SearchBrowseAboutContactDonate
Page Preview
Page 466
Loading...
Download File
Download File
Page Text
________________ રણે દ્વિતીય પ્રતાપસિંહ વી. ૪૦૩ રેવાને ઇચ્છતા હેતે ચાલે ! એકવાર હાસ્યમય તે ઉદયપુરના ઉપયંકા પ્રદેશમાં જઈએ ચાલે! એકવાર ઉદયપુરવાસીઓ સાથે હદય તંત્રી મેળવી રાજકુમારીના માટે પિટ ભરી રેઈએ, ખુબસુરત કૃષ્ણકુમારીએ, પોતાના ઉમ્મરના સોળમાં વર્ષમાં પગલું મુક્યું હતું. વિનના સહચર સઘળા સદર્યથી તેની કાયા વિરાઇ હતી, તે પિતૃવશે જેવી ઉંચા કુલમાં પેદા થઈ હતી, તેવી માતૃઅંશે પણ તેવા ઊંચ કુળમાં પેદા થઈ હતી. જે પ્રાચીન સાર રાજાઓએ અણહીલવાડ પાટણમાં લાંબો સમય રાજ્ય કર્યું. તે રાજાઓના કળમાં કૃષ્ણકુમારીની મા પેદા થઈ. કૃષ્ણકુમારી રૂડા ગુણે વિભૂષીત હતી. તે માટે તેને રાજસ્થાનમાં “ કમલિની ” નામે કહેતા હતા પણ ભારતવર્ષનું દુર્ભાગ્ય. જે તે આ લેક સામાન્ય લાવણ્યવાળી રાજકુમારીનું ઘણું વર્ષ સુધી દર્શન કરી શકયું નહિ. સૈદય વિકાશના પ્રારંભ કાળમાં તે અનાઘાત વિમલવિકય નલિની વૃતધૃત થઈ અકાળે અનંત કાલના માટે ધ્વસસલિમાં ડુબી ગઈ. કૃષ્ણકુમારી જેવી સવગસુંદર અને અભાગણી બાલિકા જગતમાં માત્ર બે ચાર પેદા થઈ હશે. ઉંચા કુળમાં પેદા થઈ અસહનીય દુઃખ ભોગવી, માતૃભૂમિના પદો મરણને આલિંગન કરનારી કૃષ્ણકુમારી જેવી બેચાર સ્ત્રીઓ આ વિશ્વમાં પેદા થઈ હશે. કૃષ્ણકુમારીનું અમૂલ્ય જીવન વૃથા નષ્ટ પામ્યું. ટેમીય સી અભાણું વરજીનીયાએ જ નિરબલ પિતાના પિતાની તીક્ષણ ધારવાળી છરી. નીચે પિતાની કેમળ છાતી પાથરી અને ગ્રીસીય, સુંદરી એરીજીનીયાએ, ન ચૂપ કાર્ટે પિતાનું અમૂલ્ય જીવન છેડી દીધું. કૃષ્ણકુમારીના જીવન વિસર્જનનું વૃત્તાંત વાંચવાથી શેકને વેગ થાય તેવું છે. જે દિવસે, તે સરલ સ્વભાવ વાળી બાળાએ, જવલંત દાખલે રાખી આ જગતમાંથી વિદાયગીરી લીધી તે દિવસથી મેવાડને દારૂણ અધઃપાત થયે. શેણિત પિપાસુ પાખંડ આમીરખાંએ, પાશવી વિશ્વાસઘાતકતાની, સહાય * શ્રીમતી વરછનીયા, રમના વિખ્યાત મહારથ લુસીયસ વાહજીનીયસની પુત્રી. એમ કહેવાય છે જે એપીપસ કલેડીયસ નામના પુરૂષે, તેને તેના માબાપ પાસેથી હરી લઈ જવા ચેષ્ટા કરી. લુસીયસે, નીરૂપાય થઈ પોતાની પ્રાણસમ દુહિતાને ફરામ ક્ષેત્રમાં મારી નાંખી. ઈ. સ. પુ. ૪૪૮માં એ ઘટના બની છે. - એકીજીનીયા, સુપ્રસિદ્ધ ગ્રીસીય મહાવીર એગામે મતનની દુહિતા એલિસ નામના દ્વીપમાં ગ્રીસના યુદ્ધના વહાણની ગતિપ્રતિ રૂદ્ધ થઈ ડીયાના દેવીની પ્રસન્નતા મેળવવા ગામે મનને પોતાની દુહિતાને બલિદાનમાં આપી. પણ ગ્રીસીય પુરાણના પાઠથી જાણવામાં આવે છે જે દેવીડીયાનાએ, એડીજીનીયાને બળી સ્વરૂપે ગ્રહણ ન કરતાં, તેનું અપહરણ કર્યું અને ડરીસ નગરમાં પોતાના મંદિરે તેને યોગિની કરી રાખી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035290
Book TitleTod Rajasthan Vol 01
Original Sutra AuthorN/A
AuthorSavailal Chotalal Vohra
PublisherPurushottamdas Gigabhai Shah
Publication Year1911
Total Pages914
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy