SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ ઢોડ રાજસ્થાન, શાકદ્વીપમાંથી ઉપનિવિષ્ટ થઇ જે જાતિએ સિરાષ્ટ્રદેશમાં આવી આધિપત્ય મેળવેલ છે, તે જાતિમાંથી અનેક લોકોએ પોતાના પૂર્વજને આચાર વ્યવહુર નીતિ વગેરેનો ત્યાગ કરી દીધેલ છે. પણ કાઠી જાતિએ, તે પિતાના આચાર વ્યવહારના અસલી રીત રીવાજોને સમભાવે સાચવી શક્યા છે, તેઓને આચાર વ્યવહાર, ધર્મચના વેશવિન્યાસ વિગેરે હાલ સુધી જેવા ને તેવા રહેલ છે. જે કાળે મકદુનીયાને અધિપતિ મહાવીર અલેકઝાડર ભારતવર્ષને જીતવા ભારતવર્ષમાં આવ્યું હતું તે કાળે કાઠીઓ, સીંધુનદની પંજાબના સંગમસ્થળે રહેતા હતા. એમ કહેવાય છે કે, વિજયી અલેકઝાંડરને તેઓએ એટલીબધી હરકત કરી હતી કે તેને બદલે લેવા અલેકઝાંડર ખુદ સંગ્રામમાં ઉતર્યો હતે. તે સંગ્રામમાં અલેકઝાંડર મહાકટે પિતાના જીવની રક્ષા કરી શકે હતે. સંક્ષેપમાં કાઠીઓના હાથથી તે સંગ્રામમાં તેને પ્રાણ જાત. તે દૂરના પંચનદના પ્રદેશના દક્ષિણ પૂર્વપ્રાંતના પ્રદેશોને ત્યાગ કરી ઈચ્છીસનના આઠમા સૈકામના પૂર્વકાળમાં કાઠીઓ સારાષ્ટ્ર પ્રદેશમાં વસ્યા. જેશલમીરના અગાઉના ભટ્ટમાંથી માલુમ પડે છે જે કાઠી જાતિ, અનેકવાર યાદવસાથે યુદ્ધમાં ઉતરી હતી. જે કાલ સંગ્રામમાં, રજપુત કુળ તિલક મહારાજ પૃથ્વીરાજ સ્વદેશની સ્વધીનતાથી ઠગા તે કાળસંગ્રામમાં જે મહાવીરે તેની નીચે અને તેના પ્રતિદ્વિદિ કરાચારી જ્યચંદની નીચે હતા, તેમાં કાઠીઓ પણ હતા. અગર જો કે તે સમયે કાઠીઓ અણહીલવાડ પાટણના અધિપતિને નીચે સામંત રાજારૂપે રહેતા હતા તેપણ વિશેષ અનુશીલન કરવાથી માલુમ પડે છે જે તેઓએ, છાવશે પૃથ્વીરાજ વગેરેને યુદ્ધમાં સહાય કરી હતી. કાઠીઓ હાલ પણ સૂર્યદેવની પૂજા કરે છે. શાંતિમય જીવનમાં તેઓ અત્યંત ઉછાંછળાપણું ધરાવે છે અર્થાત્ તેઓને શાતિમય જીવન ગાળવું ગમતું નથી અને તેઓ લુંટારાનાં ધંધાનું અવલંબન કરીને પોતાના જીવનને નિર્વાહ કરે છે અને તેમાંજ તેઓની વિશેષ આસક્તિ છે. બલ–-નવા અને પુરાતન ભાટગ્રંથમાં છત્રીસ રાજકુળના એક આસન પર બદ્ધજાતિને વિરાજતી જોઈ શકાય છે. ભાટ લેક તેને “ ઠ મુલતાનનારાવ ” કહી બોલાવે છે. તેથી માલુમ પડે છે જે તેઓ સિંધુનદીના રેતીવાળા પ્રદેશમાં વાસ કરતા હશે. બલૂજાતિ પિોતે સૂર્યવંશની છે એમ બેલે છે. મહારાજ રામચંદ્રના પુત્ર લવના વંશમાં બલ્લુ વા બાપા નામના મહાવીર પુરૂષના વંશધર છે એમ પરિચય કરાવે છે. બાપા નામને મહાવીર પેદા થયે હતું તે બલજાતિને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035290
Book TitleTod Rajasthan Vol 01
Original Sutra AuthorN/A
AuthorSavailal Chotalal Vohra
PublisherPurushottamdas Gigabhai Shah
Publication Year1911
Total Pages914
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy