SearchBrowseAboutContactDonate
Page Preview
Page 479
Loading...
Download File
Download File
Page Text
________________ ટોડ રાજસ્થાન, મંત્રણાગારમાં એકજ દ્રઢ પ્રતિજ્ઞ અને પારદર્શીય પુરૂષ હતું, જે પુરૂષનું નામ કીસનદાસ, કીસનદાસ, લાંબા વક્ત સુધી રાણાના દમ પદે હતે. તેના ઉદ્યોગ અને અધ્યવસાયથી મેવાડવાસી અને મારવાડવાસીને અત્યંત ઉપકાર થયો, મેવાડ વાસીઓએ, તે મંત્રીની સેવાને બદલે ઠીક આપે નહિ. મેવાડ રાજ્યના સંસ્કાર સાધનમાં પ્રવૃત્ત થઈ બ્રીટીશ એજટે સર્વની પહેલાં મેવાડના વૈપ્લેવિક સરદાર અને સામત રાણાની વસ્થતા સ્વીકારે એવી જના કરવાનું શરૂ કર્યું, તે નિશ્ચય જાણતા હતા જે એવા લોકેને દબાવી દીધા વિના મેવાડનું મંગળ નથી. એવા લોકોનું દમન કરી, તેઓનો નિગ્રહ કરે. તે કામ સુકર નહોતું, એજેટની સૂચના પ્રમાણે તે સઘળા સામત રાણાની સભામાં આવ્યા, કેઈ પણ સરદાર, રાજ સભામાં આવવાને પરોગમુખ નહોતે, રાજસ્થાનના સઘળા રજપુત રાજાઓને ટેડ સાહેબે એકતા સૂત્રે બાંધી દીધા. મેવાડમાં ભીલવાડા નામનું એક વાણિજ્ય નગર હતું, આપણે ઉપર કહી ગયા કે તે ભીલવાડાને દુધર્ષ મરાઠાઓએ ઉત્સાહિત કર્યું તે નગર અરણ્ય જેવું થઈ ગયું, જ્યાં જન સમાગમ થતું નહિ. આજ તે નગરમાં દૂર દેશથી વેપારને માલ આવવા લાગ્યો, જે સ્થળે માનવનો સમાગમ નહતો, તે સ્થળે આજ દુર દેશાવરના વેપારીઓના માલની ભરતીથી આવવા જવા મુશ્કેલ થઈ પડયું હતું, ભીલવાડાના અધિવાસીઓ, શાંતિ સુખને ભેગા કરી શ્રીવદ્ધિના ઉંચા પગથીયે ચઢ બેઠા ખરા પણ આ જગતમાં નિરવાછિન સુખભગ કેઈના ભાગ્યમાં હોતો નથી. તે નગરને વાસીઓને વિદેશીય વણિકો સાથે શેર કલહ થયું. તે પરસ્પર એક બીજાની ઉન્નતિના માર્ગમાં કાંટાઓ નાંખવા લાગ્યા, એ વ્યવસાયવાળી અશાંતિને દૂર કરવા રાણાએ સંપૂર્ણ ચેષ્ટા કરી, પણ તે નિષ્ફળ નીવડી. વ્યવસાયથી પેદા થયેલ કલહ કાંઈ મંદ થયો કે, ધર્મને કલહ તેઓના વચ્ચે ચાલ્યું. ભીલવાડાના રહેવાસીઓમાં વૈષ્ણવ અને જૈન એવા બે મતાવલંબી માણસોના પક્ષ હતા. તે બન્ને પક્ષમાં વિષાગ્નિ એ સળગી ઉઠે કે તેને એલવી દેવા તેઓને ધર્માધિકરણની મદદ લેવી પડી, તેથી કરી અને પક્ષવાળાને સંપૂર્ણ ક્ષતિ થઈ. ઈ. સ. ૧૮૨પના વર્ષમાં રજપુતસ્થાનની મુસાફરીમાં મહાત્મા ટેડ સાહેબ ભીલવાડાની આબાદી જોઈ અત્યંત આનંદીત થયે. તે સમયમાં મેવાડના વ્યવસાયી લોકોની અવસ્થાનું વર્ણન આપણે કરી ગયા. કૃષક અને વણિક લેકની અવસ્થા બાબે જાણવાનું આવશ્યક્તા ભરેલું છે. ટોડ સાહેબની નીગાહબાની નીચે તે લોકોને તેઓના ધંધામાં ઉત્સાહ આપવા રાણા વગેરે ચેષ્ટા કરવા લાગ્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035290
Book TitleTod Rajasthan Vol 01
Original Sutra AuthorN/A
AuthorSavailal Chotalal Vohra
PublisherPurushottamdas Gigabhai Shah
Publication Year1911
Total Pages914
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy