SearchBrowseAboutContactDonate
Page Preview
Page 385
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૨ ટેડ રાજસ્થાન. પ્રસિદ્ધ યવનવીર દેલહીરખાં એક મોગલ સેના લઈ મારવાડથી દેશુરી પર્વતમાર્ગની અંદર થઇ તે દુર્ગમ ગિરિમાર્ગમાં પડે. અનેક લોકોનું અનુમાન છે જે રાજકુમાર અકબરના ઉદ્ધાર માટે તે માર્ગમાં થઈ આવ્યો હતે. પહેલાં કેઈએ યવન સેનાપતિની ગતિ રોકી નહિ, પણ જ્યારે તે લાંબા સાંકડા ગિરિ માર્ગમાં પિઠે, ત્યારે વિક્રમ સોલંકી * એ અને ગોપીનાથ રાઠોડે + પ્રસંગે તેના ઉપર પડી હુમલો કર્યો, તે સ્થળે હીંદુ મુસલમાન વચ્ચે ભયાવહ યુદ્ધ ચાલ્યું પણ બનશીબ દેલહીરખાં, તે બન્ને રજપુતવીરને હુમલો સહન કરી શકે નહિ. જેથી તે પિતાના દળ સાથે તે સ્થળે પડયે, તે બન્ને યુદ્ધમાં પરાજય પામેલ મેગલ સેનાની યુદ્ધ સામગ્રી રજપુત વીરેના હસ્તમાં પી. એ પર્વતનું યુદ્ધ એવી રીતે સુંદરતાથી થયું હતું જે જેથી રાણ રાજસિંહને માત્ર મેગલ સમ્રાટવાળી સેનાના ઉપર પડવાનું રહ્યું હતું, આશાના ભરૂસામાં મુગ્ધ થઈ સમ્રાટ ઔરંગજેબ, અકબર અને દેલહીરખાંના યુદ્ધનું ફળ ફળ જાણવા, પોતાના પુત્ર આજીમ સાથે તે દેવારી ગામે રહયે હતે. તેના મનમાં તેઓના જયની આશા હતી. પણ તેની તે આશા ભાંગી પી રાણા રાજસિંહના હુમલામાંથી બચી જવાને તેને સમય શોધ પડ. દેવારીના તે પર્વત માર્ગમાં હીંદુ મુસલમાન વચ્ચે ઘેર યુદ્ધ ચાલ્યું. રજપુત સૈનિકે રજપુતપતિ રાણુ રાજસિંહના વીરત્વે અનુપ્રાણિત અને ઉત્સાહીત થઈ મેગલ સમ્રાટની મોટી સેનાને ભેદ કરી, મેટા પરાક્રમ સાથે લડવા લાગ્યા. રાઠોડ વીર સાહસી દુગદાસ કઠોર પ્રતિશોધ પિપાસામાં ઉન્મત્ત થઈ. રાઠોડ સેનાને, મેગલ સમ્રાટની વિરૂધ્ધ ચલાવી. જે દુરાચાર ઔરંગજેબે રાઠોડને સર્વ નાશ કર્યો, જેણે રાઠોડ રાજાને વિષDગ કરી મરાવી નાંખ્યું, આજ તે ઔરંગજેબના ઉપર પોતાના વેરના બદલા માટે રાઠોડ રજપુત ટુટી પડયા. આજ ઔરંગજેબને વિષમ સંકટ આવી પડયું, હીંદુઓને સર્વ નાશ કરવા કૃતપ્રતિજ્ઞ થઈ તેણે યુદ્વાનળ સળગાવ્યો તે હીંદુઓ આજ તેના દુરાચારના યંગ્ય ફળ આપવા તૈયાર હતા. જોતા જોતામાં સંગ્રામ વધી ગયું, મેગલની તે ઉપર રણવિશારદ એક ફિરંગી હતે. તે શ્રવણ તૈરવ નાદ કરી, અસંખ્ય ગોળા ફેંકવા લાગી, રજપુતે પ્રચંડ ભયંકર નાદ કરી મેગલો ઉપર ધસ્યા તોપોથી રજપુતેને ઉત્સાહ કમ થયે નહિ, પણ તે બમણે વધી પડે, તેઓની તલવારના ભયંકર ઘાતે ફીરંગી ગળંદાજ પડે. તે પોની હાર તુટી ગઈ તેઓને માર્ગ પરિષ્કૃત થયે. જોતા જોતામાં મેગલ સેના છિન્નભિન્ન થઈ. મોગલો પલાયન કરી ગયા. તેઓની તો અસ્ત્રશસ્ત્ર વગેરે રજપુતના હાથમાં * રૂપનગરને અધિપતિ. * ગદવારની અંદરના ગામોર નગરને અધિપતિ ગદવાર હાલ મેવાડથી વિચ્છિન્ન છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035290
Book TitleTod Rajasthan Vol 01
Original Sutra AuthorN/A
AuthorSavailal Chotalal Vohra
PublisherPurushottamdas Gigabhai Shah
Publication Year1911
Total Pages914
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy