SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ રાણા પ્રતાપસિંહનું સિંહાસના રહણ પ્રતાપસિંહની પવિત્ર જીવનીનું વધારે સમાલોચન કરવા આપણે તત્પર થઈએ. પૃથ્વીરાજની તેજસ્વિની કવીતા પાઠ કરી વીર કેસરી પ્રતાપસિંહ નવજીવને ઉજજલિત થઈ ઉઠયા. અને દુધ યવનેને તેઓના અત્યાચારનું ઉપયુક્ત ફળ આપવા તે તૈયાર થયે. હવે પ્રતાપસિહ વિનિત થયે છે એમ જાણી મોગલ સેનાપતિઓ પોતપોતાની છાવણીમાં જઈ જુદી જુદી જાતના આમોદપ્રમોદ કરવા લાગ્યા, ત્યગીતમાં અને આનંદોત્સવમાં સઘળા મગ્ન થયા. પ્રતાપસિંહ, પિતાનું સેના દળ લઈ મુસલમાન ઉપર હુમલો કર્યો. તે હુમલામાં અનેક મુસલમાનને નિપાત થયે, અનેક મુસલમાન પ્રાણ લઈ પલાયન કરી ગયા. પણ તેથી પ્રતાપસિંહને ફળદય થયે નહિ. હઝારે મેગલ સૈનિકે મરાણા. વળી તેના ઠેકાણે હઝારે સિનિકે, આવી ઉભા રહ્યા. ક્રમે મોગલ સૈનિકોની સંખ્યા વધી. પ્રતાપસિંહને ફરીવાર ઉતેજીત થયેલ જોઈ તેઓ તેને વને વને, પર્વતે પર્વતે શોધવા લાગ્યા. પણ મેગલ સૈનિકે તેનું એક પણ રૂવાડુ ખંડિત કરી શકયા નહિ. તે પિતાના છાના સ્થળમાં સંતાઈ રહી લાગ પડે મોગલસેના ઉપર છાપો મારતો હતો. એ રીતે અનેક દિવસ નીકળી ગયા, અદ્ધશને અને અનશને કષ્ટથી પ્રતાપસિંહ પોતાના દીવસો કહાડવા લાગ્યા. કમે તે પ્રમાણે પણ દિવસ કહાડવાનું તેને બની આવ્યું નહિ. હવે વૃક્ષ ઉપર ફળ નહોતાં. હવે જમીનમાં કંદ મુળ નહોતા, હવે ત્રણ ઉપર બીજ નહોતાં કે તે ખાઈ, પિતાની પ્રાણ યાત્રા તે કરે. છેવટે અનાહારે પશુની જેમ મરણ પામવાનું આવ્યું, પશુની જેમ મરવાનું થાય તે તેથાઓ. તેમાં પ્રતાપસિંહને ક્ષતિ નહોતી. દુઃખ નહેતું શાથી કે મરણ એક જીવનની નિયત્તિ છે પણ તેને તે સ્વદેશના માટે માતૃભૂમિના માટે મરવાનું હતું. તેથી મારવામાં તેને કોઈ રિતને શોક નહોતે પિતાની ધર્મ પત્નીને, દુઃખમાં, ક.માં, જરજરીભૂત જોઈ તેને કલાની અને શોકની સીમા રહી નહી, તેને પ્રાણપ્રિય પરિવાર વર્ગ અનશને દિવસ કહાટે છે તે જઈ તેના પ્રાણ સુકાઈ જવા લાગ્યા આવી નિદારૂણ શોચનીય અવસ્થામાં રહી તે શીરીતે ભીમ પરાક્રમ વાળી મેગલ સેના સાથે લડે? તેની માણસની મદદ નાશ પામી, તેને સામાન સહાય લય પામ્યું. તેની છેવટે સ્વાધીનતા પણ ગુમ થવા લાગી, તેના સઘળા ઉદ્યમે વ્યર્થ થવા લાગ્યા. હવે બાપારાઓળના પવિત્ર કુલમાં કલંક બેસે તેમ થવા લાગ્યું, હવે બીજો કોઈ ઉપાય ન દેખતાં, વીર કેસરી પ્રતાપ સિંહે સ્વદેશ ત્યાગ કરી જવાનો નિશ્ચય કર્યો. સિંધ પ્રદેશના સેકત રથળના સગાદી રાજયમાં પિતાને લાલ વાવટા સ્થાપવા તેણે વિચાર કર્યો. તે સ્થળે જાવાને સઘળે સામાન તૈયાર થયે. તેની સાથે રહી જે સરદાર સામતે સુખદુઃખ ભોગવતા હતા, તેઓએ પણ તેની સાથે જવાને વિચાર રાખ્યા. પોતાની સ્ત્રી કન્યા પુત્ર વિગેરેને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035290
Book TitleTod Rajasthan Vol 01
Original Sutra AuthorN/A
AuthorSavailal Chotalal Vohra
PublisherPurushottamdas Gigabhai Shah
Publication Year1911
Total Pages914
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy