SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ વનવીરનું મેવાડ શાસન ઇટ ૨૨૫ તે રાજ પ્રસન્નતાનું પ્રજન શું ! અનંતકાળ યંત્રણામયી અશાંતિ અને વિપદનું અંકુશતાડન સારૂં પણ પાપકલુશિત યવન પ્રસન્નતા શા કામની, ભારમલ તે કામ કરી સ્વાધીનતાના સુખ ભોગવવાની ચેષ્ટા કરવા લાગે. રાજસ્થાનનું • વિશૃંખલપણું દૂર કરવા અકબરે સેનઃ લઇ ચિતોડ ઉપર હુમલો કર્યો. જે રાજાનું રાજ્ય, પ્રકૃષ્ટ નિયમ પદ્ધતિ દ્વારા સારા શાસનથી શાસિત થાય, જે રાજા કોઈ જાતની દુલિસા અને દુરાકાંક્ષાને વશવર્તી ન હોય. સુ વિજ્ઞ અને સારા ચરિતવાળા પ્રધાનથી પરિવૃત થઈ વિશુદ્ધ સંજનીતિના અનુસરે, જે આત્મપદ ગૌરવ અને આત્મસ્વાધીનતા રક્ષણ કરી શકે તે માણસ પ્રકૃત પ્રજપાળ નામને અધીકારી છે, તેના રાજ્યમાં સ્વર્ગીય સુખ વસે છે, તેના રાજ્યમાં શાંતિને વાસ હોય છે, પણ જે રાજા સ્વેચ્છારી હોય છે જે રાજા પ્રજાના સુખ દુઃખમાં એક ક્ષણવાર પણ ભાગ લેતો નથી, જે રાજાને સ્વાર્થપરતા મૂલ મંત્ર છે, પ્રજાનું લોહી ચુશી લેવું એ ધર્મપિતાને છે, એ જે રાજા માને છે. તે રાજા રાજકુળમાં અધમ ગણાય છે. એ રાજા પ્રજાપાળના નામને કલંક છે; તે રાજા સ્વાર્થ પર પિશાચનો પરમ અવતાર, તેનું રાજ્ય ઘડીયાલના લેંલક જેવું કાયમ અસ્થિર, ટુંકામાં જે રાજ્ય માત્ર રાજાની સ્વેચ્છાથી શાસિત થાય છે. તે રાજ્ય શાંતિ સુખ ભોગવવાને પાત્ર નથી. સૌભાગ્યવશે, રાજા જે પ્રજાહિતાકાંક્ષી થાય; તે તેનું રાજ્ય આબાદ થાય. એવા પ્રજાહિતાકાંક્ષીને વંશના કોઈ સ્વાર્થ લુપ્ત અને પ્રજા પીડક રાજા થાય છે. ત્યારે તે સુખમય અને શાંતિમય રાજ્ય દુખમાં અને અશાંતિમાં આવી પડે છે. ખરેખર સેનાને સંસાર, મસાણમાં અને અંધકારકુપમાં પરિણામ પામે છે. એ વિશ્વજનન અવયંભવિ, નિયમ છે. અકબર અને ઉદયસિંહના રાજ્યમાં એ નામના બે ભિન્ન ભિન્ન ચિત જોવામાં આવે છે. ઉદયસિંહ. જે વચમાં મેવાડના સિંહાસને અભિષિક્ત છે, તેજ વયમાં અકબર પણ દિલીના સિંહાસને અભિષિક્ત થયે. દુકામાં ઉદયસિંહ અને અકબર બાર વર્ષની ઉમરે પિતૃ સિંહાસને બેઠા. પિતાના શોચનિય મૃત્યુ પછી જે દિવસે તેરમા વર્ષની ઉમ્મરે, અકબર ભારતવર્ષના એકાધિપત્ય ઉપર વૃત થયે, તે દિવસ, શાકતિયકુળનું ભવિષ્ય ભાગગગન એક ઉજવળ આભાથી ચમકી ઉઠયું ખરું, પણ તેથી તેના હદયમાં શાંતિ કયાંથી હોય. આવા ઉંચા પદે ચડી, અકબર, ભવિષ્યગગનને તાકત કરી શક્ય ખરો પણ તેના પ્રતિકુળમાં વર્તતાં ઘણા વિ િતની સંમુખે આવી બડાં હતાં. તે સઘળાં વિદને દૂર કરી નિષ્ક ટક ભાવે અને નિરાલંક ભાવે, રાજ્ય શાસન ચલાવવાનું તેના ભાગ્યમાં છે કે નહી એ હકીકત આળક અકબર વિચારી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035290
Book TitleTod Rajasthan Vol 01
Original Sutra AuthorN/A
AuthorSavailal Chotalal Vohra
PublisherPurushottamdas Gigabhai Shah
Publication Year1911
Total Pages914
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy