SearchBrowseAboutContactDonate
Page Preview
Page 843
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૪૮ ટોડ રાજસ્થાન. આઠ ટોળી, બત્રીશ તપ અને સવારની ચાદ ટોળી હતી. જાલમસિંહની તેટલી સેના હતી. જે અંગ્રેજ સેનાએ આવી જાલમસિંહને આનુકુથ આપ્યું. તે રાજ પ્રતિનિધિની પડખે ચાલતી. જે સ્થળમાંથી થઈ શત્રુ સેના અગ્રસર થઈ તે સ્થળ અસમ હતું તે અસમ સ્થળમાં થઈ એક નદી વહેતી હતી. મહારાવ કિશોરસિંહે તે નદીના એક ઉચા ભાગ ઉપર પિતાની છાવણી રાખી હતી. પિતાને પરાવાસ છેડી તે દળ સાથે નદીની સૈક્ત ભૂમિ ઉપર આવ્યું. - શત્રુ સેના રાજ પલટનથી ચારસો હાથ દૂર હતી. સદાશ એજ ટે અંગ્રેજ સેનાપતિને ક્ષણ કાળ યુદ્ધ બંધ રાખવાનું કહ્યું તે મહારાવ કિશોરસિંહ પાસે ગયો અને દળની બરોબર વચમાં રહી તેણે મહારાવ અને તેના સેના સામંતને કહ્યું હજી પણ તમે તમારા ભવિષ્યદનઈથી દૂર રહો ! હજી પણ સમય છે ” તમારા સઘળા દોષો અને અપરાધ માફ થાશે. મારા પ્રસ્તાવ ઉપર સંમત થાઓ અને મહારાવને મેટા સમાનથી કેટાના સિંહાસને બેસારી દેશને પરોપકાર કરો ! ” જે સમયે એવી રીતને પ્રરતાવ ચાલતો હતો તે સમયે અને પક્ષના થડા થોડા સૈનિકો એક બીજાના સંમુખીન થયા. કિશોરસિંહે કહ્યું “ મારા સંમાનની રક્ષા કરે અમારા કરતાવમાં સંમત થાઓ. તે હું યુદ્ધ સ્થળથી પાછા ફરૂં. નહિત અદષ્ટમાં હશે તે થાશે” જોતા જોતામાં બન્ને દળ એક બીજાના સંમુખિન થઈ યુદ્ધ કરવા તત્પર થયા મહારાવની ખાસ સેનાએ જાલિમસિંહના દળબળ સાથે હુમલો કર્યો. શત્રુ સેનામાં અવિસ્ત ગેળા આવવા લાગ્યા. તે પોની ગર્જનાથી ચારે દિશા અવાજ વાળી થઈ જે દિશાએ નઝર થાતી તે દિશાથી ગોળાના વરસાદ આવવા લાગ્યા. રાજકીય સેનામાં અનેક વીરે પડયા પણ તેથી કોઈ નિરૂત્સાહ થયું નહિ. પણ સઘળા બમણા ઉત્સાહીત થયા. ફતીયાબાદ અને ઢેળપુરના રણ ક્ષેત્રમાં હારવંશને જે વયનિ એકવાર પ્રચંડ વેગે સળગી ઉઠયે હતું તેવો આજ પણ સળગી ઉઠે. તે સ્વામી ધર્મ, જે રાજભક્તિ તે જવલંત સ્વદેશાનુરાગ દુનીયામાં હોય તે જાતે મૂર્તિમાન થઈ, આજ સ્વાધીનતાપહારક શત્રુના પ્રાણ સંહાર કરવામાં પ્રાણપણે ચેષ્ટા કરવા લાગે. દરેક મુહુર્ત હારવતીના બે ચાર વીરે યુદ્ધ થળે પડવા લાગ્યા. બાકીના હારાવતી રજપુતોએ મેટા ઉત્સાહથી શત્રુના ગૃહને ભેદ કરવાની ચેષ્ટા કરી. અનેક હારાવતી વીર જાલમસિંહની તેપના મુખની પાસે પડયા. જાલિમસિંહની સેનાના પગ ખસવા લાગ્યા. એટ લામાં બ્રીટીશ સેનાના ત્રણ દળ ત્યાં આવી. તે લેકેને ઉત્સાહ આપે. તેઓએ ઘોર ઉસાહથી રાજ પલટન ઉપર ગોળીને વરસાદ વરસાવ્ય, વ્યર્થ મને રથ થઈ મહારાવ કિશોરસિહે યુદ્ધસ્થળ છોડવાને વિચાર કર્યો. રાજકીય પલટન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035290
Book TitleTod Rajasthan Vol 01
Original Sutra AuthorN/A
AuthorSavailal Chotalal Vohra
PublisherPurushottamdas Gigabhai Shah
Publication Year1911
Total Pages914
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy