૧માં પ્રશ્નોત્તર જોતા સ્પષ્ટ સમજાય છે કે સૂતકમાં પણ શ્રી જિનપૂજા વગેરે કરવાની માન્યતા તપાગચ્છની છે અને સૂતકમાં શ્રી જિનપૂજા વગેરે અમુક દિવસ સુધી ન થાય તેવી માન્યતા ખરતરગચ્છની છે. આટલું જાણ્યા પછી ખરતરગચ્છની માન્યતાને પ્રચારવા માટે તપાગચ્છની માન્યતાનો ત્યાગ કરનારા તપાગચ્છવાળા પાછા તપાગચ્છના માર્ગે આવી જાય તે જ તેઓ માટે હિતકારી માર્ગ છે. 0 ‘પ્રશ્નોત્તર ચત્વારિંશત્ શતકમાં જૂની ભાષાનું લખાણ ઉપા. જયસોમ
SR No.035328
Book TitleSutak Sambandhi Shastriya Saral Samaj
Original Sutra AuthorN/A
AuthorVijayjaidarshansuri
PublisherJinagna Prakashan
Publication Year
Total Pages131
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy