SearchBrowseAboutContactDonate
Page Preview
Page 378
Loading...
Download File
Download File
Page Text
________________ કણે કરેલ ઉદયપુરનું દઢીકરણ અને ભાવદ્ધન ૩૧૫ મનમાં રહી, પ્રાણપતિને કઠોર શોક છેડો પણ દુર થયે નથી એટલામાં તેને પુત્રના કઠેર શોકમાં પડવું પડ્યું, તેણે પિતાના રક્ષણ માટે, પિતાના પુત્રના રક્ષણ માટે રાણા રાજસિંહને પ્રાર્થના કરી, તે શિશદીય કુળમાં પેદા થઈ હતી,. હાલ શિશદીયે કુળમાં રક્ષક રાણે રાજસિંહ છે એમ માની, યશવંતની વિધવા પત્ની રાજસિંહની શરણાર્થિતી થઈ તેણે રાજસિંહ પાસે ત્વરાથી દૂત મોકલ્યા. રાણા રાજસિંહે મોટા અનંદથી તેને પ્રસ્તાવ સ્વીકાર્યો. તેણે રાજકુમારને બોલાવી તેના માટે ઉપયુક્ત રાજભવન વાંસ સારૂં આપવાને તેણે કહેવરાવ્યું. રાણાના કહેવરાવવા ઉપરથી અજીતસિંહ, અઢીસો રજપુત સૈનિકે સાથે મેવાડ નગર ચાલ્ય, આરાવેલીની રેલમાળાના દુર્ગમ માર્ગમાં થઇ તે સઘળા મેવાડ તરફ જાતા હતા. એટલામાં તે માર્ગના એક પડખામાંથી પાંચ હઝાર મોગલ સૈનિકે બહાર નિસર્યા, તેઓએ રજપુતેને વીંટી લીધા. તેઓએ અજીતસિંહને લઈ લેવાને ઉદ્યોગ કર્યો. તેઓને એ ઉદ્યોગ જોઈ રાઠોડ રાજના સૈનિકે કોધથી ઉન્મત્ત થયા. તેઓએ મેગલ સૈનિકે ઉપર હુમલો કર્યો. તે સાંકડા ગિરિ માર્ગમાં બને દળ વચ્ચે લડાઈ ચાલી, એટલામાં રાજકુમાર અજીતસિંહ કેટલાક રક્ષક સાથે લઈ મેવાડમાં આવી પહોંચ્યું. રાજકુમાર અજીતસિંહ મેવાડમાં આવી પહોંચે. રાણા રાજસિંહે તેને મેટા સંમાનથી ગ્રહણ કર્યો. તેના વાસ માટે કેવલા જનપદને મુકરર કયે, દુગદાસ નામને એક રજપુત વીર તેના રક્ષણવેક્ષણના માટે નીમાયા હતા. તે રાજકુમાર સાથે કેવલા જનપદમાં આનંદથી રહેવા લાગ્યા. રાજકુમારની માં મારવાડ રાજ્યમાં આવી. વિશ્વાસઘાતક યવનરાજને, તેના કાર્યને ઉપયુકત બદલે આપવા, સુયોગ અને સારે અવસર જેવા લાગી. જે દારૂણ બદલે લેવાની પિપાસા તેના હૃદયમાં જાગ્રત હતી. તેનું શાંતિવિધાન કરવા, તેણે એક મોટા ભારી કામમાં હસ્તક્ષેપ કર્યો. તે મેટું ભારી કામ બીજું નહોતું, માત્ર રાજસ્થાનના જુદાજુદા રજપુત રાજાઓમાં એકતા બાંધવાનું સાધારણ કામ હતું. રાણીએ પોતાનું કામ સિદ્ધ કરવામાં અનેક દરજે ફતેહ મેળવી હતી, થડા સમયમાં મારવાડ મેવાડ અને અંબર એકઠા થઈ એક અભિન્નસૂત્રથી બંધાઈ ગયા. તેઓએ દુધર્ષ મેગલની સામે યુદ્ધમાં ઉતરવા પ્રતિજ્ઞા કરી. પણ એવી રીતનું એકતાબંધન લાંબે સમય ટકયું નહિ. શિશદીય કુશાવહ અને રાઠોડ વંશમાં વિદ્વેષાનળ સળગી ઉઠ, તે એક્તા સંબંધન એકસો વર્ષ ટકી રહ્યું હતું તે ભારતવર્ષની દુઃખ નિશમાં પ્રભાત થાત, ભારતવર્ષને રાજમુકુટ યવનના શિરથી ખલિત થઈ હીંદુ શિરે સ્થાપિત થાત. અને રાજાઓની હત્યા કરી, ઔરંગજેબે પિતાને અદષ્ટ માગ નિષ્ફટક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035290
Book TitleTod Rajasthan Vol 01
Original Sutra AuthorN/A
AuthorSavailal Chotalal Vohra
PublisherPurushottamdas Gigabhai Shah
Publication Year1911
Total Pages914
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy