________________
(૧૬) ; વિવિધ પુષ્પવાટિકા.
એવા જિનેશ્વર તણા યુગપાદ પૂજે, દીઠો નહિ જગતમાં તુમ તૂલ્ય દુજે. જમ્યા તણી નગરી ઉત્તમ જે અયોધ્યા, પિતા નરેશ પ્રભુના જિતશત્રુ ધા; દેદિપ્યમાન જનની વિજયા સ્વીકારી. સેવે સદા અજિતનાથ ઉમંગકારી. વાધે ન કેશ શિરમાં નખ રોમ વ્યાધિ, પ્રસ્વેદ ગાત્ર નહિ લેશ સદા સમાધિ; છે માંસ શેણિત અહે ! અતિ તકારી, હે સ્વામી સંભવ ! સુસંપદ ગાત્ર તારી. છે શ્વાસ અંબુજ સુગંધ સદા પ્રમાણે, આહાર ને તુમ નિહાર ન કોય જાણે, એ ચાર છે અતિશ પ્રભુ-જન્મ સાથે, વંદુ હમેશ અભિનંદન જોડી હાથે. ભૂમંડલે વિચરતા જિનરાજ જ્યારે, કાંટા અધોમુખ થઇ રજ શુદ્ધ ત્યારે; જે એક જોજન સુધી શુભ વાત શુદ્ધિ, એવા નમું સુમતિનાથ સદા સુબુદ્ધિ. વૃષ્ટિ કરે સુરવર અતિ સુક્ષ્મધારી, જાનુ પ્રમાણ વિરચે કુસુમ શ્રીકારી; શબ્દ મનહર સુણી શુભ શ્રોત્રમાંહિ, શ્રી પદ્મનાથ પ્રભુને પ્રણમું ઉછહિં. સેવા કરે યુગલ યક્ષ સુહંકને, વિજે ધરી કર વિષે શુભ ચામરોને; ૧ પરસે. ૨ કમલ. ઉંધે મુખ. ૪ પવન.
-- -
-
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com