SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ ટેડ રાજસ્થાન. છઘાંસામાં ઉન્મત થઈ ગયા. તે દિવસે રાણે સંધ્યાકી સમાપ્ત કરી, હરી નામનો જપ કરતો હતો. એવામાં નૃશંસ ચાચા અને મેરે આવી તેના હાથ છેદી નાખ્યા. છેવટે તેને તેઓએ સંહાર કરી દીધું. પિશાચચીત નૃશંસતા સાથે સરળમતિ મુકુલનો પ્રાણવધ કરી, રાક્ષસ ચાચા અને મેર પિતાપિતાના ઘેડા ઉપર ચિતોડ તરફ ચાલ્યા. તેઓના મનમાં અભિલાષ હતો જે ચિતડપુરી હસ્તગત કરવી. પણ દુરાચારીને તે અભિલાષ સિદ્ધ થયે નહી. ચિતડની પાસે જઈ જોયું તે ચિતોડના દરવાજા બંધ હતા. ઉપર કહેલ સ્લેષપૂર્ણ વચન વિના રાણાનું શોચનીય મૃત્યુનું બીજું કારણ જોવામાં આવતું નથી, પણ વિશેષ વિવેચના કરી જોવાથી સ્પષ્ટ માલુમ પડે છે જે રાણાના વિરૂદ્ધ તેના રાજ્યમાં એક ગુઢ પ્રપંચ ચાલ્યો હતો તે પ્રપંચના ખબર રાણાના મેટા દીકરા કુંભને મળી હતી, અને રાજઘાતક વિફળ મનોરથ થઈ મેંદીરીયા પાસેના કીલ્લામાં ગયા. બાળક કુંભે, આવા પ્રપંચમાંથી બચવા, માલવરાજની દોસ્તી બાંધી. રજપુત ચરિતને આશ્ચર્ય મહીમા છે જે શિશદીય રજપુતોએ રાઠંડરાજને હે અને તેનું રાજ્ય છીનવી લીધું. તે રાઠોડ રાઠોડ રાજના પુત્ર પાસે તે શિશદીય વંશના રાણા કુંભે આફતમાં પડી મદદ માગી ઉદાર મતિ રાઠેઠ રજપુત રાજાએ ગતવત્તાતને વિસ્મૃતિસાગરમાં ફેંકી દઈ તત્ક્ષણ પ્રતિજ્ઞા કરી કે “ જ્યાં સુધી તે બે રાજઘાતકને હણું બાળ કુંભને ગાદીએ ન બેસાડું ત્યાં સુધી મહારે માથે પાઘડી મુકવી નહિ. ત્યાંસુધી મહારે પથારી ઉપર સુવું ” વાસ્તવિક આર્યવીર રજપુતેના જીવન ચરિતમાં એવા ઔદાર્યન, માહાભ્યના અને સત્ય પ્રતિજ્ઞાના બહ દાખલા જોવામાં આવે છે. રજપુતે સ્વભાવથી તેજસ્વી અને ઉદ્ધત. તેઓનું હદય માત્ર એક આઘાતથી આલોડિત થાય છે. જ્યાં સુધી, તેઓ, આઘાતનો પ્રત્યાઘાત કરી શકતા નથી ત્યાંસુધી તેઓના હૃદયમાં શાંતિ વિરાજતી નથી. તેઓ ડામાં, વિવાદ વિષુવાદમાં ઉત્તેજીત થાય છે અને વૈરને પ્રતિશોધ લેવા તેઓ કઠેર પ્રતિજ્ઞા લે છે. જ્યાં સુધી લીધેલી પ્રતિજ્ઞા પૂર્ણ થાતી નથી ત્યાંસુધી વૈરને બદલે લેવાની પિપાસા પ્રશમિત થાતી નથી. ઘર વિપદમાં પડી રાણું મુકુળના પુત્ર કુંભે મારવાડ પતિની પાસે મદદ માગી. રાજઘાતકના દમનના અથે રાઠોડ રાજે પોતાના પુત્રની નીચે એક સેનાદળ કહ્યું. તે રાજઘાતકે, તેના રાજ્યની સરહદ ઉપર હતા. રાજકુમારે, તેઓના ઉપર હમલે કરી તેઓને પકડી લેવા પ્રયત્ન કર્યો. રાજકુમારના પ્રચંડ હમલાની સામે થવા તેઓ સમર્થ થયા નહિ. દુવૃત્ત ચાચા અને મૈરે તે કિલ્લે છોડી દીધું. તેઓ પાયી નામના સ્થાને પલાયન કરી ગયા. પાયી આરાવલ્લીશૈલમાળાની મધ્યમાં આવેલું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035290
Book TitleTod Rajasthan Vol 01
Original Sutra AuthorN/A
AuthorSavailal Chotalal Vohra
PublisherPurushottamdas Gigabhai Shah
Publication Year1911
Total Pages914
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy