SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ રાજા લક્ષ્મણસિંહ, ચિતડ ઉપર અલ્લાઉદીનને હુમલે ઈ. ૧૪૫ થરે થરે અંકિત થયા. તે મેવાડ રાજ્યના કલેવંરની વૃદ્ધિ કરવા સંકલ્પવાળી થયે. થોડા સમયમાં ભીનહર કબજો કરી તેણે તે મેવાડને અંતભૂક્તિ પ્રદેશ કરી દીધું. એ રીતે વરવર હમિરના પ્રચંડ પ્રતાપે મેવાડનું પૂર્વ ગૌરવ પૂર્ણભાવે વિરે જવા લાગ્યું. તે સમયે સઘળા ભારતવર્ષમાં એકમાત્ર હમિરજ પ્રબળ પામશાળી રાજા હતા. ભારતવર્ષના બીજા પ્રાચીન રાજ્ય યવનના કરાળ આઘાત-ચુવિચણિત થયાં. મારવાડના, પુરના, બુંદીના, રવાલીયરના, ચંદેરીના, રાઈસિીનના શીકીના, કાલપીના અને આબુના રાજાએ અતિ વિનીતભાવે ચિતોડના હમિરનું આધિપત્ય કબુલ કરી તેનું સમ્રાટ તરીકે પુજન કરતા હતા. વળી પોતપોતાનું નાળ લઈ - હમિરની મદદમાં યવનની સામે યુદ્ધાંગણમાં ઉતરતા હતા. . . . - જે દિનમાં ભારતવર્ષને સ્વાધીનત હાર તાતારના કે દેશમાં અપિત થયે તે દિને મેવાડનો પર્વ પ્રતાપે અનેક અંશે મંદ થઈ પડે. તે પ્રતાપે અતિ વિપુલ અને પ્રચંડ હતો ખરે, પણ તેના અપચયથી મેવાડને કાંઈ હાનિ થઈ નહતી. - વિરવર હમિરના રાજ્યશાસનમાં મેવાડને પ્રચંડ પ્રતાપ પૂર્ણ માત્રાએ વિરાજતો હતો. મેવાડની એ સુદઢ પ્રભુતા. બાબરના સમય સુધી કયાહત અને અખંડિત રહી હતી. તે સમયમાં અનેક ગારવાન્વિત રાજાઓ મેવાડના સિંહાસને બેઠા હતા. તેઓ નિષ્કટક રાજ્ય ભેગ કરી શક્યા નહોતા, અગર જેકે માલવ, ગુર્જર અને દીલીના યવન રાજાઓ વારંવાર તેઓની સામે વૈરાચરણ કરતા હતા. તે પણ ચિતેડની તે સુદઢ પ્રભુતાનો ભંગ થયેજ નહતો. ચિતોડના રાજાઓ પચચ ક્રમે તે વનના હુમલાને પ્રતિરોધ કરી શક્યા હતા. વિશેષ કરીને જ્યારે દિલ્લીના સિંહાસન માટે ખીલજી, વંશના: લોદી વંશના, અને શુર વંશના યવન રાજાઓમાં બખેડે જા હતો, ત્યારે મેવાડની અવસ્થા અનેક પરિમાણે ઉત્કૃષ્ટ હતી. શાથી, કે તે બખેડાના સમયે મેવાડના રાજાઓએ પોતાની સુદ્રઢ પ્રભુતા બમણુ સુદ્રઢ કરી દીધી હતી તે સમયે, શત્રુઓના હુમલાને પ્રતિરોધ કરવા તેઓ પ્રવૃત થયા હતા એટલું જ નહિ પણ પિતાની વિજયિની સેના લઈ દિગવિજ્ય માટે બહાર નીકળતા હતા. ‘એક બાજુનાગરકેટના પગાત્ર ઉપર અને બીજી બાજુએ દીલ્લીના સિંહદ્વાર ઉપર તેઓ પોતાના વિજય ચિન્હ અંકિત કરી આવી જાતા હતા. એ સમયે મેવાડ રાજ્ય, શુદ્ધશાંતિનો ભંગ કરતું નહોતું. સિભાગ્યલક્ષ્મીના અનુગ્રહથી તેના અધિવાસીઓ, દોલતની વૃદ્ધિમાં ઉંચા પગથીએ ચડી ગયા હતા. શાથી કે તે સમયે, મેવાડ રાજ્યમાં કેટલાક વિશાળ સૈન્ય અને વિજય સ્તંભે ચણાઈ ઉભા થયા હતા. તેના વ્યય બાલ્યને વિષય શોધી જેવાથી માલુમ પડે છે જે અમારાં એ વચન યથાર્થ સત્ય છે. એક એ વિજય સ્તંભ બનાવી રૂભો કરવામાં તે કાળે, મેવાડની રાજ્યભૂમિનું વસુલ ખરચી દે તોપણ તે વિજય સ્તંભ બને ૧૯ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035290
Book TitleTod Rajasthan Vol 01
Original Sutra AuthorN/A
AuthorSavailal Chotalal Vohra
PublisherPurushottamdas Gigabhai Shah
Publication Year1911
Total Pages914
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy