SearchBrowseAboutContactDonate
Page Preview
Page 772
Loading...
Download File
Download File
Page Text
________________ મારવાડ–બુદી. ૬૭૭ ~ ~~ ~ ~~~ કાળની કુટિલગતિના અનુસારે ધાર્મિક અને સત્ય પરાયણક પદે પદે વિપતિમાં પડે છે. બદના બે ભાઈ નાના સમરસિંહ અને અમરસિંહ નામના હતા. તેઓ રાજ્ય લિસાથી પ્રણાદિત થઈ. મુસલમાન ધર્મમાં દીક્ષિત થયા, અને દિલ્લીશ્વરની સહાયતા મેળવી, તેઓએ બાંદુને બુંદીમાંથી દૂર કર્યો. નિઃસહાય બાં માટુંદ નામના પર્વત પ્રદેશમાં જઈ રહ્યો, તે ગિરિ પ્રદેશમાં તેનું મરણ થયું. બાંદુએ એકવીશ વર્ષ રાજ્ય કર્યું. નારાયણદાસ અને નિબુધ નામના તેના બે પુત્ર હતા. નિબુધને માટુંદા મળ્યું. માટુંદાના તે નિર્જન વાસમાં નારાયણદાસ પ્રતિદિન પરિપુષ્ટ થતા ગયે કમે વયમાં પહોંચી, પિતાની દુર્દશા તે જાણી શક્યું. તેણે જાણ્યું જે તે પિતૃ રાજ્યથી વંચિત થયો અને દીનદશામાં પડેલ, તેને પિતા દુરાચાર સમરસિંહ અમરસિંહ થકી પદગ્યુત થયે. પિતાની અવસ્થા સ્પષ્ટ રીતે જાણે નારાયણદાસ તેનું પ્રતિવિધાન કરવા સંકઃપવાળે થયે. તેણે પથરના હાર રજપુતોને એકઠા કરી સર્વ સમક્ષ કહ્યું “ વીરે ! મેં પ્રતિજ્ઞા કરી છે જે બને તો પિતૃ. રાજ્ય બુંદીને ઉદ્ધાર કરૂં નહિ તે આ કાર ઉદ્યમમાં પ્રાણુને વિસર્જન કરૂં” તમે મને મદદ આપશે કે નહિ બોલે ! સઘળાઓએ તેના પ્રસ્તાવનું અનુમોદન કર્યું અને સુખમાં દુખમાં, સંપદમાં વિપદમાં તેની સાથે જ રહેવા તેઓ એક મત થઈ બોલ્યા. રાછાપહારક દુવૃત્ત સમરસિંહ અને અમરસિંહ સમકાંડી અને અમારકાંડ નામ ધારણ કરી બુંદીનું રાજ્ય ચલાવવા લાગ્યા. તેઓએ અગીયાર વર્ષ રાજ્ય કર્યું. તે અરસામે નારાયણદાસે બનને કાકાને કહેવરાવી મોકલ્યુ જે “ તેને એક વાર તેઓની મુલાકાત કરવાની છે. ” એ સંદેશો મેળવી તેઓએ નિસંદિગ્ધ ચિત્ર ભત્રીજાની મુલાકાત લેવા. સ્વીકાર કર્યો. કેટલાક વિશ્વરત અને બળિછ સેનિકને લઈ નારાયણદાસ બુંદીના મહેલની સામેના ચાક નામના સ્થળે આવ્યું. ત્વાં તે પિતાના સઘળા સહચરને રાખ્યા. તે એક કાકાના ઘરમાં પડે. ત્યાં સમરસિંહ અને અમરસિંહ અરક્ષિત અવસ્થામાં હતા. તે સ્થળે નારાયણદાસ પહેશે. તેની ગંભીર મુખશ્રી જોઈ રાણાપહારી બને ભાઈના મનમાં ભીતિને સંચાર છે. તે પ્રદેશની નીચેની ભૂમિમાં એક ગુફા હતી તેઓએ તેમાં ઉતરવાને ઉપક્રમ કર્યો. તેઓ જેમ તેમાં ઉતરવાને ઉપક્રમ કરે છે તેવામાં બાંદુ પુત્ર નારાયણદાસે ભીષણ ખડગને સમરસિંહના મસ્તક ઉપર પ્રહાર કર્યો. તે જોઈ અમરસિંહ પલાયન કરી ગયો. પણ નાનણદાસે તેને ભાલાથી વધી તેની ગતિ રેકી, તે બને પાખંડીઓના મસ્તક છેદી તે મસ્તકના ઉપહા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035290
Book TitleTod Rajasthan Vol 01
Original Sutra AuthorN/A
AuthorSavailal Chotalal Vohra
PublisherPurushottamdas Gigabhai Shah
Publication Year1911
Total Pages914
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy