SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ વનવીરનું મેવાડ શાસન ઈ. ૨૧૯ તેને દુને લીધે નહિ. જ્યારે ચંદાવત સરદારને તેણે તને આપ્યો. ત્યારે તેજસ્વી ચંદાવત દંભ સાથે તે અગ્રાહ્ય કરી બોલી ઉઠયે. બાપારાઓળના પ્રકૃત વંશધર પાસેથી એ દુને પ્રાપ્ત થાય, તો તે ગેરવવાળું ગણાય તેમ છે. “પણ શીતળસેની દાસીના પુત્ર પાસેથી દુને મેળવી કેણ રજપુત પોતાને ગેરવવાળો ગણે? સરદાર સામત નાખુશ થઈ ઉદયસિંહનો ચિતોડા રાજ્યાભિષેક કરવા માટે કમલમીર કીલ્લામાં ગયા. તે આશાવલ્લીની ગિરિપથના અંદર થઈ કુંભમેરૂ તરફ અગ્રેસર થતા હતા. એવામાં તેઓએ જોયું જે પાંચ ઘડા અને દશ હઝાર બળદ બહુ મૂલ્ય દ્રવ્ય વહન કરી તેઓ તરફ ચાલ્યા આવે છે. એક હજાર દારૂવાળ રજપુત તેનું રક્ષણ કરતા આવે છે, નિગુઢ અનુસંધાન કર્યા પછી તેઓને માલુમ પડયું જે વનવીરના દુહિતાના થતુકસ્વરૂપ તે સઘળો સામાન કચ્છ પ્રદેશથી વાહિત થયો છે. તે સાંભળી સરદારની આનંદની સીમા રહી નહિ. તેઓ તે રક્ષકેના ઉપર ફેધ પામેલ સિંહની જેમ પડ્યા. તેઓને તેઓએ સંહાર કર્યો, તે સઘળે સામાન લઈ ઉફુલ હૃદયે ઉદયસિંહ તરફ તેઓ ગયા. એ લુંટનું દ્રવ્ય, સત્કાર્યમાં વાપર્યું. ઝાલેરના શનીગુરૂ સરદારની દુહિતા સાથે, ઉદયસિંહના વિવામાં તે દ્રવ્ય કામ લાગ્યું. વરવર હમીરનું નિષેધવાય ઉપેક્ષિત થયું. પણ તેથી મેવાડને એક મહોપકાર થયે, માલદેવના પુત્ર શની ગુરૂવનવીરે ગિફટ કુળમાં જે કલંક કાળિમાં અંકિત કરી છે. આજે તેના વંશધરે, રાષ્ટાપહારક વનવીરને ગ્રાસમાંથી ચિતડપુરીને કહાડી લઈ તે કલંક કાલિમાં કાઢી નાખી. ઝાલેર જનપદના બલિહક નામના સ્થળે વિવાહ કાર્ય સંપન્ન થયું. રાજસ્થાનના બે સરદાર સિવાય બીજા સરદાર સામંતોએ આ માંગલિક કાર્યમાં ભેટ મોકલી હતી. જે બે સરદારેએ આ માંગલિક કામમાં સ્થાન નહોતું આપ્યું તેમાંથી એકનું નામ માલજી-બીજે સરદાર સોલંકી કુળમાં ઉત્પન્ન થએલ છે. જેનું નામ ઇતિહાસથી નીકળતું નથી. તે બંનેને રાજ અવમાનનાનું ઉપયુક્ત ફળ આપવા સરદારોએ તેનું આક્રમણ કર્યું. તેઓ પલાયન કરી વનવીર પાસે આશ્રય લેવા ગયા. વનવીરે, તેઓને આશ્રય આપી સરદારે ઉપર સૈન્ય સાથે ચડાઈ કરી. પણ તે બે બેશીબનું રક્ષણ કરી શકે નહિ. માલજીને વધ થયે, વળી સેલંકી કુળમાં ઉત્પન્ન થયેલા સરદારે ઉદયસિંહની વશ્યતા સ્વકારી. બેનશીબ વનવીરની મદદ કમ થવા લાગી. તેના બધું બાંધવ સ્વજનોએ તેને ત્યાગ કર્યો. તેનુ ભાગ્યગગન કેમે કમે ઘેરઘન જાળે આવૃત થઈ પડયું, તે પણ તેણે જીવનષિણી આશાને ત્યાગ કર્યો નહિ, ઉદયસિંહના સઘળા ઉદ્યોગ વ્યર્થ કરવા તે રાજધાનીમાં અહંકાર કરી રહેવા લાગ્યા, પણ તેના સઘળા અભિપ્રાય વ્યર્થ ગયા, તેના મંત્રિએ એક હઝાર સિનિકને કીલ્લામાં પેસવા દીધા. કીલ્લામાં પેસી સૈનિકે એ દ્વાર રક્ષક ઉપર હુમલો કર્યો. તેઓને સંહાર કરી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035290
Book TitleTod Rajasthan Vol 01
Original Sutra AuthorN/A
AuthorSavailal Chotalal Vohra
PublisherPurushottamdas Gigabhai Shah
Publication Year1911
Total Pages914
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy