SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ 29 પ્રહર, જો કાંધ આપી હોય તો 16 થી 24 પ્રહર સામાયિક, પૌષધ, પ્રતિક્રમણ કરતા નથી. -ત્રણ દિવસ પૂજા છોડી દે છે. - આ તો ઘરધણી સિવાયની વાત થઈ. - ઘરનો માલિક તો ત્રણ દિવસ સુધી સામાયિક, પૌષધ, પ્રતિક્રમણ છોડી દે - અને બાર દિવસ સુધી પૂજા છોડી દે છે. - ખરતરનો આ શાસ્ત્રવિરુદ્ધ પોતાના ઘરનો આચાર છે. -તપાગચ્છવાળા તો મરણસૂતકમાં પણ સામાયિક, પૌષધ, પ્રતિક્રમણ, પૂજા કરે છે. - ખરતરગચ્છવાળા જન્મ સૂતકમાં પોતાના ઘરે દેરાસર હોય તો બાર દિવસ ઘર દેરાસરની પૂજા કરતા નથી. તે શાસ્ત્રવિરુદ્ધ પોતાના ઘરનો આચાર - શ્રીકલ્પસૂત્રમાં ભગવાન મહાવીરના જન્મ અધિકારમાં શ્રીસિદ્ધાર્થ રાજાએ પોતે પૂજા કીધી છે અને બીજા પાસે કરાવી છે પછી ખરતરગચ્છવાળા નિષેધ કેમ કરે છે? આજે સૂતકના વિષયમાં એવો આરોપ કરવામાં આવે છે કે “શ્રી કલ્પસૂત્ર સુબોધિકા ટીકામાં ‘હુર્વમ્ રિયંતિ શેષ: I' આવો પાઠ મૂળ ટીકાકારનો નથી, પ્રક્ષિપ્ત છે, છાપનારાએ ઉમેરેલો છે.” ઉપરના 500 વર્ષ પ્રાચીન બોલોમાં પણ પૂજા કરી-કરાવીનો પાઠ બતાવે જ છે એટલે નક્કી છે કે સુબોધિકા ટીકામાં ઉપરનો પાઠ 500 વર્ષ પહેલા પણ હતો જ. એટલે હમણાં છપાવનારે ઉમેરી દીધેલ પાઠ છે એવું સિદ્ધ થતું નથી. છતાં તેવો આક્ષેપ કરવામાં આવે, ચાલુ રાખવામાં આવે તેને મૃષાવાદનું પાપ લાગે. તપા-ખરતરભેદના 500 વર્ષ પ્રાચીન આ બોલોમાંથી આટલી વાત મળી. હવે આ બોલોનું 500 વર્ષ પહેલાના ખરતરગચ્છના ઉપા. જયસોમ ગણીએ જે ખંડન કર્યું તે પણ જોઈએ. શું ખરતરગચ્છ ઉપર જણાવી તેવી
SR No.035328
Book TitleSutak Sambandhi Shastriya Saral Samaj
Original Sutra AuthorN/A
AuthorVijayjaidarshansuri
PublisherJinagna Prakashan
Publication Year
Total Pages131
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy