SearchBrowseAboutContactDonate
Page Preview
Page 781
Loading...
Download File
Download File
Page Text
________________ ટડ રાજસ્થાન. સિંહ અને હરિસિંહ સાથે બુરહાનપુરમાં આવ્યું. ત્યાં તે વિદ્રોહીદળને સંમુખીન થયું. ત્યાં એક યુદ્ધ થયું. તે યુદ્ધમાં વિદ્રોહી કે સંપૂર્ણ પરાભવ પામ્યા. અને ચારે દિશામાં પલાયન કરી ગયા, એ યુદ્ધ સંવત્ ૧૬૩૫ (ઈ. સ. ૧૫૭૯) માં ઘટયું. તે યુદ્ધમાં બુદીરાજ રતનસિંહના બને પુત્ર ભયંકર રીતે ત્યાં ઘાયલ થયા. તે પરાક્રમના કામથી રાવરતનસિંહે બુરહાનપુર મેળવ્યું તેના બીજા પુત્ર મધુસિંહને કેટનગર અને બીજો ભૂમિભાગ મળે. - બુરહાનપુરના શાસનકાળમાં રાવરતનસિંહે રતનપુર સ્થાપ્યું, તેનાથી વળી એક પ્રજનીય વ્યાપાર સાધિત થશે. તે વ્યાપારથી તે મોગલ સમ્રાટને અને મેવાડેશ્વરને સંતુષ્ટ કર્યો. મોગલના તાબાને વજીર દેરાપુનાં મેવાડમાં છાની રીતે દસ્યભાવ કરતા હતા, દેરાપુખાના અત્યાચારથી મેવાડવાસીઓ, પુરેપુરા પિડિત થયા, હારરાજ રતનસિ હૈ, યુદ્ધમાં તેને રાજીત કરી કેદી બનાવી મોગલ સમ્રાટ પાસે મોકલ્યો. એવા કામાથી સમ્રાટ પાસેથી તેણે સારા પુરસ્કાર મેળવ્યું. રાવરતનસિંહ, એક ઉપયુક્ત રાજા હતા. રજપુત તથા હીંદુજાતિ તેની ભક્તિમાં તત્પર હતી. સાથી કે તેણે હીંદુધર્મને અધઃપાતમાંથી બચાવ્યું. તેના પ્રચડ તેજ પ્રભાવે કે ઈપણ મુસલમાન તેના રાજ્યમાં હત્યા કરી શકતા નહિ. હીંદુજાતિને પુષ્કળ ઉપકાર કરી, રાવરતનસિંહ બુરહાનપુર પાસેના એક સામાન્ય યુદ્ધમાં મરણ પામે. ગોપીનાથ મધુસિંહ : હરિજી અને જગન્નાથ* નામના ચાર પુત્ર રાવ રતનસિંહના હતા. મોટો પુત્ર ગોપીનાથ, પિતાના અગાઉ સ્વર્ગવાસી થયે હતે. તેના મૃત્યુ સંબંધે જે વિવરણ સાંભળવામાં આવે છે, તેને સંપૂર્ણ ઓપન્યાસિક વિવરણ કહીએ તે અવ્યકતી કહેવાય નહિ. બળદીય ગોત્રના એક બ્રાહ્મણની પત્ની સાથે ગોપીનાથને ગુપ્ત પ્રણય હતે. દરેક અડધી રાત્રીએ બ્રાહ્મણના ઘરની ભીંત ઓળંગી તે બ્રાહ્મણ પત્નીની મુલાકાત કરતે હતે. એકવાર બ્રાહ્મણે તેને પકડી પાડશે, તેના હાથ પગ બાંધી તેને ઘરમાં રાખી, તે બુંદીરાજ પાસે આવી બોલ્યો, “મહારાજ એક ચોર અમારૂં સમાન હરણ કર્યું. તેને અમે પકડ છે. એ ક્ષણે હવે તેને કેવી સજા કરવી” રાવ રતનસિંહે કહ્યું કે તેને મૃત્યુદંડની સજા આપવી. અભિતૃપ્ત બ્રાહ્મણે, કોઈ પણ નિમતની દરકાર ન કરતાં ઘરમાં આવી ગોપીનાથનું માથું લોઢાની મેઘરીથી કચરી નાંખ્યું. ત્યારપછી તેના શબને સરીયામ રસ્તામાં તેણે પી દીધું. રાજરતામાં * મધુસિંહને ટાટા મળ્યું હતું $ હરિને ભુગોર મળ્યું હતું x જગન્નાથ નિર્વશ અવસ્થામાં મરણ પાપો, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035290
Book TitleTod Rajasthan Vol 01
Original Sutra AuthorN/A
AuthorSavailal Chotalal Vohra
PublisherPurushottamdas Gigabhai Shah
Publication Year1911
Total Pages914
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy