SearchBrowseAboutContactDonate
Page Preview
Page 735
Loading...
Download File
Download File
Page Text
________________ ६४० ટોડ રાજસ્થાન. ધપુરના અધિપતિ સાથે રાજા અનુપસિંહ અફગાનને વિશેષે દમન કરવા દૂર દેશે ગે, તેઓના એકઠા દળ બળથી અફગાન હારી ગયા. ત્યાર પછી તે દક્ષિભાવમાં ગયે. તેના મૃત્યુ સંબંધે ફેરીસ્તા ગ્રંથમાં અને ભાટ્ટના ગ્રંથમાં જુદાં જુદાં વિવરણ છે. ભટ્ટ ગ્રંથ થકી માલુણ પડે છે જે અનુપસિંહે એક સ્થળે સેનાનિવેશ બતાવવા પસંદગી બતાવી, યવન સેનાપતિએ તેનો પ્રતિવાદ કે તે માટે વિકાનેર રાજ અપમાનીત થઈ પિતાના રાજ્યમાં આવ્યું. પિતાની રાજધાનીમાં આવ્યા પછી થોડા સમય ઉપર અનુપસિંહે પ્રાણ ત્યાગ કર્યો. તે સમયે સ્વરૂપસિંહ અને સુજનસિંહ નામના તેના બે પુત્ર હતાં. સંવત્ ૧૭૬૫ (ઈ. સ. ૧૭૭૮ ) માં સ્વરૂપસિંહ, પિતૃસિંહાસને બેઠે, પણ તે લાંબે વસ્ત રાજ્ય સુખ ભોગવી શકે નહિ. અનુપસિંહ વિરક્ત થઈ રાજકીય સેનાનો ત્યાગ કર્યો. જે ઉપરથી સમ્રાટની તેની પાસેથી આડોનીને પ્રદેશ ખેંચી લીધે. તે લીધેલી સંપતિ પાછી મેળવવા જતાં સ્વરૂપસિંહને પ્રાણ સંહાર થયે. વરૂપસિંહના મૃત્યુ ઉપર તેના ભાઈ સુજનસિંહ, વાકાનેરની ગાદીએ બેઠો.તેનું રાજ્ય પ્રખ્યાત ઘટના શુન્ય હતું. સુજ સિંહ પછી જોરાવરસિંહ, સંવત્ ૧૭૮૩ (ઇ. સ. ૧૭૨૭ ) વિકાનેરના રાજ્યસિંહાસને બેઠો. વાંકાનેરના ભાટોએ તેના રાજ્ય સંબંધે કઈ પણ વિવરણ આપ્યું નથી. ત્યાર પછી ગજસિંહ, સંવત્ ૧૮૦૨ (ઈ. સ. ૧૭૪૬ ) માં વિકાનેરના રાજ્યસિંહાસને અભિષિક્ત થયે. તેણે એકતાળીસ વર્ષ રાજ્ય કર્યું. તે સમયમાં તેણે ભાવલપુરના ખાં સાથે યુદ્ધ કર્યું. તેણે તે યુદ્ધમાં તેને સંપૂર્ણ પરાભવ . રાજ ગજસિંહના બહુ પુત્ર હતા. એમ કહેવાય છે જે તેનાં એકંદર એકસઠ સંતાન હતા. તેમાં કેવળ છ સંતાન ધર્મ પત્નીના પેટે પેદા થયેલ હતાં. તે છ સંતાનમાં છત્રસિંહ બાલ્યાવસ્થામાં કાળઝાસમાં પડયે. રાજસિંહને ઓરમાન માએ વિષ આપ્યું. શુરતાન અને અજબસિંહ, મોટાભાઈની એવી દુર્દશા જેઈ ઓરમાન માના વિદ્વેષ વન્ડિથી બચી જવાં પિતૃરાજ છે જ્યપુરમાં પલા યન કરી ગયા. ગજસિંહની પછવાડે સુરતસિંહ રાજા થયે. અને સહુથી નાનો શ્યામસિંહ વાકાનેરમાં મૂમિ સંપતિ પામી રહયે. દ્વીતીય રાજકુમાર રાજસિંહ પિતાના મૃત્યુ પછી રાજસિંહાસને બેઠે. માત્ર તેર દિવસ રાજ્ય સુખ ભોગવ્યું ચાદમા દિવસે તેની ઓરમાન માએ પિતાના દીકરા સુરતસિંહને રાજ ગાદી આપવા તેને વિષ આપ્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035290
Book TitleTod Rajasthan Vol 01
Original Sutra AuthorN/A
AuthorSavailal Chotalal Vohra
PublisherPurushottamdas Gigabhai Shah
Publication Year1911
Total Pages914
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy