SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ રાજા લમણસિંહ, ચિતોડ ઉપર અલાઉદીનને હુમલે ઈ. ૧૩૯ બુદ્ધિ જણાઈ આવે છે. અસંખ્ય પર્વત વ્રજમાં તે પ્રદેશ તેણે સ્થાપે. તે ૫ર્વતમાળામાં મધ્યે મળે બે ચાર ગીરિ સંકટ દૂર્ગમ કુટ માર્ગ હતા. એક ઊંડ શેલકુટની તળેટીમાં કેલવારા આવેલું છે. તેજ શિલ શીખરે, એ ઘટના પછી ઘણક કાળે પ્રસિદ્ધ કમલમીર કીલે બંધાયે. તે કેલવારા લેવામાં મને હર હતું તેની ચારેતરફ વનમાળા હતી. મધ્યમથે અસંખ્ય પાણીને નેરા તથા ઝરા, પર્વત ગાત્ર તોડી બહાર પડતા હતા. તે પ્રદેશમાં સારા કંદ મુળ માલુમ પડતા હતા. કેલવારા પચીસ કોશ વિસ્તારમાં હતું. તે પૃથ્વીતળથી આઠસો હાથ અને સાગરથી બે હજાર હાથ ઊંચાઈમાં છે. એ ઉંચા ગીરીકુટમાં કેટલાક ગુપ્તકુટ મા છે. તે કુટમાર્ગથી ઊતરી, ત્યાંના અધીવાસીઓ ગુજરાતમાં અને મારવાડમાં જઈ શકતા હતા. અગુણાપાનેરના ભીલ સરદાર પાસેથી, ગીહોટ રાજાઓને જે જે મદદ મળી છે તે વર્ણન થઈ શકે તેમ નથી. ગીહેટના કુળના રક્ષણ માટે તેણે પોતાના હૃદય શેત આપ્યા, અનાહારમાં અનિદ્રામાં, અતિ દુઃસહ પીડા ભેળવી તેણે ગીતહોટ કુળને સારી સહાય આપેલ છે. એ સઘળા મહેપકાર માટે મેવાડના રાજાઓ તેની સાથે કૃતજ્ઞતાના પાશથી બંધાયેલ છે. જે સંબંધ કઈ રીતે તુટે તેમ નથી. તે મહોપકારનો ખરો બદલે કઈ રીતે વળી શકે તેમ નથી તે મહાપકારપવિત્ર અને સ્વગય છે. જો કે આ સેલમાળામાં વસ્તી, નિર્ભય રીતે રહી સુખ ભોગવતી હતી, પણ નિહુર અલ્લાઊદને, તે સઘળા પ્રદેશમાં ભમી, તેઓને સદંતર નાશ કર્યો હતો. જે સમયે, મેવાડ ભૂમિ એવી રીતની શોચનીય દશામાં આવી પડી. તે સમયે તેના કિલા. સઘળા આબાદ : નગરો દુદત શત્રુકુળના કરાળગ્રાસમાં આવી ગયા. તેના શસ્યક્ષેત્ર અને શાન્તીમય આવાસભૂમિ ભયાનક શ્મશાનભૂમિમાં પરિણામ પામ્યા. તે સમયે, ચિતોડ રક્ષક માળદેવના પાસેથી એક વિવાહ સંબંધ આવ્યું. આવા વિગ્રહકાળમાં માલદેવે શા અભિપ્રાયે પિતાના પ્રચંડ શત્રુ હમિર સાથે પિતાની દુહિતાને વિવાહ કરવા દરમ્નાસ્ત બતાવી તેનું કારણ કોઈ સમજી શકયું નહિ. ટુંકામાં તે દરમ્નાસ્ત સંબંધે હમિરના મંત્રિ વર્ગમાં જુદા જુદા સંદેહને ઉદય થયે. હમિરે, મંત્રિવર્ગના નિષેધ વાક્ય અગ્રાહ્ય કરી, વિવાહ કરવાની સમંતિ આપી. તેણે એકવાર પણ વિચારી જોયું જે આ સંધર્ષના સમયમાં માલદેવ, કેવા ઉદ્દેશથી તેની પાસે વિવાહ સંબંધ સૂચક નાળીયેર મોકલે છે, તેણે હમિરને અપમાનિત કરવા કે વિપદમાં પાડવા આ સંબંધ કયે? હમિરના સંબંધીઓ વિપતિઓમાં આવી પડશે એવી આશંકા કરવા લાગ્યા, પણ હમિરે તેઓના કહેવા ઉપર લક્ષ કર્યું નહિ. તેના સેવતીઓ તેને તે કામથી ફરી જવા બોધ આપતા ત્યારે તે તેઓની તરફ ધીરસ્વરે બોલી ઉઠશે. તમે સહુ ભવિષ્યને વિચાર કરી વ્યર્થ ચિંતામાં શામાટે વ્યાકુળ થાઓ છે. ઠીક ! માલદેવને સુજે ઈસદે હોય! નારીયેલ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035290
Book TitleTod Rajasthan Vol 01
Original Sutra AuthorN/A
AuthorSavailal Chotalal Vohra
PublisherPurushottamdas Gigabhai Shah
Publication Year1911
Total Pages914
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy