SearchBrowseAboutContactDonate
Page Preview
Page 543
Loading...
Download File
Download File
Page Text
________________ ४४८ ટૅડ રાજસ્થાન, સભૂમિ ભારત માતાના ચરણમાં કઠેર દાસત્વ શૃંખલા બંધાઈ ગઈ મહમદના અભિયાનના અગાઉ ભારતવર્ષ નીચે લખેલા ચાર રાજ્યમાં વિભક્ત હતું. ૧ દિલી, તયાર ચોહાણ રજપુતના તાબામાં, ૨ કાજ, રાઠોડ રજપુતના તાબામાં. ૩ મેવાડ, ગિહોટ રજપુતના તાબામાં ૪ અણહીલવાડ, સાર અને સોલંકીના તાબામાં. તે પ્રત્યેકના તાબામાં અસંખ્ય સામંત રાજ્ય હતા. તેઓ સામત પ્રથાના અનુસારે પિતપોતાના અધિપતિને આદેશ પાળતા, યુદ્ધ કાળે દેશપતિના વાવટા નીચે રહી પ્રાણ આપી યુદ્ધ કરતા હતા, દિલ્લી અને કનોજ પરસ્પર સ્વતંત્ર રાજ્ય હેઈ, એક બીજાના વિસંવાદી હેઈ, અત્યંત નિકટની હદદે આવેલ બંનેની વચ્ચે કાલી નદી પ્રવાહીત, બન્નેનું મેળવેલ રાજ્ય સમતુલ્ય, તે કાળી નદીથી તે દૂર સિંધુ પ્રદેશ સુધી અને હિમગિરિના પાદ પ્રદેશથી તે આરાવલીના શેલ પ્રાકારસુધી દિલીનું વિશાળ રાજ્ય વિસ્મૃત હતું, એ અવિરતૃત તયારવંશીય રાજા અનંગપાળથી શાસિત, ત્યારપછી તે ચોહાણરાજ પૃથ્વીરાજને મળ્યું, તે સમયે એકસો આઠ પ્રધાન સામંત રાજા ઉપર તેનું આધિપત્ય હતું ગmત કનોજની પ્રભુતા, ઉત્તરે હિમાલય, પૂવે બનારસ અને ચંબલ નદીના પારે બુદેલખંડ સુધી વિસ્તૃત, દક્ષિણે મેવાડની સીમા બદ્ધ હદ. ભટ્ટ ગ્રંથમાં લખેલ છે જે, એ સઘળા રાજાઓ ઘણું કરી પરસ્પરના વિરૂધ્ધ તલવાર લેતા અને પરસ્પરના હૃદય શોણિત પીતા. તેમાં માત્ર ગિહેટ રજપુત અને ચોહાણ રજપુતે મિત્રભાવે વર્તતા અને રાઠોડ વંશીય રજપુતે અને તુઆર વંશીય રજપુત શત્રુભાવે પોત પોતાને સમય કહાઢતા. રાઠોડની અને તુઆરવંશની શત્રુતાએ ભારતવર્ષને સર્વ નાશ કર્યો. જે દુનેિ દુષદવતીના શેણિતાક્ત જળમાં ભારતવર્ષને ગેરવરવિ નિમન થયે. તે દિને વિજયી શાહબુદદીને પાંડવ વીર યુધિષ્ઠિરની રાજધાનીને કબજે ક, ત્યારપછી શાહબુદદીને પાપાચારી જયચંદ્ર ઉપર હુમલો કર્યો. અગાઉ પૃથ્વીરાજના સાથેના યુદ્ધમાં જયચંદ્ર પોતાની સેનાને અપવ્યય કરી દીધું હતું. આ ક્ષણે એ આવેલી ઘોર વિપદમાંથી બચવા માટે સેના સંગ્રહ કરી તે શાહબુદ્દીનની સામે થયે. પણ તેની સઘળી ચુદા વિફળ થઈ તે પરાકાંત આ કમનું પ્રચંડ બળ તે રેધી શકે નહિ, છેવટે ગંગાને પાર પામી પલાયન કરતાં કરતાં સુર ધુનીના પવિત્ર જળમાં તેની નિકા ડુબી. જ્યાં તે પવિત્ર જળમાં ડુબી મુઓ. એ શોચનીય વ્યવહાર સંવત્ ૧૨૪૯ ( ઈ. સ. ૧૧૯૭ ) માં બન્યો, તે સમયે કને જના વિશાળક્ષેત્રમાંથી મહારાજ નયનપાળે રેપેલ વંશતરૂ ઉત્પાટિત થયું. પણ તે એકદમ વિનષ્ટ થયું નહિ. અષ્ટદેવના અલંધ્ય વિધાનાનકમે કેટલાક રાઠોડવીએ, તે ઉત્પાટિત મરૂને ફરીથી ભારતવર્ષને મરૂ પ્રાંતમાં રોયું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035290
Book TitleTod Rajasthan Vol 01
Original Sutra AuthorN/A
AuthorSavailal Chotalal Vohra
PublisherPurushottamdas Gigabhai Shah
Publication Year1911
Total Pages914
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy