SearchBrowseAboutContactDonate
Page Preview
Page 740
Loading...
Download File
Download File
Page Text
________________ મારવાડ–વકાનેર, ૬૪૫ સત્કારમાં ભાગ લેવા તૈયાર થઈ પણ તેઓને આનંદ ભાવ થોડા સમયમાં દૂર થયે, સુરતસિંહ મૃત્યુના કરાળગ્રાસમાંથી બચ્ચે. શારિરીક સ્વાસ્થાઓએ બળ મેળવી ગરીબ રેયતનાં લેહી ચુસી પિતાને ખજાને ભરી દેવા તેણે સંકલ્પ કર્યો. તેના અત્યાચારની સીમા રહી નહિ, તેના પાશવી અત્યાચારથી પ્રજા પીડીત થઈ. પાશવી વૃતિથી પ્રણાદિત થઈ સુરતસિંહ એટલે બધો ઉન્મત્ત થઈ ગયું હતું કે તેણે પરમોપકારી બંધુઓનાં લેહી ચુસવા તૈયારી કરી. તેણે બુકાકે સરદારને સંહારક. ઉત્પીડક રાણાપહારક સુરતસિંહના ભયંકર અત્યાચારથી રાજ્યના અમગળની સીમા રહી નહિ, આખું વાંકાનેર કેવળ સ્મશાન જેવું થઈ ગયું, જે રાજા પ્રજાને એકમાત્ર રક્ષક કહેવાયતે જ ભક્ષક થઈ પડયે. સુરતસિંહે પ્રજાના મંગળ તરફ જોયું નહી. જે પ્રકૃતિવર્ગ તેના રાજ્યનું જીવન સ્વરૂપ હતું. તે પ્રકૃતિવર્ગ તેના અત્યાચારથી પ્રતિદિન વિલાપ કરતે હતે. સુરતસિંહે તે વિલાપ સામું પણ જોયું નહિ. પ્રજાવર્ગ અત્યાચારથી પીડાઇ તેના પ્રદેશ ત્યાગ કરી બ્રીટીશ રાજ્યના સીમાડાના જનપદ હાંસી અને હરીયાનામાં ગયા. ત્યાં અંગ્રેજોએ તેને આદરથી ગ્રહણ કર્યો. ત્રણ ત્રેવશ વર્ષમાં માત્ર એક રાષાપહારક સુરતસિંહના અત્યાચારથી વિકાનેરની સમૃદ્ધિ તુટી વિકાનેરના પ્રતિષ્ઠાના રાઠેડ વીર વીકાથકી તે દુરાત્મા સુરતસિંહ સુધી તેરશાસન કાળનું વર્ણન થયું, તેમાં અગીયાર પુરૂએ રાજ્ય કર્યું. વિકાનેરના પ્રકૃતિક વિવરણ ઉપર મોનિવેશ કયા અગાઉ વિદ્યાવતીના વિષય ઉપર કેટલુંક ધ્યાન આપી તેનું વર્ણન કરવું આ સ્થળે કેવળ પ્રજનીય છે. વિદ્યાવતી, વિકાના એક ભાઈ વીદાથી સ્થાપીત. નવું રાજ્ય સ્થાપવાના ઉત્સાહ વિદો કેટલાક સૈનિકે સાથે મુંદરથી બહાર નીકળે, તેણે ગદવાર તરફ પિતાના સૈનિકોને ચલાવ્યા. ગદવાર, તે સમયે રાણાના કબજામાં હતું. તેની આવવાની વાત સાંભળી ગદવારના શાસન કર્તાએ તેને આદરથી ગ્રહણ કર્યો. વિદે તેના તરફ કોઈ રીતનું અમિત્રાચાર કરી શકે નહિ. ત્યાર પછી તે ઉત્તર તરફ ચાલ્યા જ્યાં તેણે મહિલકુળના શાસનકર્તા પાસે આશ્રય લીધે. મહિલકુળ ઘણું પ્રાચીન ઘણા લોકે તેને યદુકુળની એક શાખા કહેતું પણ કેટલાક ઐતિહાસિક છત્રીશ રજપુતેના મૂળમાંથી તેને એક કૂળ ગણે છે. જે સમયે વિદે મેહિલના રાજયમાં આવ્યું ત્યારે તેને અધિપતિ, પોતાનું રાજપાટ ચેપુરમાં સ્થાપી એક ચાળીસ ગામડા ઉપર પોતાનું શાસન ચલાવતા હતા. તેને ઈલ્કાબ ઠાકુરને હતે. તેના તાબામાં કર્મચારી નીમાઈ ચતુર વિદાએ તેનું રાજ્ય હસ્તગત કરવા સુગ જોવાનું શરૂ કર્યું. તેણે જોયું જે બળથી અભીષ્ટ સિદ્ધિ થાય તેમ નથી. છળ અને કૈશળ કરી અભીષ્ટ સિદ્ધિ કરવી તે તેને યુક્ત લાગ્યું. તે રજપુત હતા. ભૂમી મેળવવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035290
Book TitleTod Rajasthan Vol 01
Original Sutra AuthorN/A
AuthorSavailal Chotalal Vohra
PublisherPurushottamdas Gigabhai Shah
Publication Year1911
Total Pages914
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy