SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ બાપાનું જીવન વૃત્તાંત, જે દીવસે બે નશીબ નાગાદિયે, ભલેના હાથથી પોતાનું જીવન એવું તે દીવસે તેના પરિવારમાં ઘોર હાહાકાર થઈ ગયે. વિપદની વિકટમર્તિ સઘળાને ભયંકરતા બતાવવા લાગી, ચારે તરફ ભીલ-કયાં પલાયન કરી જાવું, કોણ તેઓને ભીલના હાથથી રક્ષા કરી શકે? અંતે તેઓને વંશનિમેળ થયો તે રજપુતે જુદી જુદી જાતની ચિંતાથી વ્યાકુળ થવા લાગ્યા. નાગાદિત્યનો બાપા નામને એક ત્રણ વર્ષને પુત્ર હતા તેના રક્ષણ માટે તેઓને વધારે આપત્તી લાગવા લાગી. પણ બાપાની મદદ વિધાતાના હાથમાં હતી. વિધાતાની કરૂણાથી તે અનાથ રજપુત બાલક સહાય સંપન્ન થયે. જે વીરનગરવાસિની કમળાવતીએ અનાથ ગેહના જીવનની રક્ષા કરી હતી, તે કમળાવતીના વંશધરે એ સંકટકાળમાં મહારાજ શિલાદિત્યના રાજવંશને અનંત વિનાશમાંથી બચાવવા પ્રાણ આપીને ચેષ્ટા કરવા લાગ્યા. તેઓ ગિબ્લેટ રાજ્ય પરિવારના કુળ પુરોહિત હતા. આજ પુરોહિત નામ સાર્થક કરવા માટે, પોતાના જીવનને અપત્તિમાં નાંખી રાજ પુતબાપાનું સંરક્ષણ કરવા તેઓ તતર થયા. નાગાદિત્યના બાલક રાજકુમારને લઈ બ્રાહ્મણો ભાંડી નામના કિલ્લામાં આવી પહોંચ્યા, ત્યાં યદુવંશીય એક ભીલે તેઓને આશ્રય આપે. ત્યાં પણ તેઓ સપર્ણ રીતે નિર્ભય ન રહ્યા, ત્યાંથી તેઓ બાપાને પરાશર નામના મેટા અરણ્યમાં લઈ ગયા. ત્યાંથી તેઓ ત્રિકુટના ઉંચા શીખર ઉપર ગયા. ત્રિકુટની તળેટીમાં નરેંદ્ર નામનું એક નાનું નગર હતું, ત્યાં શિવે પાસક શાંતિપ્રિય રોત્રિય બ્રાહ્મણે વસતા હતા. તે બ્રાહ્મણ, બાપાને તે શાંતિસંપન્ન બ્રાહ્મણોના હાથમાં સેં. બાપે, તે બ્રહ્મણોના લાલનપાલન નીચે સ્વરછતાથી અને શાંતિથી એ પર્વતવાળા પ્રદેશમાં ભટકવા લાગ્યું. તે પરાશર મહારણ્યના ગંભીર પ્રદેશમાં, વિરાટ ત્રિકુટ પર્વતની ઘોર અંધકારવાળી ગુફામાં જળધર શેભિત ઉતુંગ શિખર ઉપર નાના નાના પાણીના ઝરા ઉપર હાલ પ્રાચીન દેવાલયે જોવામાં આવે છે. તે અરણ્ય પ્રદેશના અધિવાસીઓ માત્ર મહાદેવની જ પૂજા કરતા હતા. તે સઘળા ગંભીર અને પ્રશાંત પ્રદેશમાં, ભૂતભાવન ભગવાન મડદેવની પૂજાવિધિ અનેક કાળથી ચાલુ રહી હતી. આજ પણ મેવાડરાજ્યની ચાલતી અધઃપતિત અવસ્થામાં પણ તે પૂજાવિધિનું આડંબર નિસ્તેજ થયું, છે ખરું પણ શિવરાત્રી વગેરેના પ્રસિદ્ધ ઉત્સવમાં ઉદયપુરમાં, શિવપાસનાનો વિશેષ ઉત્કર્ષ જોવામાં આવે છે. વળી ભિન્ન ધર્મવલબી વૈષ્ણવે વિગેરે તે ઉત્સવમાં મોટા આનદથી ભાગ લે છે. મેવાડના રાણાએ “ આજ પણ પિતાને એકલિંગને દિવાન,” એમ કહી અભીમાન પૂર્વક પિતાની ઓળખાણ કરાવે છે. ગંગા અને યમુનાના તીર ઉપરના પ્રદેશમાં જે જુદા જુદા દેવ દેવીની પૂજા ન ચાલતી હતી તે શિવપૂજા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035290
Book TitleTod Rajasthan Vol 01
Original Sutra AuthorN/A
AuthorSavailal Chotalal Vohra
PublisherPurushottamdas Gigabhai Shah
Publication Year1911
Total Pages914
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy