SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ 110 ઇચ્છીએ. લેખકના વાહિયાત તરંગોના કેટલા જવાબ આપવા? સૂતકવિષયક શાસ્ત્રમર્યાદાની વિચારણા અહીં સમાપ્ત કરવામાં આવે છે. ભવિષ્યમાં સંગત શાસ્ત્રપાઠો સાથે રજૂઆત કરવામાં આવશે તો અવશ્ય એના ઉપર પણ વિચારણા કરશું. અસ્વાધ્યાય વિષયક શાસ્ત્રપાઠોની વિચારણા સૂતકમર્યાદાયે નમ:' પુસ્તકમાં પૃ. 40 થી 44 સુધી સ્વાધ્યાયનિષેધના શાસ્ત્રપાઠો મૂક્યા છે. શ્રી વ્યવહાર સૂત્ર, શ્રી વિચાર રત્નાકર, શ્રી ધર્મસાગરીય-ઉસૂત્રખંડન, શ્રી આવશ્યક સૂત્ર-સટીક, શ્રી સ્થાનાંગ સૂત્ર-સટીક, શ્રી પ્રાચીન સામાચારી, શ્રી પ્રવચન સારોદ્ધાર આદી ગ્રન્થોના રજૂ કરવામાં આવેલા પાઠોમાં મુખ્યતયા અસ્વાધ્યાયનો વિષય વર્ણવ્યો છે. આનુસંગિક સૂતકનાં કુલ અને દિવસો સંબંધી ઉલ્લેખ કર્યો છે. તેના જવાબો તો અગાઉની વિચારણામાં આવી જાય છે. શ્રી જિનપૂજા અને ગોચરીને અસ્વાધ્યાય સાથે કોઈ સંબંધ હોતો નથી. કારણકે શાશ્વતી ઓળી સંબંધી અને ચોમાસીસંબંધી અસ્વાધ્યાયના દિવસોમાં વિશિષ્ટ શ્રતોનો સ્વાધ્યાય કરવાનો નિષેધ છે, પરંતુ આ જ પર્વના દિવસોમાં શ્રી જિનપૂજા તો વિશિષ્ટ રીતે કરવાનું વિધાન છે. અને સુપાત્રદાનનો લાભ લેવાનું પણ આ દિવસોમાં વધુ મહત્ત્વનું છે. એટલે ઉપર જણાવેલ શાસ્ત્રપાઠોથી સૂતકના નામે શ્રી જિનપૂજા, ગોચરી વહોરાવવી બંધ કરાવી શકાય નહિ. અહીં પૃ-૪૩ ઉપર શ્રી “સ્થાનાંગસૂત્ર'નો પાઠ લખ્યા પછી છેલ્લે લેખક લખે છે કે “અર્થાત્ ત્યાં સુધી પાંચેય પ્રકારમાંનો કોઈપણ સ્વાધ્યાય થઈ શકે નહિ. તાત્પર્ય એ છે કે સ્વાધ્યાય પાંચ પ્રકારે છે. (વાચના પૃચ્છનાદિ) શાસ્ત્રબોધ વિના શાસ્ત્રચર્ચા કરવા બેસે તો શું પરિણામ આવે તેનો આ ઉત્કૃષ્ટ નમૂનો છે. લેખકે રજૂ કરેલ શ્રી “પ્રવચન સારોદ્ધાર'ના પાઠમાં જ ચાર લીટીઓ પછી પંક્તિ લખી છે કે અનુપ્રેક્ષા તું ને શ્રીવનાપિ પ્રતિષધ્યતે - અનુપ્રેક્ષા સ્વાધ્યાયનો ક્યારેય નિષેધ હોતો નથી.” શાસ્ત્રકારે નિષેધ ન કર્યો
SR No.035328
Book TitleSutak Sambandhi Shastriya Saral Samaj
Original Sutra AuthorN/A
AuthorVijayjaidarshansuri
PublisherJinagna Prakashan
Publication Year
Total Pages131
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy