SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ રાણા પ્રતાપસિંહનું સિંહાસનારોહણ ૨૫૩ ચેતક, ઉપયુક્ત વીરનો ઉપયુક્ત તરંગ હતો. તે ચેતકના પ્રતાપથી અને પ્રભાવથી પ્રતાપસિંહ વિશાળ મોગલ સેનાને ધી બહાર નીસર્યો હતો. તે જાણતો હતો જે ચેતક તેને પ્રાણરક્ષક હતા. આ સમયે. તે ચેતકને મરેલો જોઈ પ્રતાપસિંહના આનંદોત્સવમાં વિન આવ્યું. ત્યારપછી શકતસિંડે, પ્રતાપસિંહને પોતાનો ઘોડો આપે. તે ઘડાનું નામ આતકાર હતું. પ્રતાપસિંહ તે ઘોડા ઉપર ચઢ. જે સ્થળે તુરંગરાજ ચેતકનું મરણ થયું તે સ્થળે સમાધી સ્થળ બંધાણું પ્રીયજન સાથે પ્રીયજનની મુલાકાત સ્વર્ગ સુખપ્રદ છે. પણ પ્રતાપસિંહ અને શકિતસિંહના ભાગ્યમાં તે મુલાકાત સ્વર્ગ સુખપદ નીવડી નહિ. વાસે સલીમના હૃદયમાં સંદેહ પેદા થાય એવી આશંકા થવાથી શકતસિંહ મેગલ સેનાને મળી જવા પા છે કે, વિદાય થતી વખતે મોટાભાઈ પ્રતાપસિંહની ચરણવંદના કરી શકતસિંહ બોલ્યા, “જે અનુકુળતા હશે તે હું જલદીથી આપને પાછો મળીશ.” જે બે આશામીઓ પ્રતાપસિંહની પછવાડે પડ્યા હતા. તે બને આશામીઓ શક્તસિંહના હાથે મરાવ્યું. તેમાંથી એક આશામીને નિવાસ ખોરાસાનમાં હતું. અને બીજાને નિવાસ મુલતાનમાં હતા. શક્તિસિંહ તે ખોરાસાની સિનિકના ઘડે બેસી સલીમના દરબારમાં આવ્યું. પણ તેણે જે પ્રથમ આશંકા કરી હતી. તે આ શંકા સંઘટીત થઈ. તેના આવવામાં વિલંબ અને તેની ભાવભંગી જોઈ સલીમના હૃદયમાં સંદેહ પેદા થયો. તેણે તેને તે ખોરાસાની અને મુલતાની સૈનિકની હકીકત પુછી. શક્તસિંહે જવાબ આપ્યો “જે તેઓ તો પ્રતાપસિંહના હાથથી મરાવ્યું છે. પ્રતાપસિંહ તેઓને સંહાર કરી શાંત નહોતો. પણ છેવટે તેણે મારો ઘડો પણ મારી નાંખે હું તે ખોરાસાની સૈનિકના ઘડા ઉપર બેસી અંહી આવ્યો છું.” શક્તસિંહનું બોલવું સાંભળી સલીમે તેને અભયદાન આપી કહ્યું. “ તમે જે સઘળી વાત સાચી કહેશે તો તમારે દેષ માફ થાશે, સલીમના બેલવાનો અંત આવ્યો નથી એટલામાં શક્તસિંહનું મુખ વર્ષાઋતુના મેઘની જેમ કમેકમે ગંભિર થઈ ગયુ. તે નિઃશંકચિતે બોલી ઉઠયે. “એક વિશાળ રાજ્યને ભારે મારા મોટાભાઈ પ્રતાપસિંહના સ્કલ્પ આવેલ છે. લાખો લોકનાં સુખદુઃખ તેના ઉપર જ રહેલાં છે. આ સમયે તે મેટી વિપદમાં હતો. તેને તે વિપદમાંથી ન બચાવી હું શી રીતે નિશ્ચિંત રહી શકું. સલીમના મસ્તકનો એક કેશ પણ કંપિત થયો નહિ. તે, પોતે કરેલી પ્રતિજ્ઞાનું પાલન કરવા ભુ નહોતો. તેણે તે સમયે તો શક્તસિંહને જાવા દીધો. શક્તિસિંહના પક્ષમાં મંગળ થયું. થોડા સમયમાં મોટાભાઈ સાથે જઈ મળે. પ્રતાપસિંહ તે સમયે x 1 : ધિસ્થળ હાલ ચેતકકા ચબુત્રા” એવા નામે પ્રસિદ્ધ છે. તે હાલના ઝાલર નીકેટ અનેલ છે. ચેતકનું ચિત્ર, તેના પ્રભુના ચિત્ર સાથે મેવાડના પ્રત્યેક ગૃહસ્થના ઘરમાં હોય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035290
Book TitleTod Rajasthan Vol 01
Original Sutra AuthorN/A
AuthorSavailal Chotalal Vohra
PublisherPurushottamdas Gigabhai Shah
Publication Year1911
Total Pages914
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy