SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ મહા કવિ ચંદ બારોટ પ્રણીત ઐતિહાસીક વિવર્ણવળી. ૧૧૧ દુરાચારિ જયચંદ્ર, જે તેને સર્વ નાશ કરવા તૈયાર થયે છે તે હકીકત પૃથ્વીરાજન જાણવામાં હતી. એટલે કે દુરાચારની દુરભીસંધિ અટકાવવા, અને તેના તે દુષ્કર્મનું પ્રતિફળ આપવા, તે ગોઠવણ કરતા હતા. તે સઘળી તેની હકીકતો કહેવા માટે, તેણે પોતાના પ્રિય બંધુ સમરસિંહ તરફ દુત મોકલ્યો. મંદીર નામને એક સામંત રાજા, તે કાળે લાહોરમાં શાશન કર્તાના અધિકાર હતો. પૃથ્વીરાજે તેનેજ સમરસિંહ પાસે દૂત સ્વરૂપે મેકલ્યા. દીલ્હીશ્વર પૃથ્વીરાજના તાબામાં સામતેમાં ચંડ પુંડીર પરમવા સામંત હતા. તેના પ્રચંડ પરકમનું, અદભૂત દેશ હિતેચ્છાનું, કઠોર ઉદ્યમનું અને અધ્યવસાયનું વિવરણ ચંદ બારેટે તેના મહાકાવ્યમાં જલદક્ષરે વર્ણવેલ છે. જે દીવસે તે, ગૌરવ સૂચક દૂતપણે નમાણે. તે દીવસથી તે તેના જીવનના શેષ કાળ સુધીમાં લાહોર રાજ ચંદjડીર ભારતના તફાસમાં પિતાનું નામ સુવર્ણક્ષરે કેતરાવ ગયો છે. તેના મહનીય ચરિતના વર્ણન વાંચવાથી સ્પષ્ટ સમજી શકાય છે. જે તેણે સ્વદેશના માટેજ જીવન ધારણું કરેલું હતું. અને તેણે સ્વદેશના માટે પોતાના જીવનનો ત્યાગ કર્યો હતો અને છેવટે તે સ્વર્ગમાં ગયા હતા. જ્યારે શાહબુદદીન મોટી સેના દળે ભારતવર્ષમાં આવ્યો ત્યારે તે ચંડપંડીરે, તેની પ્રચંડ ગતિ અટકાવવા માટે રાવિ નદીના કાંઠે પિતાનું શુળ દંડ ઉંચું કર્યું. અગર જો કે તે પોતાના અભીષ્ટ સાધનમાં કાર્ય થયે નહિ પણ તે સાધનમાં જે વિસ્મયકર વીરત્વ બતાવ્યું છે તેથી તેનું પવિત્ર ના ઇતિહાસમાં કામના માટે અક્ષય રહેલ છે. દૂતવર ચંડ પુંડીર, દીલ્હીશ્વર, પૃથ્વીરાજ પાસેથી વિદાય થઈ. પુસ્કલ દવ્ય વગેરે લઈ મોટી ધામધુમે ચિત્તડ નગરમાં આવ્યું. મહારાજ સમરસિંહે આદરી તેને ગ્રહણ કર્યો અને તેના વાસ માટે એગ્ય ઘર આપ્યું. થોડા સમય પછી દુવર ચંડપંડી મહારાજ સમરસિંહની મુલાકાત માટે કહેવરાવ્યું. તરતજ તેની વાસના સફળ થઈ. ચિતડાધિપતી સમરસિંહના હુકમના અનુસારે તે રાજ હજુરમાં આવ્યું. તે સમયે મહારાજ સમરસિંહ પોતાના વિશ્રામ મંદીરમાં બેડે હતો. તેનું આસન વ્યાઘ્રચર્મનુ. હતું, તેનાં કપડાં લાલ હતાં, તેના સઘળા અંગે વિભૂતિ ચળી હતી, ગળામાં તેને પાબીજને રે હારહતે, મસ્તક ઉપર લ જટા હાર હતો, ફતવર ચંડપંડીર તેની પાસે આવ્યું કે તેને આદરથી બોલાવી સંમુખે આસન લેવા તેણે તેને અનુરોધ કર્યો. તેની શાંત ગભીર મુતિ ગીશ્વરનો ગ્ય વેશ અને અત્યુત્તમ વ્યવહારઈ ચંડપંડીરના હૃદયમાં ભક્તિરસ ભરાઈ ગયે. તે તેને યોગીનામે બોલાવી ભક્તિપૂર્વક ગદગદ સ્વરે બે “ આપ યથાર્થ ભગવાન મહાદેવના પ્રતિનિધિ” એ સઘળા વૃતાંતને પરસ્પર વાયાલાપ તે બન્નેના અંદર થયે, તેનું પ્રકૃત વિવરણ ચંદબઈ ગ્રંથમાં સુંદર ભાષામાં વર્ણવેલ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035290
Book TitleTod Rajasthan Vol 01
Original Sutra AuthorN/A
AuthorSavailal Chotalal Vohra
PublisherPurushottamdas Gigabhai Shah
Publication Year1911
Total Pages914
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy