SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૦ ટૅડ રાજસ્થાન. સેંકડો વર્ષ સુધી, મેવાડ રાજ્ય જેમ ડાહ્યા, તેજસ્વી, રાજાઓથી શાસિત થયું તેમ પૃથ્વીનું કઈ રાજ્ય એવા રાજાઓથી એટલા વર્ષ સુધી શાસિત થયું નથી. રાણે કુંભ જે સમયે, મેવાડના સિંહાસને બેઠો હતો, તે સમયે, શિશદીય કુળની સારી આબાદી હતી તે સમયે મેવાડને પ્રતાપ મધ્યાન્ડના ભાસ્કરના પ્રતાપ જેવો પૂર્ણ માત્રામાં ઉંચી ટોચ ઉપર હતા. જે હીંદુ વિદ્વેષીય જનના અત્યાચારથી ભારત વર્ષનાં નગરમાં ગામડાંઓ વિધ્વસ્ત ચુર્ણ વિગુણિત થયાં. આજતે યવને વિનીત અને પરાહત છે જે પ્રચંડ મુસલમાને ભારતવર્ષને ચગદી નાખી, પરમાણુની અવસ્થાને પમાડયું. તે મુસમાન હાલ દુર્દશામાં છે. તે સે વર્ષમાં મેવાડ રાજ્યમાં ન યુગ થઈ ગયે. બળ, વીર્ય, પ્રતિષ્ઠા, ગૌરવ વગેરેથી આજ મેવાડ રાજ્ય ભૂષિત હતું તોપણ રજપુતવીર કુંભ, એવી આબાદીની અવસ્થામાં નિષ્ણ અને આળસુ નહોતે. તેણે પોતાના અદભૂતભાવિ દશનબળે ભારતવર્ષની ભવિષ્ય ભાગ્યલિપિ એક વાર ચિત્ત દઇ વાંચી. તેણે જોયું જે સુદુર કકેશશ શેલમાળાના ઉંચા શિખર દેશથી અને તેના ચરણ તળે વહેનારી અક્ષુ નદીની વિસ્તૃત તીરભૂમિથી મેઘજાળ પેદા થઈ કમે ક્રમે ભારત વર્ષ ઉપર વિસ્તૃત થઈ પડી તે મેઘવાળના અદશ્ય ગર્ભમાં જે પ્રચંડ વજાગ્નિ ધીરે ધીરે પેદા થયે. તે સ્વલય કાળમાં પૂણવયને પામી રાણા કુંભના પત્ર સંગના શિરે દેશે પડશે તે રાણું કુંભે પૂર્વથી જાણ્યું હતું. એટલે કે તેનું વિશ્વદાહિતેજ રોકવા માટે તેણે ઉપયુક્ત યેજના આ સમયે કરી દીધી હતી. તે સઘળી જનાથી તે અસંખ્ય દુસ્સા વ્યાપાર સાધી હમીરની તેજસ્વિતાને અને કાર્ય કુશળતાને લાક્ષની સુંદર શિલ્પપ્રિયતાને હરાવી દઈ તેણે ઉત્કૃષ્ટ ગુણ ગ્રાહકતાનો પરિચય આપે છે. જે દીવસે, યવનવીર શાહબુદ્દીને ભારતષનું સ્વાધીનતા રત્ન છીનવી લીધું તે દીવસે સમર કેસરી સમરસિંહે તે સ્વાધીનતા રત્ન લેવામાં દૃશદવતીના તીરે આત્મજીવનનું બલિદાન આપ્યું. તે દુદિવસથી, તે વર્તમાન સમાલોચ્ચ સમય પધ્ધત, બસ છવીશવર્ષ કાળ ગભે લીન થઈ ગયાં. ને બે સૈકામાં બે રાજવંશમાં એકંદર ચોવીશ યવનરાજા અને એક યવન રાણી સિંહાસને આવી અનંત ધામે ચાલ્યા ગયા છે. એ લાંબાકાળમાં મેવાડમાં એકંદર અગીયાર રાજા મેવાડના સિંહાસને આવ્યા હતા. તેમાંથી કેટલાએક રાજાઓએ માતૃભૂમિના રક્ષણ માટે અને પુણ્ય તીર્થના રક્ષણ માટે યુદ્ધ કરી, યુદ્ધમાં પ્રાણુ આપેલા છે, જે રાજાઓ પ્રજાહિતૈષી હેઈ પ્રજાના કલ્યાણકારક કામ કરે છે, તે રાજાઓ, લાંબો કાળ રાજ્ય ભોગવે છે એ વાત નિર્વિવાદ સિદ્ધ છે. ખીલજી વંશીય રાજાના શાસન કાળમાં વિજયપુર, ગવળકેડા, માળવ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035290
Book TitleTod Rajasthan Vol 01
Original Sutra AuthorN/A
AuthorSavailal Chotalal Vohra
PublisherPurushottamdas Gigabhai Shah
Publication Year1911
Total Pages914
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy