SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ ટોડ રાજસ્થાન, મહાત્મા દિદારાએ, શક જાતિની ઉત્પતિ સંબધે જે વિવરણ પ્રગટ કર્યું છે તે વિવરણ આપણું સમાલોચિત હીંદુ, તાતાર અને ચીનના વંશવિવરણ સાથે સારી રીતે મળતું આવે છે. આ સ્થળે પ્રયજન વિશે આપણે, તેનું સંક્ષિપ્ત વિવરણ કરીએ છીએ. દીદારાએ કહેલ છે જે– ૭ આરક્ષેશનદની વિશાળ તીરભુમિ, શક કે નું પહેલું વાસસ્થાન હતું. અદ્ધમાનુષી અને અદ્ધિસપરૂપિણી કોઈ સ્ત્રીના ગર્ભ તેઓએ જન્મ લીધે છે. ઉપર કહેલી અપૂર્વ રૂપવાળી સ્ત્રી પૃથિવીની દુહિતાનું જીપીટરે પાણિગ્રહણ કર્યું. તે સ્ત્રીના ગર્ભથી શીઘેશ નામનો એક પુત્ર પેદા થા. શીયેશની સંતતિઓ તેના નામે પરિચિત થઈ. શીયેશના પલસ અને નાપસ નામના બે પરાક્રમી પુત્ર પેદા થયા. તે એટલાબધા પ્રબલ પરાકાંત થઈ પડયા કે આફ્રીકાને વાસસ્થળ વિહારી નીળવદ અને પુર્વ મહાસાગરના મધ્યમાં આવેલ સુવિશાળ મહાદેશ તેના કબજામાં આવ્યા હતા. મહાવીર શીર્થશે જે મહા વંશતરૂ રેપ્યું તેમાંથી અનેક રાજકુળની શાખા પ્રશાખા થઈ તે શાખ પ્રશાખામાં શાકન, મસાજતી અરીધે પપન વિગેરે પ્રધાન છે. એક સમયે, તે સઘળ. વીરવંશીય લોકો પોતાના પ્રચંડ ભુજબળે આસીરીયા અને મીડીયાનાં રાજ્ય જીતી લીધાં હતાં. અને આસીરીયાના અને મીડીયાના અધિવાસીઓને આરક્ષેશ નદીના કાંઠા ઉપર વસાવ્યા હતા. શકપતિ શિથશે જે વિશાળ વંશવૃક્ષ રોપ્યું તેની શાખા થકી અનેક રાજકુળ પેદા થઈ તેઓએ રાજસ્થાનના છત્રીસ રાજકુળમાં પ્રતિષ્ઠા મેળવી છે. ક્યા સમયે, તેઓ શાકઢીપ ( સીથીયા ) ને છોડી ભારતભૂમિમાં આવી રાજસ્થાનના જ શક ( સીલીયન ) ઑછmતિ છે. તે જતિએ સૂર્યવંશીય બાહુરાજાને રાજ્ય થકી દૂર કર્યો હતો. પણ બાહુરાજાના પુત્ર મહારાજ સારે તેનું સારું શાસન કર્યું. કુળપુરોહિત વશિષ્ટના અનુરોધે સગરે તેઓને વધ ન કર્યો. પણ તેણે, તેઓનું અડધું માથું મુંડાવી, તેઓના સહયોગી કાબેજ પÇવ પારદ અને યવને તે વિશેષ ચિહ કરી કાઢી મુક્યો. ततः शकान् सयवनान् कांवोजान् पारदां स्तथा । परे लहवांचापि निःशेषान् कर्तुं व्यवसितो नृपः ते हन्यमाना वीरेण सगरेण महौजसा । वसिष्ठं शरणं जामुः सूर्यवंश पुरोहितं वशिष्ठः शरणापन्नान् समरे स्थाप्यता नृषिः। सगरं वारयामास तेभ्यो दत्वाऽभयं तदा सगरस्तां प्रतिज्ञातु निशम्य सु महाबलः । धर्म जधान् तेपांच वेशानत्यांश्च कारहः अर्द्ध शिरः शकानांतु मुंडयामास भूपत्तिः पाद्मस्वर्गखंड १५ अध्याय. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035290
Book TitleTod Rajasthan Vol 01
Original Sutra AuthorN/A
AuthorSavailal Chotalal Vohra
PublisherPurushottamdas Gigabhai Shah
Publication Year1911
Total Pages914
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy