SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ અતિમ ઉગારે. ૧૪૭. દેવના ઉપાસકે છે. તે બનેનું તત્વજ્ઞાન એકજ છે. તે બન્ને પરિવારમાં મહેટા મહારા ગ્રન્થકાર અને તત્ત્વજ્ઞાનીઓ થયા છે. તે બન્નેનું સાહિત્ય સમૃદ્ધિ-શાલી છે. તે બન્નેના ધાર્મિક અને તાર્કિક ગ્રથા હેટા પ્રમાણમાં જબરદસ્ત અને કિસ્મતી છે. સુતરાં, તે બન્નેને મનેમળ ક્ષીણ થઈ જઈ પરસ્પર મેળ થવાની પરમ આવશ્યકતા છે. જે દહાડે, ઘણા લાંબા કાળથી વિખૂટા પડેલા એ બન્ને સગા ભાઈઓ એકબીજાને હૃદયના ઉમળકા સાથે ભેટશે અને અજ્ઞાનમૂલક ઝગડા-રગડા વધાર્યા બદલ આંસુઓ રેકે પાપનાં પ્રાયશ્ચિત્ત કરશે તે દહાડે જૈનશાસનને સુવર્ણ–યુગ શરૂ થશે. મત-ભેદે તે દિગમ્બર-વેતામ્બરની વચ્ચે છે, તેમ શ્વેતામ્બરમાં અન્દર અન્દર નથી કે દિગમ્બરમાં પણ અન્દર અન્દર નથી કે? પણ એ મતભેદ ઉપર સહિષ્ણુતા રાખવીજ રહી. મતભેદને વિરોધનું રૂપ અપાયતે એક ઘરમાં બે ભાઈઓ પણ ભેગા ન રહી શકે. “ માથાં એટલા મત હોઈ આખા જગમાં ઉથલ-પાથલ મચી જાય. કેવલિકવલાહારાદિ જેવા પ્રશ્નને તાણ–ખેંચીને મહત્વ આપવાનું કઈ કારણ?આહાર કરે છે કેવલીને, એ આહાર કરે, ચાહે ન કરે, એમાં આપણે પક્ષ-મેંહને વશ થઈ સિરપચી કરવાની કંઈ જરૂર? અલબત, મુક્તિને પ્રશ્ન મહત્ત્વપૂર્ણ ખરો. દીર્ઘદ્રષ્ટિથી વિચાર કરતાં જણાશે કે, સ્ત્રીશકોના સ્વમાનના હક છીનવી લઈ તેમને હલકી પાયરીએ ધકેલી દેનાર હિન્દુઓ સ્લામે મહાવીરે અવાજ ઉઠાવ્યે હતું કે, આત્મકલ્યાણના ક્ષેત્રમાં મનુષ્યમાત્રનો સમાન અધિકાર છે. જેટલું આત્મકલ્યાણ બ્રાણુ કે વાવ કરી શકે છે, તેટલું જ www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
SR No.035301
Book TitleVeer Dharmno Punaruddhar
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherJain Yuvak Sangh
Publication Year1931
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy