SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ આને લઈને આપે પિતાના મનથી જે શંકા સમાધાન કર્યું તેને પણ અહિં આ કોઈ સ્થાન નથી. કારણ કે ભગવાને પિતાના સમયમાં આર્યદેશની જે મર્યાદા બાંધી લીધી હતી. તેમાં વળી પાછું આર્યદેશની અંદર જ તેમને “ધર્મ–પ્રધાનભૂમિ' કહેવી. એને કંઈ અર્થ નથી. ધર્મપ્રધાન ભૂમિ જ આર્યભૂમિ છે. ભગવાને પ્રતિપાદન કરેલ આર્ય–ભૂમિની બહારને પ્રદેશ અનાર્ય જ છે. સમય સમય ઉપર આર્યદેશ અનાર્યદેશ થઈ જાય છે. અને અનાર્યદેશ આર્ય–દેશ થાય છે. સમ્રાટે સંપ્રતિના સમયમાં ભગવાને જે પ્રદેશને અનાર્યો ઘોષિત કર્યો હતો તે પણ આર્ય થઈ ગયે. બાકી રપા આર્યદેશ હમેશાંના એજ છે. તેમાં ભગવાને પોતાને કેવલજ્ઞાન થયા બાદ કંઇક ઘટાડો કર્યો હતો અને સમ્રાટ સંપ્રતિએ તે રપા આદેશની ભૂમિમાં પણ વિશેષ વધારે કર્યો હતે. ભગવાને કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યા પછી જ આર્યદેશ અને વિહારભૂમિની સીમા બાંધી, તેટલી જ તેમના સમયમાં આર્યદેશ અને વિહારભૂમિઓ હતી. તે સિવાયના બધા અનાદેશ અને અવિહાર ભૂમિઓ હતી. ભગવાને બતાવેલી ભૂમિઓને ધર્મ પ્રધનભૂમિ' કહીને તેની બહારની રક્ષા દેશોના અંદરની ભૂમિને આર્ય માનવી એ ઉચિત નથી. જો આમ જ “આર્ય દેશની કલ્પના કરવામાં આવશે તે પછી ભગવાને પોતાના સમયમાં “આર્યદેશ” અને “વિહાર–ભૂમિની જ મર્યાદા બાંધી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035295
Book TitleVaishali
Original Sutra AuthorN/A
AuthorVijayendrasuri
PublisherKashinath Sarak
Publication Year1958
Total Pages170
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy