SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ જેનનું કર્તવ્ય આપનારા વિશિષ્ટ જ્ઞાની હતા. એથી એ મહાપુરુષોએ જે કાંઈ તે કાળમાં અવસરેચિત કર્યું તેનું અનુકરણ આપણાથી ન થાય. જે એ આગમવ્યવહારી મહાપુ જે કાંઈ કરે તે આપણે માટે વર્તમાનમાં કરણય ને હેય. વર્તમાનમાં જીત વ્યવહાર ચાલે છે. એટલે સુવિહીત પુએ જે પરંપરા ચાલુ કરી તે મુજબ આપણે ધર્મવ્યવહાર ચાલે છે. શાસ્ત્રીય વાકયોની મર્યાદા સમજવી જોઈએ – આજના લકવ્યવહારે એવા મર્યાદાહીન બનતા ગયા છે, કે જેમાં કોઈપણ પ્રકારની ઉચિત મર્યાદાઓ કે જે આપણું પિતાના આત્મકલ્યાણ માટે, મહાપુરુષોએ ફરમાવી હોય છે અને આમ થતાં અનાચાર, વિલાસે અને બીજા પણ પાપ વધતાં જ ચાલ્યા. આજે ઉદારતા અને સમાનતાના નામે, નીતિ, સદાચાર, વિનય, વિવેક, ઈત્યાદિ ઉમદા ગુણોનો નાશ થઈ રહ્યો છે. અસ્પૃશ્યોના ઉદ્ધારને નામે પિતાની ધૂનને પિષવા ખાતર જેનશાસ્ત્રોને દુરૂપયોગ થઈ રહ્યો છે. શાસ્ત્રોની વાતોને પરસ્પરના સંબંધ વિના અહિં તહિંની ઉપજાવી કાઢીને જાહેરમાં મૂકનારા જૈન શાસ્ત્રોની આશાતના કરનારા છે. જેને શાસ્ત્રોમાં જે વસ્તુને નિષેધ કરે છે, તે અભક્ષ્ય અને અનંતકાય પદાર્થોનું ભક્ષણ કરનારા, અને કરવામાં કાંઈ પાપ નથી એમ બોલનારા એ જૈન યુવકસંઘના કાર્યકર્તાઓ જ્યારે કોંગ્રેસ સરકારના આ બીલના સમર્થનમાં જૈન આગમ ગ્રન્થાના પ્રમાણે આપે છે, ત્યારે જરૂર આશ્ચર્ય થાય છે? આ લેકેને જેને શાસ્ત્રોના નામે બલવાને અધિકાર કયાં છે? રાત્રિભોજનમાં અને કંદમૂલભક્ષણમાં જેનશાસ્ત્રોએ ભયંકર દોષ બતાવ્યા છે, ત્યારે પરમાનંદ કાપડીઆ એમ કહે છે કે “કંદમૂળ વિના તાકાત કયાંથી આવે? રાત્રિભોજન કરવામાં કયું પાપ થઈ ગયું?' આમ શાસ્ત્રવાકોની હાંસી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035298
Book TitleVartaman Kale Shraddhalu Jainonu Karttavya
Original Sutra AuthorN/A
AuthorKalyan Prakashan Mandir
PublisherKalyan Prakashan Mandir
Publication Year1947
Total Pages74
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy