SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ રાજા લક્ષ્મણસિંહ, ચિતોડ ઉપર અલ્લાઉદીનને હુમલો ઈ. ૧૨૭ રીતના રક્ષક હતા. તે સમયે તે સ્થળે બન્ને પક્ષ વચ્ચે ઘોર યુદ્ધ થયું. પલાયન કરતા ભીમસિંહને પકડી પાડવા એક યવન દળ આગળ વધ્યું, પણ રજપુતોએ તે દળને ચિતોડ તરફ, ભીમસિંહની પછાડી જવા દીધું નહિ. ભીમસિંહના માટે એક તેજ પવનવેગી ઘેડ તયાર થયે. તે ઘોડા ઉપર ચઢી ભીમસિંહ ચિતોડના કિલ્લાની અંદર પેસી ગયે. યવન સેનાએ કિલ્લાને ઘેરી લીધે, તે કિલ્લાને ઘેરે અટકાવવા, ચિતેડના પ્રધાન, સામંત સરદારે યુદ્ધમાં ઉતર્યો. તે ભયાવહ યુદ્ધમાં વિરવર ગેર અને બાદલે વિશેષ વીરતા દેખા. તેઓની વીરતા અને તેજસ્વિતા જોઈ બીજા રજપુતે મહત્સાહે યુદ્ધ કરવા લાગ્યા. બાર વર્ષની ઉમ્મરના રજપુત બાળક બાદલની વીરતા જોઈ યવન સૈન્ય વિસ્મિત અને ખંભિત થયું. તેના હાથમાં રહેલ તલવારથી અને ભાલાથી કેટલાક યવને રણ સ્થળે માર્યા ગયા. તેના અપૂર્વ રણભિનયે ઘણા હીંદુ અને યવન શુના દપ ભંગ થયા. શી રીતે પહિમનીનું સમ્માન અને શિશદીય વંશની કૂળ મર્યાદા જાળવી શકાય તેમ કરવાને તે બન્ને રજપુતાને ઉદ્દેશ હતો. વીર બાળક બાદલના વીરમંત્રથી ઉત્સાહિત થઈ રજપુત રણસંગ્રામમાં પ્રચંડવેગે શત્રુની સામા થયા. તે મહાસંગ્રામમાં વીરપર ગરો, અદભૂત શુરતા બતાવી અનંતકાળના માટે શસશધ્યામાં સુતે. અનેક રજપુતોએ તેનું અનુમાન કર્યું. તે ભયાવહ કાળ યુદ્ધમાંથી વીરનર બાદલ અને કેટલાક રજપુતો ચિતોડમાં પાછા આવ્યા. દુવૃત્ત અલાઉદીનને ખરાબ અભિપ્રાય, થોડા સમયના માટે અટ, રજપુત વીરેને યુદ્યમ, વીરત્વ અને આત્મોત્સગ જોઈ અલાઉદીન યુદ્ધ વ્યાપારમાં થોડા સમયના માટે વિરામ ભેગવવા લાગ્યું. ઘર યવન સંગ્રામમાં વીર ગોરાએ આત્મજીવનનું બલિદાન આપ્યું. તેને બાળક ભત્રીજે બાદલ રક્તાક્ત અને ક્ષત વિક્ષત દેહે કાકી (ગરાની વહ) ની પાસે આવી ઉભું રહયે. તેને એકલે આવતાં જોઈ ગેરાની પત્ની હદય વિષમ શેકેછવસે ઉચ્છવસિત થઈ, પણ તેના પ્રાણપતિએ, સ્વદેશના માટે પ્રાણ આપ્યા તે જાણું તેને મોટી સાંત્વતા મળી. વીર બાળક બાદલને સંમુખે સંગે આવી ઉભેલે જોઈ ગારાની શેકાત વિધવા પત્નીએ ધીરે ધીરે કહ્યું બાદલ, “હવે શું બોલાઈ શકાશે નહિ.”? મેં સઘળું જાણી લીધું છે. આ ક્ષણ માટે એટલું જ પુછવાનું છે જે શી રીતે યુદ્ધ કરી મારા પ્રાણેશ્વરે યુદ્ધસ્થળે દેહ ત્યાગ કર્યો. બેલ? પુત્ર! તે સાંભળી મને એક સાંત્વના થાશે. બાદલના નયનપ્રાંતમાં અશ્રુબિંદુ આવી ગયાં તેના ક્ષત સ્થાનમાંથી વધારે રૂધિરશ્રાવ થવા લાગ્યું. તે બલ્ય, જનનિ ! મારા કાકાના અદભૂત શૌર્યની વાત હું શું કહે ! માત્ર તેનાજ અપૂર્વ શોર્ય શિશોદિયાકુળનું ગૌરવ અને કુળમદા સચવાયેલ છે, તેણે અગણ્ય શત્રુ સન્યને તૃણની જેમ કાપી નાંખેલા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035290
Book TitleTod Rajasthan Vol 01
Original Sutra AuthorN/A
AuthorSavailal Chotalal Vohra
PublisherPurushottamdas Gigabhai Shah
Publication Year1911
Total Pages914
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy