SearchBrowseAboutContactDonate
Page Preview
Page 854
Loading...
Download File
Download File
Page Text
________________ મારવાડકોટા. ૭૫૯ મકુલરાવ પછી હદેવ અંબરના સિંહાસને બેઠા. પિતાના પૂર્વજોની જેમ હણદેવે પણ મીન લોક સાથે સમરાનલ સળગાવ્યું. તેને ઉત્તરાધિકારી કુંતુલ હતા કુંતલ પોતાની રાજધાનીના પડખેના પાત્ર પ્રદેશના મીન અધિવાસીઓ ઉપર પિતાનું અધિપત્ય ફેલાવવા સત્તાવાળે છે, તે સમયે ભૂટવાર જન પદમાં એક ચેહાણ રાજા રાજ કરતે હતો. તેની પુત્રી સાથે કુંતલનો વિવાહ સંબંધ સ્થિર થયા. ત્યાર પછી કુશાવહ રાજ કુમારે ચોહાણ રાજકુમારીને પરણવા તૈયારી અને ગોઠવણ કરી તેની વિવાહ યાત્રાના દિવસે તેની. મીન પ્રજાએ ચારે તરફથી આવી તેને કહ્યું રાજન અમે અગાઉના વૃત્તાંત ભુલ્યા નથી, તમારા પિતૃ પુરૂષની વિશ્વાસ ઘાતક્તા શોણિતા અક્ષરે અમારા હૃદયપટ અંકિત થયેલ છે, આપ જ્યારે નગર છેડી દૂર જાઓ છો ત્યારે નીશાન નગારું અમને સોંપી જાઓ” તેજસ્વી કુતલ તેમ કરવા સંમત થયે નહિ. મીકેન લોએ પણ લીધેલી જીદ છોડી નહિ તેથી બંને દળ વચ્ચે એક ઘેર યુદ્ધ થયું. તે યુધ્ધમાં મીન લોકો હારી ગયા. તેના અનેક સિનિકે રણ સ્થળે પડ્યા. એ ઘટના પછી કુંતલદેવ પિતાનું અધિપત્ય વિસ્તૃત પ્રદેશમાં વિસ્તારવા સત્તાવાળે થે. કુતલ પછી સુપ્રસિધ્ધ રાવ પૂજન અંબરના સિંહાસને બેઠે, રાવપૂજનનું પવિત્ર નામ આજ પણ રજપુતોના હૃદયમાં વિરાજે છે. મહા કવિ ચંદ બારોટની અમૃતમયી વર્ણતાના પ્રસ્તાવમાં રાવપૂજન હજી પણ અમૃર થઈ બેઠો છે. કુશાવહ પૂજનનું મહનીય ચરિત અનુશીલન કયાના પહેલા આપણે પ્રયજન વિશે અંબરના તે સમયેના ભેમિક અધિવાસીઓના વિષયની એક આલેચના કરવી ઉચિત છે. ઉંદરના પ્રાચીન અને વિશુધ્ધ મીન લોકો તે કાળે પાંચવડા નામે પ્રસિધ્ધ હતા, એ પાંચવડા કુળ પાંચ શાખામાં વિભક્ત હતું. અજમેરથી તે યુમનાના પાસેના પ્રદેશ સુધી કાલી ને નામે જે શેલમાળા ચાલી જાય છે, તે શેલમાળા પ્રાચીન પાંચ. વડાની આવાસ ભૂમિ, તે વિશાળગિરિત્રજના એક સ્થાને તેઓએ પોતાના કુળદેવી અંબાના સ્મ રણ માટે અંબર નગર સ્થાપ્યું. અંબાદેવીને મીન લોકે ઘાટ્ટાણી કહેતા હતા, તે વિસ્તૃત પર્વત માળામાં મીનના ગંગ, માત્ર વગેરે મેટાં નગરો પ્રતિષ્ઠિત હતા. તે ગિરિમાળામાં મીન લોક સુખથી સ્વતંત્રતા ભોગવતા હતા, ચારે તરફના રપુતના પ્રભાવની સ્પર્ધા કરતા તેઓ, પિતાનું રાજ ગુખથી ભોગવતા હતા, તે સઘળા મીન લોકો માટે એક પ્રાચીન નાઈન નગરમાં રહેતા હતા. બાબર અને હુમાયુન સમ સામાયિક કુશાવહ રાજા વાહારમલે તેનાઇન વાસી મીનની સ્વાધીનતા છીનવી લીધી. એ પાર્વત્ય અધિવાસીઓના ઉપ નામના ઉચ્ચારણ સંબંધે પાર્થકય માલુમ પડે છે, કેટલાક તેઓને મન કહે છે, અને કેટલાક તેઓને મીન કહે છે, એ બંને ઉપ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035290
Book TitleTod Rajasthan Vol 01
Original Sutra AuthorN/A
AuthorSavailal Chotalal Vohra
PublisherPurushottamdas Gigabhai Shah
Publication Year1911
Total Pages914
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy