SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ રજપુત જાતિના સાદૃશ્યની સમાલોચના. ૩૧ ગ્રામમાં યુદ્ધ કરવા ઉતરી પડતા હતા અને શસ્ત્રશસ્યામાં સૂતેલા છતાં હાસ્ય કરી કહેતા કે અમે માનવ જન્મથી મુક્ત થઈ સ્વર્ગનાં નિત્ય સુખમાં અમરલેકની સાથે હવે મદ્યામૃત પીશું. છંદનાથીય વીરગણના ઉપાસ્ય દેવનું નામ ઘર છે. તેઓના મતમાં નરકપાળજ તે રણદેવનું સુરાપાત્ર છે. વીરસ્કદનાભીય લેકની એ દેવ ક૬૫ના રજપુતના યુદ્ધદેવ હર ઉપરથી ગ્રહણ કરવામાં આવેલ છે. રજપુત કે ઉત્તમમાં ઉત્તમ કીડા અથવા લીલાનું સ્થાન યુદ્ધક્ષેત્રને ગણે છે, પીવા લાયક વસ્તુમાં ઉત્તમમાં ઉત્તમ મદીરાને ગણે છે અને તે મદિરા પિતના યુદ્ધ દેવે ભૂતભાવન ભગવાન હરને ઉપાસ્ય ગણી તેને પ્રસન્ન કરવાને માટે મદિર લેહીસાથે નૈવેદ્યમાં ધરે છે અને તેઓ તેમ કરવામાં વિશેષ આનંદ માને છે. અંત્યેષ્ટિસત્કાર–આ વરરજપુતે જેવી રીતનો સત્કાર કરે છે તેવી રીતે કંદનાભવાસીઓ અને શાકઢીપવાસીએ શબ દેહને સત્કાર કરતા હતા. તે અંતિમ સંસ્કારના સાધનમાં તે સઘળી જુદી જુદી જાતિમાં જે સિ સદશ્ય જોવામાં આવે છે તેથી સ્પષ્ટ રીતે પ્રતીત થાય છે જે ઉપર લખેલ પ્રથા, માનવજાતિની કઈ આદિમ જાતિ પાસેથી લીધી હોય એમ અનુમાન થાય છે. સ્કંદનાભવાસીઓ ઉપરની પ્રથા જે કાળ જેવી પાલતા હતા, તેકાળ, તેઓના ગ્રંથમાં દર્શાવ્યો છે અર્થાત્ જેકાળે તેઓ મૃતદેહને દગ્ધ કરતા હતા તેમાળ, “અગ્નિયુગ અને જે કાળે તે શબને ન બાળતા અને ભૂમિમાં ભંડારતા, તે કાળ “ મેયર ” નામે કહેવાતું હતું. સ્કંદનાભવાસીના પ્રાચીન ગ્રંથમાં લખેલ છે જે તેઓ અગાઉ શબદેહને બાળતા નહીં પણ ભૂમિમાં ભંડારતા હતા અથવા પર્વતની ગુફામાં મુકી આવતા હતા. ત્યારપછી બધેરે, તેઓને શબ બાળવાનો વિધિ શીખવ્યું. બધેનના શીખવવા ઉપર વિશેષ આસ્થા રાખી, તેઓએ, તે સમયથી શબને દાહ કરવાનું શરૂ કર્યું અને શબની રાખ ઉપર એક ઊંચો એટલે કરવાની રીત તેઓએ દાખલ કરી. વળી મૃત આશામીના અગ્નિસંસ્કાર સાથે તેની વિધવા સ્ત્રીને પણ તેઓ સતી થાવા દેતા હતા. હીરોડોસ બેલે છે જે એ સઘળી પ્રથા શાકદ્વીપમાંથી , તેઓએ ગ્રહણ કરી છે. સતીના સહમરણના વિષયમાં સ્કદનાભના શૈવી લોકમાં એક નવી પ્રથા ચાલેલી હતી. જે મૃત આશામી જે બહુ પત્નીવાળે છે તે તેની મોટી પત્ની તેની પાછળ સતી થાય. ધેન સાથે જે સઘળા મહાપુરૂષે કંદનાભમાં ઉપનિવિષ્ટ ૧ મનુષ્યની ખોપરી ૨ મૃત શરીર. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035290
Book TitleTod Rajasthan Vol 01
Original Sutra AuthorN/A
AuthorSavailal Chotalal Vohra
PublisherPurushottamdas Gigabhai Shah
Publication Year1911
Total Pages914
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy