SearchBrowseAboutContactDonate
Page Preview
Page 455
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૨ ટાડરાજસ્થાન કરી શકયુ નહિ. તે તેનાથી અત્યત પીડિત થયુ. હોલકર તેને કેદ કરી પેાતાની છાવણીમાં લઈ ગયા. જ્યાં સુધી તેની પાસેથી તેને નાણાં ન મળતાં ત્યાં સુધી તે તેના ઉપર જુલમ કરતા હતા. હાલકર હીંદુ થઇ હીંદુના દેવ ઉપર અને હીંદુના દેવસ્થાન ઉપર જુલમ કરશે એમ નાથદ્રાના પુરોહિત દાદરજીએ પહેલાં જાણ્યું નહિ. હવે હાલકરના નિવાસથી તેણે જાણ્યું જે નાથદ્વાર નિરાપદસ્થાન નથી, દામેાદરજીએ નાથદ્રારના અધિપતિ, કાતારીઆના સરદાર સાથે તે વિષયની મસલહત કરી, મસલહત કરતાં માલુમ પડયુ' જે ઉદયપુર નિરાપદસ્થાન છે, ત્યાર પછી દામેાદરજીએ દૈવ ભાગ્ય સઘળી સામગ્રી સાથે દેવપ્રત્તિમાને ઉદયપુરમાં લાવી મુકી કાતારીયા સરદારે, ઘેાડા ઘણા સૈનિકાને સાથે લઈ તે મૂર્તિ ઉદયપુરમાં પહોંચાડવા મદદ કરી. પોતાના નગરની સ`મુખે આવતા દુર્દાંત હોલકરના કેટલાક સૈનિકોને તેની ગતિરોકી તીત્રસ્વરે કહ્યું, તમારા ઘેાડા અમને આપેા, નહિ તે ચેાગ્ય શાસ્તિ પામશે, તે વિરરજપુત પૃથ્વીરાજના વંશધર હતા તે શું મહારાષ્ટીય લુટારાથી ભય પામે ખરા? સિંહના ઉંચા કુળમાં પેદા થઇ શું શીયાળના પગે નમે ખરા ? હુલકર સૈનિકોના વાકય સાંભળી કાતારીયા સરદારનું શરીર ક્રોધથી સળગી ગયું. તેણે તે સમયે પ્રતિજ્ઞા કરીને મરી જવુ બહેતર પણ દુરાચારી લેાકના હાથમાં ઘોડા આપવા બહેતર નહિ. પાતાનાં ઘેાડા સ્વારા સાથે કાતારીયા સરદાર શત્રુ ઊપર પડયા અને અદ્દભુત રણક્ષેત્રમાં કોશલ બતાવી મરણ પામ્યા, કાતારીયા સરદારના પડવાથી નાથદ્વાર અરક્ષિત અવસ્થામાંઆવી પડયું હીંદુ કુલાંગાર હાલકર એ અરક્ષિત તીર્થક્ષેત્રમાં પેઠો. દેવાલયની ખડકી દઈ સામગ્રી તેણે લઇ લીધી. દેવદ્રવ્ય હરણ કરનારા હોલકર, સિધીયાની વિકટ ભ્રકુટી ભયથી નિસ્તાર પામ્યા નહિ. નાથદ્વારનું સસ્વ અપહરણ કરી, તે ખુનેરા અને શાહપુરમાં જઈ નાણાને! સંગ્રહ કરતા કરતા અજમેરમાં ગયા. અજમેરમાં મહમદ ખાજા પીરનુ એક ભજનાવય હતું. હોલકરે પોતાના લેટના દ્રવ્યમાંથી કેટલાક ભાગ તે ભુજનાલયના યાચકોને આપી દીધે। અને તે નગર છેડી જયપુર તરફ ચાલ્યું. સિ`પીયાના સેનાનિએ મેવાડમાં આવી, રાણાનું શાણિત શાષણ કરવા માટે, તેની પાસે ત્રણ લાખ રૂપીઆ માંગવા લાગ્યા. કોષાગારમાં એટલા બધા રૂપીઆ નહેાતા કે તેથી દુરાચારની મનેાવાસનાની તૃપ્તિ થાય. રૂપીઆ ન આપે તે રાણાના નિસ્તાર નહાતા, છેવટે એનશીબ રાણાએ, પાતાના પરિવારની સામગ્રી અને અંતઃપુરની રાણીઓના દાગીના વેચી તેના નાંણા કરી, તે આપી સિધીયાની મનસ્તુતિ કરી. પણ તેથી, દાંત મહારાષ્ટ્રીયની વિષદિગ્ધ છરીથી બચ્યા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035290
Book TitleTod Rajasthan Vol 01
Original Sutra AuthorN/A
AuthorSavailal Chotalal Vohra
PublisherPurushottamdas Gigabhai Shah
Publication Year1911
Total Pages914
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy