SearchBrowseAboutContactDonate
Page Preview
Page 759
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૬૪ પ્રોડ રાજસ્થાન. માણેકરાયને પુષ્કળ સંતાને પેદા થયાં હતાં, તે પ્રત્યેકથી પશ્ચિમ રાજસ્થાનમાં એક એક સ્વતંત્ર શાખા સ્થાપી હતી. આજે તે શાખાઓની વિસ્તૃતિ જોવામાં આવે છે. પણ તે શાખાવાળા રજપુતામાં તેઓના પૂર્વજો પ્રતાપ અને પરાક્રમ જોવામાં આવતાં નથી, જે માણેકરા. પિતાના ભુજબળે પ્રચંડ યવનોના હુમલાનો અટકાવ કરી દીધા હતા, જેના વંશધરે સ્વદેશના માટે જીવન આપી. ખીચી અને હાર વીગેરે રજપુતકુળોને પવિત્ર કરી ગયા છે, આજ તે માણેકારાયની સંતતિ પ્રભાત નક્ષત્રની જેમ ક્ષીણમભ થઈ પિતાના દિવસો કાઢે છે. એ સઘળા કુળમાં ખીચી રજપુતોએ સિંધુસાગર ઉપર અઠાશી કેસ જમીનને કબજે લીધું હતું. આજ તે વિશાળ જમીન ચીટુટ અને સિંધુ દેશ પર્યંત ગયેલ છે. ખીચપુરપતન એ ખીચીવંશની રાજધાની, હાર રજપુતોએ હેરીયાના નામના જનપદમાં આશીની સ્થાપના કરી, હારની એક શાખાએ ગળકુંડની સ્થાપના કરી, મેહલ રજપુતોએ નાગોરની ચારે પડખે કેટલાક સ્થળને કબજે ક. ભાદરીય રજપુતોએ ચંબલ નદીના તીરે એક જાગીર મેળવી, હાલ તે તેઓની સંતતિના તાબામાં છે, તે પ્રદેશનું નામ ભાદુરીય છે, ધુનેરીય રજપુતો શાહાબાદમાં અને વાગ્રીચા રજપુતનાં દોલમાં જઈ વસ્યા. ભારત વર્ષની મરૂભૂમિમાં સ્થાને સ્થાને ચોહાણ વિર માણેકરાયની સંતતિ એ અદકતરૂ રેપ્યું, તે સ્થાને કેટલાક તાબામાં રહી કામ કરતા હતા. કેટલાક સ્વાધીન થઈ કામ કરતા હતા. વળી કેટલાક ધણીનું પદલેહન કરી પિતાની જીવિકાને નિવાહ કરતા હતા. એક તાળિકામાંથી માલુમ પડે છે, જે મહારાજ માણેકરાયથી તે વિશાળદેવ સુધી અગીયાર રાજાઓએ રાજ્ય કર્યું, તેમાં એક માત્ર હર્ષરાજ શીવાય તે સઘળા અપ્રસિદ્ધ એટલે તેઓની જીવનીની આલોચના કરવાનું યુક્તિ સંગત નથી. હામીર રાસામાં અને જે ગારતાલીકામાં હરાજનું નામ જોવામાં આવે છે, તે અને ગ્રંથના સાર સંકળનથી જણાય છે જે હર્ષરાજનું આધિપત્ય આબુ આરાવલી પર્વતથી માંડી પુર્વે ચમહાવતી નદી સુધી હતું, સંવત ૮૧૨ થી તે સંવત્ ૮૨૭ સુધી ( ઈ. સ. ૭૩૮ થી તે ૭૫૩) સુધી હર્ષરાજે રાજ્ય કર્યું, તેણે પિતાના ભુજબળે શત્રુને સંહાર કરી અરિમર્દન નામને ઉપાધિ મેળવ્યું. તેનું અમુલ્ય જીવન માતૃભૂમિના બચાવના અથે યુદ્ધ ક્ષેત્રમાં વિનાશ પામ્યું, ફેરીસ્તામાં વર્ણવેલ છે જે “હીછરા ૧૪૩ ના વર્ષમાં મુસલમાન લેકે પ્રચંડ પ્રતા પશાળી થઈ ઉઠયા, પિતા બળે દપિત થઈ તેઓએ પર્વતવાસ છે, તેઓએ પેશાવર વગેરેના પ્રદેશ અધિકૃત કર્યા. તે સમયે અજમેરા અને એક સગે લાહોરની ગાદીએ હતે. દુર્વત અફગાનેને હુમલે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035290
Book TitleTod Rajasthan Vol 01
Original Sutra AuthorN/A
AuthorSavailal Chotalal Vohra
PublisherPurushottamdas Gigabhai Shah
Publication Year1911
Total Pages914
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy