SearchBrowseAboutContactDonate
Page Preview
Page 594
Loading...
Download File
Download File
Page Text
________________ મારવાડ રિવાજ મુજબ તે પોષાક તેણે સમ્રાટના રૂબરૂ પહે, પૃથ્વીસિંહ સમ્રાટની ઉપયુક્ત વંદના કરી વિદાય થયે. હાય! તેજ દિવસ તેના ઉલ્લાસમય દિવસને શેષ દિવસ રાજસભામાંથી કુમાર પૃથ્વીસિંહ વિદાય થઈ પિતાના વાસભવનમાં આવ્યું. તે સમયે કુમાર પૃથ્વીસિંહ દારૂણ ઉદ્વેગથી પીત થયે. તેના હૃદયમાં વિકટ અને ભયંકર યંત્રણ થવા લાગી. તે યંત્રણાથી પીડા પાપે. તે એક મુહર્ત પણ સ્થિર રહી શકે નહિ. તે માથાથી તે પગસુધી કંપવા લાગ્ય, ક્રમે સઘળું શરીર નિસ્તબ્ધ થયું. રાઠોડ કુમારના જીવનની અંતિમદશા દશા થઈ તે સ્વર્ગવાસી થયે. - કુમાર પૃથ્વીસિંહ, રાજા યશવંતને નયનમણિ, વાકયને પષિસ્વરૂપ તે રાઠોડકુળને ઉપયુક્ત રાજપુત્ર, વીરકેસરી ધરાવને ઉપયુક્ત વંશધર, વૃદ્ધ યશવંતે મનમાં આપ્યું હતું જે અંતિમવયસે તેના હાથમાં રાઠોડકુળનું શાસન સોંપીશ, પણ દુર્ભાગ્યવશે તેની તે વાંસના ફળીભુત થઈ નહિ. - તેનું જીવનસ્વરૂપ હૃદયનંદન યુવાવસ્થામાં પદાર્પણ કર્યું કે તુરત દુવૃત્ત ઔરંગજેબના રેષાનળમાં પડી પતંગની જેમ બાળી મુઓ. યશવંતસિંહની આશાળતા તુટી ગઈ. પુત્રશોકે આજ તેનું હૃદય ભાંગી ગયું, તેણે સ્વપ્નમાં પણ વિચાર્યું નહોતું જે નિષ્ફર ઔરંગજેબ તેના તરફ એવું આચરણ કરશે. વળી નિષ્ફર યમરાજના કરાળગ્રાસમાં તેના બે પુત્ર જતસિંહ અને દીક્ષમન આવી પડવાથી તે થોડો સમય પણ બચી શકે નહિ. શેકથી દુઃખથી અને દારૂણ મનોવેદનાથી પીડીત થઈ ભગ્નહૃદય રાઠોડરાજ યશવંતસિંહ સંવત ૧૭૩૭ (ઈ. સ. ૧૬૮૧ )માં આલોક થકી વિદાય થયો. તેના મૃત્યુનું પ્રાકકાળે તેને આશાપ્રદીપ ઓલવાઈ ગયા હતા. યશવંતસિંહ પિતાના મહાપ્રસ્થાન ઉપર કેઈ ઉત્તરાધીકારીને મુકી ગયે નહેતો. જે વર્ષે યશવંતસિંહ આલેકમાંથી વિદાય થયે તેજ વર્ષમાં મહારાષ્ટ વીર શિવાજીએ પણ આલોકને ત્યાગ કર્યો, ઔરંગજેબ બે મોટા શત્રુની પ્રતિઇંદ્રિતામાંથી બચી ગયે. તે બન્ને મહાવીરેને તે પ્રત્યક્ષ ચમ સરખા જેતે હતે. મેવાડ વીરપ્રવર રાણા રાજસિંહને ઈતિહાસ લેખક કહે છે જે, “ યશવંત જ્યાં સુધી જીવતા રહયે ત્યાંસુધી ઔરંગજેબના લાંબા નિસાસા વાગ્યા નહતા.” રાજા યશવંતસિંહે. બેંતાળીશ વર્ષ રાજ્ય કર્યું. વીરપ્રસૂ રજપુતાનામાં જે દેશ પ્રેમિક રજપુત વીરે થઈ ગયા તે રજપુતામાં યશવંતસિંહ ઉચું આસન પામે છે. યશવંતસિંહની કાર્ય કુશળતા ઉચી શ્રેણીવાળી હતી ખરી પણ તે દુતા ઔરંગઝેબના પ્રચંડ શત્રુની મદદ કરી ભારતવર્ષમાંથી મેગલ શાસન નિમૅલ કરી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035290
Book TitleTod Rajasthan Vol 01
Original Sutra AuthorN/A
AuthorSavailal Chotalal Vohra
PublisherPurushottamdas Gigabhai Shah
Publication Year1911
Total Pages914
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy